SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અ અઅઅઅઅઅઅ*(શ્રીવત્વપૂણમ ક રૂ અને "न ह वै सशरीरस्य प्रिया-ऽप्रिययोरपरहतिस्ति, अशरीरं वा वसंतं प्रिया-ऽप्रिये न स्पृशतः।" (નત સારા પ્રા.પ્રિયવીરહિતરતિ) શરીરસહિત એટલે સંસારી આત્માને સુખ અને દુઃખનો અભાવ નથી જ; એટલે સંસારી આત્માને સુખ અને દુ:ખ ભોગવવાં જ પડે છે, કેમ કે તેને સુખ-દુ:ખનાં કારણભૂત શુભ અને અશુભ કર્મો હોય છે. (મારી વા વસન્ત પિવા પ્રિવેનસ્પૃશત:) શરીર રહિત એટલે મુક્ત થયેલા અને લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ-દુઃખ સ્પર્શ કરતાં નથી. કેમકે તે મુક્તાત્માને સુખ-દુઃખનાં કારણભૂત કર્મ હોતાં નથી આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે આત્માને બન્ધ અને મોક્ષ છે. આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે. પણ તે મણ્ડિત! આ તારો સંશય અયુક્ત છે, કેમકે-“વિાળો વિમુર્ન વAતે સંસતિવા મુnતે મોવતિ વા, ન વ ષ વાહ્યાખ્યત્ત વા વેવ' એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી, તેથી તેઓનો અર્થ જેવો તું ઉપર મુજબ કરે છે તેવો તેનો અર્થ નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે સાંભળ- (સ gs વિજુનો વિમુ:) વિગુણ એટલે છvસ્થપણાના ગુણરહિત અને વિભુ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક આ આત્મા, અર્થાત્ મુક્તાત્મા (ન વAતે)કર્મથી બંધાતો નથી, એટલે શુભ અને અશુભ કર્મના બન્ધન રહિત છે, કેમકે તે મુક્તાત્માને કર્મબન્ધનનાં કારણભૂત મિથ્યાદર્શન વિગેરેનો અભાવ છે, (સંપતિ વ) સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કેમકે કર્મના બન્થનવાળાને સંસારમાં પરિભ્રમણ સંભવે, પણ મુક્તાત્મા કર્મના બંધનથી રહિત છે, તેથી તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. (મુuતે) કર્મથી મૂકાતો નથી, કેમકે તે મુક્તાત્મા કર્મથી મૂકાયેલો હોવાથી પછી તેને મૂકાવાપણું રહ્યું નથી! જેને બંધ હોય તેને જ બંધથી મૂકાવાપણું સંભવે, પણ મુક્તાત્માને કર્મના બન્ધનો અભાવ હોવાથી તે કર્મથી મૂકાતો નથી. (મોવતિવા) વળી મોક્ષે ગયેલો જીવ બીજાઓને ઉપદેશ દેતો નથી, તેથી બીજાઓને કર્મથી મૂકાવતો નથી. વળી તે મુક્તાત્માને સંસાર સંબંધી સુખ હોતું નથી, તે કહે છે- (નવા ૫ વાનસ્તૃત વા વે) આ મુક્તાત્મા પુષ્પ, ચંદન વિગેરેથી થતા બાહ્ય સુખને તથા અભિમાનથી થતા આંતરિક સુખને, આ પ્રમાણે બન્ને પ્રકારનાં સાંસારિક સુખને અનુભવવા રૂપે જાણતો નથી, એટલે, તે સાંસારિક સુખ ભોગવતો નથી. આવી રીતે મુક્ત થયેલા આત્માનું સ્વરૂપ જણાવનારાં એ વેદપદો છે, પણ સંસારી આત્માને તો કર્મનો બંધ અને કર્મથી મોક્ષ છે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મંડિતને જે સંશય હતો તે નષ્ટ થયો. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. રૂતિ ષષ્ઠો ગણા : NI ૬I. ૭- દેવો છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે છએ જણને દીક્ષિત થયેલા સાંભળી સાતમા મૌર્યપુત્ર નામના પંડિતે વિચાર્યું કેજેના ઇન્દ્રભૂતિ વિગેરે છએ જણ શિષ્ય થયા, તે માટે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું'. આ પ્રમાણે વિચારી મૌર્યપુત્ર પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે-“મૌર્યપુત્ર! તને એવો સંશય છે કે- દેવો છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો - "વડો નાનાતિ માયોપમાન ગીવાનરૂદ્ર-યમ-વળ-યુવાડીના” “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે દેવનથીતવેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે- ઇન્દ્ર,યમ,વરુણ અને કુબેર વિગેરે માયા સદશ દેવોને કોણ જાણે છે? અર્થાત્ ઇન્દ્રાદિ દેવો માયારૂપ છે, જેમ માયા-ઈન્દ્રજાલ વસ્તુગતે કાંઈ હોતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy