SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ *************( વટાણૂસમ ********* ** વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે નારકી છે કે નથી? પરંતુ તે અકંપિત! આ તારો સંશય અયુક્ત છે, કેમકે ‘નહર્ત ત્વનર નારા સન્તિ’ એ વેદપદોનો અર્થ તું સમજયો નથી તેનો અર્થ આ પ્રમાણે છેપરલોકમાં નરકને વિષે નારકીઓ નથી, એટલે પરલોકમાં નારકીઓ મેરુ વિગેરેની જેમ શાશ્વતા નથી, પરંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે; આ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે! અથવા નારકી ફરીથી અનંતર નારકીપણે ઉત્પન્ન થતા નથી, એ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે, પણ એ વદેપદો ‘નારકી નથી' એમ જણાવતાં નથી. નારકીઓ પરવશપણાથી અહીં આવી શકતા નથી, પરંતુ ક્ષાયિકજ્ઞાનવાળા તો, તે નારકીઓને પોતાના જ્ઞાનથી પ્રત્યક્ષ દેખે છે. છમસ્થાનોને અનુમાનથી નારકીની પ્રતીતિ થઇ શકે છે, તે આ પ્રમાણેજેમ પ્રાણી ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તરદેવપણે ઉત્પન્ન થઈને ભોગવે છે, તેમ ઉત્કૃષ્ટપાપ કરનાર પ્રાણીને તે ઉત્કૃષ્ટ પાપનું ફળ પણ અવશ્ય ભોગવવું પડે, અને તે તીવ્ર અને નિરંતર દુ:ખ ભોગવવા રૂપ ફળને નારકીપણે ઉત્પન્ન થઈને પ્રાણી ભોગવે છે. કદાચ હું કહે કે-ઉત્કૃષ્ટપાપનું ફળ તિર્યંચ અથવા મનુષ્ય ભવમાં પણ ભોગવી શકાય, કેમકે ઘણા તિર્યંચોને અને મનુષ્યોને અતિશય દુ:ખી દેખીએ છીએ; તો તે કથન પણ ઠીક નથી. કેમકે તિર્યંચ અને મનુષ્યભવમાં તીવ્ર અને નિરંતર દુઃખ હોતું નથી, દુઃખ વધારે હોય તો થોડું પણ સુખ હોય છે. વળી નારકીઓને જેવું તીવ્ર દુઃખ કહ્યું છે તેવું દુઃખ તિર્યંચ અને મનુષ્ય ભવમાં હોતું નથી. ઉત્કૃષ્ટ પાપનું ફળ તો તીવ્ર અને નિરંતર દુઃખ ભોગવવાનું હોય છે. માટે માનવું જોઇએ કે ઉત્કૃષ્ટ પાપ કરનારો પ્રાણી મરીને નારકી થઈ તીવ્ર અને નિરંતર એવાં દુઃખ ભોગવે છે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અકંપિતને જે સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય થયો કે નારકી છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્ય સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. इति अष्टमो गणधरः ॥ ८॥ ૯-પુણ્ય અને પાપ છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે આઠ જણને દીક્ષિત થયેલા સાંભળી નવમા અચલભ્રાતા નામના પંડિતે વિચાર્યું કે- “જેના ઇન્દ્રભૂતિ વિગેરે આઠ જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું.” આ પ્રમાણે વિચારી અચલભ્રાતા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે- “હે અલભ્રાતા! તને એવો સંશય છે કે, પુણ્ય અને પાપ છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે પુરુષ વેઢ નિ સર્વ ભૂત થઈ માવ્યા ' ઉપરના વેદપદોથી તું જાણે છે કે પુણ્ય-પાપ નથી તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે. આ પ્રત્યક્ષ જણાતું ચેતન-અચેતન સ્વરૂપ જે થશે તે સર્વ પુરુષ જ એટલે આત્મા જ છે, અર્થાત્ આત્મા સિવાય પુણ્ય-પાપ નામના પદાર્થ નથી. પણ વળી “પુછવ:જુવેનp:, પાપ:પાપેનનેTI-પુણ્યકર્મ એટલે શુભકર્મ વડે પ્રાણી પુણ્યશાલી થાય છે, અને પાપકર્મ એટલે અશુભ કર્મ વડે પાપી બને છે” એ વેદપદોથી પુણ્ય-પાપની સત્તા જણાય છે. આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે પુણ્ય-પાપ છે કે નથી? પરંતુ તે અચલભ્રાતા! આ તારો સંશય અયુક્ત છે, કેમકે “પુષવેહું વમૂતં ય માધ્યમ-એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યકાળમાં થશે, સર્વ આત્મા જ છે, એ વેદપદોમાં આત્માની સ્તુતિ કરી છે, પણ તેથી પુણ્ય-પાપ નથી એમ સમજવાનું નથી. જેમ “વિષ્પગુમાં ' ઇત્યાદિ વેદપદોમાં આખા જગને વિષ્ણુમય કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy