SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅઅકસીવDqRqણન અર૪૪૪ આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અગ્નિભૂતિને કર્મનો જે સંશય હતો તે નષ્ટ થયો, તેને નિર્ણય થયો કે ‘કર્મ છે'. સંશય નષ્ટ થતાં અગ્નિભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. રૂતિ દિનીય ગણા: II II ૩- આ શરીર છે એજ આત્મા છે કે શરીર થી ભિન્ન આત્મા છે? આવી રીતે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થયેલા સાંભળી ત્રીજા ભાઈ વાયુભૂતિએ વિચાર્યું કે- જેના 'ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ શિષ્ય થયા તે મારે પણ પૂજય છે, તેથી હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય પૂછું. આ પ્રમાણે વિચાર કરી તે વાયુભૂતિ પોતાના પાંચસો શિષ્યોના પરિવાર સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને ગોત્ર અને નામ કહેવા પૂર્વક બોલ્યો કે-' “હે ગૌતમ વાયુભૂતિ! તને એવો સંશય છે કે “આ શરીર છે એજ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી થયો છે. "विज्ञानघन एवैतेम्यः भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति"। “ઉપરના વેદવાક્યથી તું જાણે છે કે- શરીરથી ભિન્ન એવો આત્મા નથી, પણ શરીર એ જ આત્મા છે. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે- (વિજ્ઞાનનq) એટલે વિજ્ઞાનનો સમુદાય જ (તેમ્પો મૂક્તમ્યઃ મુત્યાય) આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તીજોવાનુવિનરાતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે. વિજ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે, તેથી વિજ્ઞાનનો આધાર પાંચ ભૂતો જ છે, પણ આત્માને શરીરથી પૃથક્ માનવાવાળા જે વિજ્ઞાનનો આધાર આત્મા નામનો પદાર્થ શરીરથી પૃથક્ માને છે તે આત્મા નામનો પદાર્થ શરીરથી પૃથક્ નથી. જેમ મદિરાના અંગોથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે, વિજ્ઞાનનો સમુદાય પણ જલમાં પરપોટાની જેમ તે ભૂતોમાંજ લય પામે છે આવી રીતે ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોવાથી તે ચૈતન્યનો આધાર શરીર છે. તેથી લોકો જે આત્મા શબ્દથી બોલે છે. તે આત્મા શરીરથી ભિન્ન આત્મા જ નથી. તેથી વેદવાક્યમાં કહ્યું છે કે - જૈનપ્રસંડ્રાઇવિત’ એટલે શરીર અને આત્માની પૃથક સંજ્ઞા નથી, પણ શરીર એ જ આત્મા નથી. પણ વળી ભૂતોના સમુદાયરૂપ શરીરથી આત્મા ભિન્ન છે' એમ જણાવનારાં નીચેનાં વેદપદો છે આત્મા શરીરથી ભિન્ન છે એમ જણાવનારાં નીચેનાં વેદપદો છે "सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो, यं पश्यन्ति धीरा यतयः સંતાત્માન | “(સત્યેન સસ્તપHI 0ષ બ્રહ્મવહેંળ નિત્ય ઘોતિર્મવો f )” એટલે હમેશાં જ્યોતિર્મય અને શુદ્ધ એવો આ આત્મા સત્ય તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે, (પરાન્તિ ધીરા વતવ: સંવતાભના) એટલે જે આત્માને ધીર અને સંયમી સાધુઓ દેખે છે. આ વેદપદોથી જણાય છે કે આત્મા શરીરથી ભિન્ન છે. આ પ્રમાણે તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી સંશય થયો છે કે “શરીર એ જ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?” પરંતુ તે વાયુભૂતિ!તારો આ સંશય અયુક્ત છે, કેમ કે “વિજ્ઞાનનO' એ વેદવાક્યનો અર્થ તું સમજ્યો નથી, પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે, સાંભળ (વિજ્ઞાનન વ) જે વિશિષ્ટ જ્ઞાન એટલે જ્ઞાનદર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy