SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ १४ श्रीकल्पसूत्रम् રૂપ જ આત્મા (તેમ્યો મૂર્તા: સમુત્યાય) શેયપણે એટલે જાણવાયોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો અથવા ઘટ -પટ વિગેરે ભૂતોના વિકારી થકી ‘આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઇ ને, (તાોવાનુ વિનશ્યતિ) તે ઘટ વિગેરે ભૂતોનો જ્ઞેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગ રૂપે ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે. (ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. અર્થાત્-આત્માના દરેક પ્રદેશે-જ્ઞાનદર્શનના ઉપયોગરૂપ અનંતા પર્યાયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત ્ અભિન્ન છે એટલે વિજ્ઞાનઘન છે. જ્યારે ઘટ-પટ વિગેરે ભૂતો શેયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટ-પટાદિરૂપ હેતુથી ‘આ ઘડો છે. આ વસ્ત્ર છે’; ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે આત્મા પરિણમે છે કારણ કે આત્માને તે ઉપયોગરૂપે પરિણમવામાં તે ઘટાદિ વસ્તુનું સાપેક્ષપણું છે. પછી જ્યારે તે ઘટ-પટાદિ ભૂતોનું આંતરું પડી જાય, અથવા તેઓનો અભાવ થા, અથવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય, ઇત્યાદિ કોઇ પણ કારણથી આત્માનો ઉપયોગ બીજા પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો શેયપણ રહેતા નથી. ત્યારે આત્મા ‘આ ઘડો છે, આ વસ્ત્ર છે’ ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે રહેતો નથી. તેથી જ વેદવાક્યમાં કહ્યું છે કે-'ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ, એટલે બીજા પદાર્થના ઉપયોગ વખતે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આવો અર્થ હોવાથી સ્પષ્ટ સમજાય તેમ છે કે, શરીરથી આત્મા ભિન્ન છે.’’. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી વાયુભૂતિને ‘શરીર એજ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?’’ એવો સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય થયો કે આત્મા શરીરથી ભિન્ન છે. સંશય નષ્ટ થતાં વાયુભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. કૃતિ તૃતીયો નનઘર: || 3 || ૪- પાંચ ભૂત છે કે નહિ ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરેને દીક્ષિત થયેલા સાંભળી ચોથા વ્યક્ત નામના પંડિતે વિચાર્યું કે-‘જેના ઇન્દ્રભૂતિ વિગેરે શિષ્યો થયા, તે મારે પણ પૂજ્યનીય છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું’’. આ પ્રમાણે વિચારી તે વ્યક્ત પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને હ્યું કે-‘‘હે વ્યક્ત! તને એવો સંશય છે કે ‘પાંચ ભૂત છે કે નહિ ?’ આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે ‘“સ્વપ્નોપાં વૈ સત્તમ્, દ્વેષ બ્રહ્મવિધિરષ્નસા વિજ્ઞેયઃ ।'' ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે- પાંચ ભૂત નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે– (સ્વપ્નોમં વૈ સત્તમ્) એટલે પૃથ્વી, જળ વિગેરે સમગ્ર જગત્ સ્વપ્ન સદેશ જ છે. જેમ સ્વપ્નમાં સુવર્ણ, રત્ન, સ્ત્રી વિગેરે દેખીએ છીએ, પણ ખરી રીતે તે કાંઇ હોતું નથી, તેમ પૃથ્વી, જળ વિગેરે ભૂતોને દેખીએ છીએ પણ ખરી રીતે તે પદાર્થો નથી બધું સ્વપ્ન સદેશ જ છે. (ફોષ બ્રહ્નવિધિમ્નસા વિજ્ઞેયઃ) એટલે આ બધું જગત્ સદેશ જ છે એ પ્રમાણે આ બ્રહ્મવિધિ શીઘ્ર જાણી લેવો એટલે ભાવવો, આ વેદપદોથી તું જાણે કે પૃથ્વી વિગેરે ભૂતો નથી. પણ વળી-‘પૃથ્વી દેવતા, વાયુ દેવતા, એટલે પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે’ ઇત્યાદિ વેદપદોને પૃથ્વી જળ વિગેરે ભૂતોની સત્તા જણાવનારાં દેખી તું સંશયમાં પડ્યો છે કે- ‘પાંચ ભૂત છે કે નથી?’ પરંતુ હે વ્યક્ત! આ તારો સંશય અયુક્ત છે, કેમકે-‘આ સકળ 164 (6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy