SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અકસ્મશ્રીવહત્ત્વપૂર્ણ અwઅક્રમ પણ મરણ પામ્યો. તે નગરીના રાજા વિજયસેને બાપ અને દીકરો બન્નેને મૃત્યુ પામેલા જાણી તેનું ધન લેવા માટે પોતાના સુભટોને મોકલ્યા. હવે એટલામાં તે બાળકના અઠ્ઠમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું, તેણે અવધિજ્ઞાનથી સઘળું વૃત્તાંત જાણ્યું. ત્યાર પછી ધરણેન્દ્ર આવીને ભૂમિમાં રહેલાં તે બાળકને અમૃત છાંટી સ્વસ્થ કર્યો, અને પોતે બ્રાહ્મણનું રૂપ કરી, તેને ઘેરે આવી, ધન લેવા માટે આવેલા રાજાના માણસોને અટકાવ્યા. તે સાંભળી રાજા પણ તુરંત ત્યાં આવ્યો, અને કહેવા લાગ્યો કે- “હે બ્રાહ્મણ!પરંપરાથી ચાલી આવતી રીત પ્રમાણે અમે અપુત્રિયાનું ધન ગ્રહણ કરીએ છીએ, તેને તું શા માટે અટકાવે છે? ધરણે કહ્યું કે હે રાજનું! શ્રીકાંતનો પુત્ર હજુ જીવે છે, તેથી તમે ધન કેવી રીતે ગ્રહણ કરી શકો?” રાજા વિગેરેએ પૂછયું કે શ્રીકાંતનો પુત્ર કેવી રીતે જીવે છે? અને તે ક્યાં છે? ત્યારે ધરણેન્દ્ર તે બાળકને ભૂમિમાંથી જીવતો કાઢીને નિધાનની પેઠે દેખાડયો. બાળકનો જીવતો દેખી સઘળાઓએ આશ્ચર્યચકિત થઈ પૂછયું કે - “હે સ્વામી! આપ કોણ છો? અને આ બાળક કોણ છે?” તેણે કહ્યું કે હું નાગરાજ ધરણેન્દ્ર છું, અઠ્ઠમનો તપ કરનાર આ મહાત્માની સહાય માટે આવ્યો છું. ત્યારે રાજાદિકે પૂછયું કેહે સ્વામી! આ બાળકે જન્મતાં જ અટ્ટમનો તપ કેમ કર્યો?” ધરણેન્દ્ર કહ્યું કે હે રાજન્ ! આ બાળક પૂર્વ ભવમાં કોઈ વણિકનો પુત્ર હતો, બાલ્યાવસ્થામાં જ તેની માતા મરણ પામી હતી અને તેથી તેની સાવકી માતા ઘણું દુઃખ દેતી. એક વખતે તેણે પોતાના મિત્રને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. મિત્રે ઉપદેશ આપ્યો કે-“ભાઈ! તે પૂર્વજન્મમાં તપ કર્યો નથી, તેથી તારે આવી રીતે પરાભવ પામવો પડે છે'. ત્યાર પછી તેણે યથાશક્તિ તપ કરવા માંડયો. એક દિવસ તેણે મનમાં નિશ્ચય કર્યો કે-આવતા પર્યુષણ પર્વમાં અટ્ટમનો તપ અવશ્ય કરીશ” એમ વિચારીને એક ઘાસની ઝૂંપડીમાં સૂતો. આ વખતે તેની સાવકી માતાએ અવસર મળવાથી નજીકમાં સળગતાં અગ્નિમાંથી એક તણખો લઈ તે ઝુંપડીમાં નાખ્યો, તેથી તે ઝૂંપડી સળગી ઉઠવાથી તે પણ બળીને મરણ પામ્યો, અને અટ્ટમના ધ્યાનથી તે આ શ્રીકાંતશેઠનો પુત્ર થયો, અને તેથી તેણે પૂર્વજન્મમાં ચિંતવેલો અઠ્ઠમ તપ હમણાં કર્યો. આ મહાપુરુષ લઘુકમ છે, વળી આ ભવમાં જ મોક્ષગામી છે, માટે તમારે તેને યત્નપૂર્વક પાળવો. વળી આ મહાત્મા તમોને પણ મહાન્ ઉપકાર કરનારો થશે. એ પ્રમાણે કહી નાગરાજ ધરણેન્દ્ર પોતાનો હાર તે બાળકના કંઠમાં નાખી પોતાને સ્થાનકે ગયો. ત્યાર પછી સગાઓએ શ્રીકાંતનું મૃતકાર્ય કરીને તે બાળકનું નામ નાગકેતુ' પાડ્યું. પછી અનુક્રમે તે બચપણથી જ જિતેન્દ્રિય થઈને પરમ શ્રાવક થયો. એક દિવસ વિજયસેન રાજાએ એક માણસને ચોર નહીં છતાં તેના ઊપર ચોરીનું કલંક મેલી મારી નાખ્યો. તે મરીને વ્યંતર થયો. તે વ્યંતરે પૂર્વભવના વેરથી સમગ્ર નગરનો નાશ કરવા એક શિલા રચી. અને રાજાને લાત મારી લોહી વમતો સિંહાસન ઉપરથી ભૂમિ ઉપર પાડી નાખ્યો. તે વખતે નાગકેતુએ વિચાર્યું કે હું જીવતો છતાં આવી રીતે સંઘના અને જિનમંદિરના નાશને કેમ જોઈ શકું? એમ વિચારી તેણે પ્રાસાદના શિખર ઉપર ચઢીને શિલાને હસ્ત બડેધારી રાખી. ત્યારે તે વ્યંતર પણ નાગકેતુની તપશક્તિને સહન નહીં કરી શકવાથી શિલાસિંહરીને નાગકેતુને નમી પડયો, તથા તેના કહેવાથી રાજાને પણ ઉપદ્રવ રહિત કર્યો. હવે એક વખતે નાગકેતુને જિનેશ્વર પ્રભુની પૂજા કરતા પુષ્પની અન્દર રહેલો સર્પ ડખ્યો, છતાં પણ વ્યગ્ર ન થતાં શુભ ભાવના ઉપર ચડ્યો. ભાવના ભાવતાં તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી શાસન દેવતાએ આપેલા મુનિવેષને ધારણ કરી તેણે ઘણી કાળ વિહાર કર્યો. એવી રીતે નાગકેતુની કથા સાંnળીને બીજાઓએ પણ અઠ્ઠમ તપમાં યત્ન કરવો. ઈતિ નાગકેતુ કથા. હવે આ કલ્પસૂત્રમાં ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy