SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ********~~*~(શ્રીવPપૂર્ણ ઋઅઝસ્ક રે પરભવમાં પાછા પશુજન્મ પામે છે. અર્થાત્-સારા કર્મ કરનારો મનુષ્ય મરીને મનુષ્ય થાય, અને દુષ્ટ કર્મ કરનારા પશુઓ મરીને પશુ થાય. આવી રીતે કર્મની અપેક્ષાએ મનુષ્ય અને પશુઓની ગતિ સૂચવી છે. પણ એ વેદપદો એવો નિશ્ચય સૂચવતાં નથી કે, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, અને પશુ મરીને પશુ જ થાય. તાત્પર્ય કે- આર્જવાદિ ગુણયુક્ત મનુષ્ય ફરીને પણ મનુષ્ય જન્મ મેળવે છે પણ ભદ્રક પરિણામી પશુ મરીને મનુષ્ય અથવા દેવ પણ થાય છે. આવી રીતે પ્રાણીઓની ભિન્ન ભિન્ન ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે, અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. વળી જે તું માને છે કે- જેવું કારણ હોય તેના સદેશ જ કાર્ય સંભવે છે, એ પણ તારું માનવું ઠીક નથી, કેમકે છાણ વિગેરેમાંથી વીંછી વિગેરેની ઉત્પત્તિ દેખીએ છીએ, તે કારણથી વિસદશ એટલે વિચિત્ર પણ કાર્ય સંભવે છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી સુધર્માને જે સંશય હતો તે નષ્ટ થયો. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. इति पञ्चमो गणधरः ॥५॥ ૬- આત્માને કર્મનો બંધથતિ કર્મથી મોક્ષ છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે પાંચ જણને દીક્ષિત થયેલા સાંભળી છઠ્ઠા ખંડિત નામના પંડિતે વિચાર્યું કે- “જેના ઇન્દ્રભૂતિ વિશે પાંચે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી મંડિત પોતાના સાડા ત્રણસો શિષ્ય સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે-“મંડિત! તને એવો સંશય છે કે- આત્માને કર્મનો બંધ તથા કર્મથી મોક્ષ છે કે નહિ. આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે.” “स एष विगुणो विभुर्न ' बध्यते संसरति वा मुच्यते मोचयति वा, न वा एष बाह्यमभ्यन्तरं वा वेद।" “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે- આત્માને કર્મનો બંધ કે કર્મથી મોક્ષ નથી. તેઓનો અર્થ તું આ પ્રમાણે કરે છે- (૫)એટલે તે આત્મા (વિગુણો) સત્ત્વ, રજસૂઅને તમોગુણ રહિત છે. (વિ.) સર્વવ્યાપક છે, (નવધ્યતે) કર્મથી બંધાતો નથી, એટલે શુભ અથવા અશુભ કર્મના બન્ધનરહિત છે; (સંસતિ વ) સંસારમાં પરિભ્રમણ કરતો નથી, (મુcuતે) આત્મા કર્મથી મૂકાતો નથી, કેમકે જેને બંધ હોય તેને તે બન્ધથી મુક્ત થવું સંભવે, પણ આત્માને કર્મના બંધનો અભાવ હોવાથી તે કર્મથી મૂકાવતો પણ નથી, (મોવતિ વા) વળી આત્મા કર્મ વિગેરેનો કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મૂકાવતો નથી. (ન વાષ વાલ્વમખ્યન્ત વા વેવ) વળી આ આત્મા પોતાથી ભિન્ન એવા મહતુ અહંકાર વિગેરે બાહ્ય સ્વરૂપને તથા અત્યંતર એટલે પોતાના સ્વરૂપને જાણતો નથી; કેમકે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે, પણ આત્માનો ધર્મ નથી, તેથી આત્મા બાહ્ય એ અત્યંતર એટલે પોતાના સ્વરૂપને જાણતો નથી, કેમકે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે, પણ આત્માનો ધર્મ નથી, તેથી આત્મા બાહ્ય અને અત્યંતર સ્વરૂપને જાણતો નથી. આ પ્રમાણે વેદપદોથી તું જાણે છે કે-આત્માને બંધ કે મોક્ષ નથી. પણ વળી આત્માને બન્ધ અને મોક્ષ જણાવનારાં બીજા વેદપદો દેખી તું સંશયમાં પડ્યો છે કે આત્માને કર્મનો બંધ અને કર્મથી મોક્ષ છે કે નહિ?. આત્માને બન્ધ અને મોક્ષ જણાવનારાં નીચેના વેદપદો છે.” ૧. નિષેધ બતાવનારા આ “ન' શબ્દને આગળ રહેલા સંમતિ મુuતે અને મોવતિ એ ત્રણે શબ્દો સાથે પણ જોડવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy