SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અરેક કારઅર શ્રીવત્ત્વપૂર્ણ ક્રસ્પર જગત્ સ્વપ્ન સદશ જ છે' એ વેદપદો આત્માસંબંધી ચિંતવન કરતાં સુવર્ણ, સ્ત્રી વિગેરેનો સંયોગ અનિત્ય છે એમ સૂચન કરનારાં છે. સુવર્ણ, ધન, પુત્ર, સ્ત્રી વિગેરેનો સંયોગ અસ્થિર છે, અસાર છે, કટુ વિપાક આપનારો છે, માટે તેઓ ઉપરની આસક્તિ ત્યજીને મુક્તિ માટે યત્ન કરવો. એમ વૈરાગ્યની વૃદ્ધિ માટે બોધ આપનારાં એ વેદપદો છે, પણ એ પદો ભૂતોનો નિષેધ સૂચવતાં નથી”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી વ્યક્તિને પાંચ ભૂતોનો જે સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય થયો કે પાંચ ભૂતો છે. સંશય નષ્ટ થતાં વ્યકતે પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. इति चतुर्थो गणधरः ॥४॥ પ- પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે ચારે જણને દીક્ષિત થયેલાં સાંભળી પાંચમા સુધર્મા નામ પંડિતે વિચાર્યું કે- “જેનાં ઇન્દ્રભૂતિ વિગેરે ચારે જણ શિષ્ય થયા, તે મારે પૂજ્ય છે, માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું'. આ પ્રમાણે વિચારી સુધર્મા પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે-“હે સુધર્મા! તને એવો સંશય કેજે પ્રાણી જેવો આ ભવમાં હોય તેવો જ પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે?”. આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે પુરુષો પુરુષત્વમઝુતે, પશવઃ પશુતમ્'' ઇત્યાદિ વેદપદોથી તું જાણે છે કે-જે પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે. તેઓનો અર્થ તું આ પ્રમાણે કરે છે- (પુરૂષોવૈષવરવનુd) પુરુષ મરી પરભવમાં પુરુષપણાને પામે છે, (પશવ:પશુમ) ગાય વિગેરે પશુઓ મરી પરભવમાં પશુપણાને પામે છે. અર્થાતુ-મનુષ્ય મરીને પાછો પરભવમાં મનુષ્ય જ થાય, પણ દેવ, પશુ વિગેરે બીજા સ્વરૂપે ન જ થાય. ગાય વિગેરે પશુઓ મરીને પાછા પરભવમાં પશુઓ જ થાય, પણ મનુષ્ય, દેવ વિગેરે બીજા સ્વરૂપે ન જ થાય. હે સુધર્મા! વળી તું માને છે- ઉપર પ્રમાણે વેદપદોનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે કેમકે જેવું કારણ હોય તેવું જ તેનું કાર્ય સંભવે છે. જેમ શાલિના બીજથી શાલિના જ અંકુરો ઉત્પન્ન થાય, પણ તે શાલિના બીજથી ઘઉંનો અર્કર ન જ ઉત્પન્ન થાય; તેમ મનુષ્ય મરીને પાછો પરભવમાં મનુષ્ય થવો જોઇએ, પણ મનુષ્ય મરીને પરભવમાં પશુ શી રીતે થાય? આ પ્રમાણે વેદપદોથી તથા યુક્તિથી તું જાણે છે-કે જે પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો પરભવમાં થાય છે. પણ વળી-(શ્રીનોવૈષની તેયક્ષપુરષોલ્યતે) એટલે વિષ્ટા સહિત જે મનુષ્યને બળાય છે તે શિયાળ થાય છે અર્થાત્ કોઇ મરી ગયેલો મનુષ્ય વિષ્ટાયુક્ત હોય, તે વિષ્ટા રહિત મનુષ્યને દહન કરવામાં આવે તો તે મનુષ્ય પરભવમાં શિયાળ થાય છે. આ વેદપદોથી જણાય છે કે મનુષ્ય પરભવમાં શિયાળ પણ થાય છે, તેથી “જે પ્રાણી આ ભવમાં જેવો હોય તેવો જ પરભવામાં થાય' એવો નિયમ ન રહ્યો. આ પ્રમાણે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે. પણ તે સુધર્મા! આ તારો સંશય અયુક્ત છે, કેમકે- “પુરૂષો વૈgષભરનુતેvશવ:પશુતમ્' એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી, તેથી તેઓનો અર્થ જેવો તું ઉપર મુજબ કરે છે તેવો તેનો અર્થ નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે; સાંભળ-પુરુષ મરી પરભવમાં પુરુષપણાને પામે છે, અને પશુઓ મરી પરભવમાં પશુપણાને પામે છે, એટલે જે મનુષ્ય ભદ્રક પ્રકૃતિવાળો હોય, વિનય સરલતા વિગેરે ગુણો વડે યુક્ત હોય, તે આ ભવમાં મનુષ્ય સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી પાછો મનુષ્ય જન્મ પામે છે. વળી જે પશુઓ માયા વિગેરે દોષયુક્ત હોય, તેઓ આ ભવમાં પશુ સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy