SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् વિષય કહેવાના છે તે નીચે પ્રમાણે 'पुरिम - चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकाहिआ जिण-गण-हराइथेवरावली ત્તા' ‘‘’શ્રીૠષભદેવ અને શ્રી મહાવીરસ્વામીના સાધુઓનો એ આચાર છે કે -વરસાદ થાઓ અથવા ન થાઓ, પણ પર્યુષણ અવશ્ય કરવા, અને પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વાંચવું. વળી શ્રીવર્ધમાન સ્વામીના તીર્થમાં કલ્પસૂત્ર વાંચવું એ મંગલિકનું કારણ છે, કારણ કે આ કલ્પસૂત્રમાં જિનેશ્વરોનાં ચરિત્રો, ગણધર વિગેરેની સ્થવિરાવલી, અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર કહેલા છે. તેમાં પ્રથમ અધિકા૨માં જિનેશ્વરોના ચરિત્રને વિષે આસન્ન ઉપકારી હોવાથી પહેલાં શ્રીમહાવીરસ્વામીનું ચરિત્ર કહેતા છતાં ભદ્રબાહુ સ્વામી મંગળને માટે પંચ પરમેષ્ઠી નમસ્કાર ભણે છે नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं । नमो उवज्झायाणं; नमो लोए सव्वसाहूणं ॥ एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાઓ. લોકમાં રહેલાં સર્વસાધુઓને નમસ્કાર થાઓ. એ પાંચ નમસ્કાર સર્વ પાપના નાશ કરનાર છે. અને સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे होत्था । जहा - हत्थुत्तरा हिं चुए, चइत्ता गब्भं वक्कंते। हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए । हत्थुत्तराहि जाए। हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइए । हत्थुत्तराहिं अनंते अणुत्तरे निव्वाघाए निरावणे कसिणे पडिपुण्णे केवलवरनाण-दंसणे सप्पणे । साइणा परिणिव्युए भयवं ॥ ११ ॥ । (તેનું વગતેનું તેનું સમાં ) તે કાળ અને તે સમય એટલે આ અવસર્પિણીના ચોથા આરાને છેડે (સમળે મનવ મહાવીરે) મહાતપસ્વી ભગવંત મહાવીરને (પંચ ત્યુત્તરે ોલ્યા) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે પાંચ વાનાં થયાં (ત-નાં) તે આ રીતે. (ઘુત્તહિંદુ, પુત્તા ગમં વવન્તે) ૧ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે ભગવાન્ પ્રાણત્ નામના દસમા દેવલોકથી ચ્યવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉપન્યા (હત્યુત્તરાËિ ગબ્બાઓ બં સાRિL) · ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં દેવાનંદાનાં ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભણાં મૂકયા (ત્યુત્તરાહિઁ ના) ૩ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં જન્મ્યા. *(ત્યુત્તરાહિં મુડે મવિત્ત અગારાઓ બળાતાં પદ્મણ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં મુંડ થઈને, એટલે-દ્રવ્યથી કેશનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને, ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા-દીક્ષા લીધી. (ત્યુત્તરાËિ અનંતે અનુત્તરે નિવ્વાઘા નિરાવરણે વ્યક્તિને પડિવુì વનવનાળ-તંતણે સમુપ્પન્ગે) વળીષ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન મહાવીર સ્વામીને અનંત વસ્તુના વિષયવાળું અનુપમ, કોઇ પણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્ખલના ન પામે તેવું સમસ્ત આવરણ રહિત, સઘળાં પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું પરિપૂર્ણ એટલે સઘળાં અવયવોથી સંપૂર્ણ, એવા પ્રકારનું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉપગ્યું. (જ્ઞાફળ પિિનાવ્યુ મદ્યવં) ભગવાન મહાવીરસ્વામી સ્વાતી નક્ષત્રમાં મોક્ષે ગયા. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे, जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे, 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy