SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ************( શ્રીવિBસ્વસમ્યકકકકકરે રે કેમ કે- ગાંડા થઈ ગયેલા માણસનું ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે મનાય છે? વળી જેની વૃદ્ધિ થાય તે થકી તે ઉત્પન્ન થયું કહેવાય. જે માટી ઘણી હોય તો ઘડો મોટો થાય છે, તેથી મનાય છે કે માટીમાં ઘડો થાય છે, પણ શરીર અને ચૈતન્યમાં તેવું અનુભવાતું નથી, કારણ કે હજારો યોજનાના શરીરવાળા માછલાઓને જ્ઞાન ઘણું થોડું હોય છે, અને તેથી નાના શરીરવાળા મનુષ્યોનું જ્ઞાન તેઓથી વધારે હોય છે. આવી રીતે કોઇ પણ પ્રકારે ‘ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ થઈ શકતું નથી. માટે માનવું જોઇએ કે, શરીર થકી જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પણ શરીરથી જુદા એવા કોઇ પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તે પદાર્થ આત્મા છે. હે ઇન્દ્રભૂતિ! આ પ્રમાણે વિજ્ઞાનઘન' ઇત્યાદિ વેદ પદોથી તથા પ્રત્યક્ષાદિ પ્રમાણો “આત્મા છે' એમ નિર્ણય થાય છે. વળી – વૃત્તિતિ સૈન્ન, ઝેનિ: સૌરમંસુનેરન્દ્રવર્તિ સુધારતયાત્મતિઃ પૃથ: ? ” જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, કાષ્ટ્રમાં અગ્નિ,પુષ્પમાં સુગંધી, અને ચન્દ્રકાંત મણિમાં જળ રહેલું છે, તેમ શરીર થકી જુદો એવો આત્મા પણ શરીરમાં રહેલો છે.૧.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી ઇન્દ્રભૂતિને આત્માનો જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે “આત્મા છે' સંશય નષ્ટ થતાં ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તેજ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિ મહારાજે SMઝેડુવા,વિમેવ, તુવે વા' એટલે દરેક પદાર્થો વર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે, અને મૂળદ્રવ્યરૂપે ધ્રુવ-નિત્ય રહે છે એ પ્રમાણે પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને દ્વાદશાંગીની રચના કરી. તિpયમો ગળા: II II - કર્મ છે કે નથી? ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલ સાંભળી તેમનો બીજો ભાઇ અગ્નિભૂતિ વિચારવા લાગ્યો કે-“કદાચિત્ પર્વત પીગળી જાય, હિમનો સમૂહ સળગી ઉઠે, અગ્નિની જવાળાઓ શીતળ થાય, વાયરો સ્થિર થઈ જાય, ચન્દ્રમાંથી અંગારા વરસે અને પૃથ્વી પાતાળમાં પેસી જાય, તો પણ મારો ભાઈ હારે નહિ''. આ પ્રમાણે ઇન્દ્રભૂતિ દીક્ષિત થવામાં જરા પણ શ્રદ્ધા વિશ્વાસ ન રાખતો તે અગ્નિભૂતિ લોકોને વારંવાર પૂછવા લાગ્યો. પરંતુ જ્યારે લોકોના મુખથી સાંભળી તેને નિશ્ચય થયો કે ઇન્દ્રભૂતિ દીક્ષિત થયા, ત્યારે તે ચિત્તમાં વિચારવા લાગ્યો કે-“તે ધૂર્તે ઇન્દ્રભૂતિને છેતરી લીધો, પરંતુ હું હમણાંજ જઈ તે ધૂર્તને જીતી લઉં, અને માયાપ્રપંચથી પરાજિત કરેલા મારા વડીલ ભાઈને પાછો લઈ આવું”. આ પ્રમાણે વિચાર કરી અગ્નિભૂતિ પોતાના પાંચસો શિષ્યો સાથે જલ્દી પ્રભુ પાસે આવ્યો. શ્રી મહાવીર પ્રભુ તેને તેના ગોત્ર અને નામ કહેવા પૂર્વક તેના મનમાં રહેલા સંદેહ ને પ્રગટ કરી બોલ્યા કે-“હે ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ! તને સંશય છે કે કર્મ છે કે નથી? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી થયો છે-'' "पुरुष एवेदं ग्निं सर्वं यद् भूतं यच्च भाव्यम्" इत्यादि । * “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે કર્મ નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે- (પુરૂષ વેવં નિ' સર્વ મૂતં વM માધ્યમ) એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન- અચેતનરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, અને જે ભવિષ્યકાળમાં થવાનું છે, તે સર્વ પુરુષ જ છે એટલે આત્મા જ છે અર્થાત્ આત્મા સિવાય કર્મ ઈશ્વર વિગેરે કાંઇ પણ નથી. મનુષ્ય, ૧, ગ્નિ વાક્યાલંકારરૂપે હોવાથી તેનો કંઈ અર્થ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy