SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ***********ીવટCખૂણામ ******* છે, પણ એ વેદપદો વિષ્ણુનો મહિમા જણાવનારાં છે, તેથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુનો અભાવ સમજવાનો નથી. તેમ જે કર્યું અને જે થશે તે સર્વ આત્મા જ છે એ આત્માનો મહિમા જણાવ્યો છે, તેથી આત્મા સિવાય પુણ્ય-પાપ નથી એમ સમજવાનું નથી. વળી દરેક પ્રાણી જે સુખ-દુઃખ અનુભવે છે તેનું કાંઈ પણ કારણ અવશ્ય હોવું જ જોઈએ, કેમકે કારણ વિના કાર્ય સંભવે નહિ, અને તે કારણ પુણ્ય-પાપ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અલભ્રાતાને જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે પુણ્યપાપ છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. રતિ નવમો ગળધY: III. ૧૦-પરલોક છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે નવે જણને દીક્ષિત થયેલા સાંભળી દશમા મેતાર્ય નામના પંડિતે વિચાર્યું કે- જેના ઇન્દ્રભૂતિ વિગેરે નવે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે મેતાર્ય પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે ગયો. પ્રભુએ તેને કહ્યું કે- “હે મેતાર્ય! તને એવો સંશય છે કે પરલોક છે કે નથી? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति।" ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે પરલોક નથી એ વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે.” “( વિનયન વિ) એટલે વિજ્ઞાનનો સમુદાય જ (તેમ્પો મૂખ્ય: સમુત્યાવ) આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાજોવાનુ વિનસ્પતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે. (ન પ્રેત્યસંજ્ઞાતિ) તેથી પરલોકની સંજ્ઞા નથી. અર્થાત્ પાંચભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, અને જ્યારે પાંચ ભૂતો વિનાશ પામે છે ત્યારે તે ચૈતન્ય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતોમાં લય પામે છે. આવી રીતે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે, અને ભૂતો નષ્ટ થતાં તે ચૈતન્ય પણ વિનાશ પામે છે, તેથી બીજી ગતિમાં જવા રૂપ પરલોક નથી! પણ વળી “સ્વરામોષનહોત્ર ગુહa’’ એટલે સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે” તથા ‘નારો વૈષગવતે :શૂદ્રાન્નમરનાતિ-એટલે જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે' ઇત્યાદિ વેદપદોથી પરલોકની સત્તા જણાય છે. કેમકે જો પરલોક ન હોય તો અગ્નિહોત્ર કરનારો સ્વર્ગમાં કેમ જઈ શકે, તથા શૂદ્રનું અન્ન ખાનારો બ્રાહ્મણ નારકી કેવી રીતે થઇ શકે? આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે પરલોક છે કે નથી? પરંતુ મેતાર્ય!તારો આ સંશય અયુક્ત છે, કેમકે-“વિજ્ઞાનન' એ વેદવાક્યનો અર્થ તું સમજયો નથી. તેનો અર્થ આ પ્રમાણે છે- (વિજ્ઞાનિધન વ) એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય. તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા (પ્લેખ્યો મૂખ્ય:સમુત્યાય) શેયપણે એટલે જાણવાયોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો થકી, અથવા ઘટપટ વિગેરે ભૂતોના વિકાર થકી “આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે' ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને (તાન્વેવાડનુ વિનરાતિ) તે ઘટ વિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પધાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્ય સ્વરૂપે રહે છે, (ન પ્રત્યુતંજ્ઞાતિ) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આ વેદપદોથી ઘટાદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ અને વિનાશ સૂચવેલ છે; પણ તેથી ભૂતામાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી.ચૈતન્યએ ભૂતોનો ધર્મ નથી, પણ આત્માનો ધર્મ છે; આત્મા ** ***** ** * (170) અ*** *** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy