SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ११४४९४४९४४९ श्रीकल्पसूत्रम् ન વળી હે ગૌતમ ઇન્દ્રભૂતિ! પ્રત્યક્ષથી પણ આત્માની સિદ્ધિ થાય છે. જે તને ઘટ પટ વિગેરેનું જ્ઞાન હૃદયમાં સ્ફુરે છે, તે જ્ઞાન જ આત્મા છે, કેમકે જ્ઞાન આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી આત્મસ્વરૂપ જ છે. જ્ઞાન તો દરેકને પોતાના અનુભવથી સિદ્ધ હોવાથી સ્વપ્રત્યક્ષ જ છે અને જ્યારે જ્ઞાન પ્રત્યક્ષ છે. તો પછી તે જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ પ્રત્યક્ષ જ છે એમ ન મનાય? વળી ‘હું બોલ્યો, હું બોલું છું, હું બોલીશ' ઇત્યાદિ પ્રકારે ત્રણ કાળના વ્યવહારમાં ‘હું’ એવી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિ શરીરને થાય છે એમ કહે, તો મુડદાને પણ ‘હું’ બોલ્યો, ઇત્યાદિ પ્રતીતિ થવી જોઇએ કારણ કે તે સ્થિતિમાં, પણ શરીર તો છે, છતાં મુડદાને તેવી પ્રતીતિ થતી નથી, માનવું જોઇએ કે ‘હું’ બોલ્યો,‘હું' બોલું છું ઇત્યાદિ પ્રતીતિ શરીરથી જુદા એવા શરીરીને થાય છે, અને તે આત્મા છે વળી જેના ગુણ પ્રત્યક્ષ હોય તે ગુણી પણ પ્રત્યક્ષ જ મનાય છે. સ્મરણ ઇચ્છા સંશય વિગેરે ગુણો દરેકને પોતાના જ અનુભવથી પ્રત્યક્ષસિદ્ધિ છે, તેથી તે ગુણોનો આધાર આત્મારૂપ ગુણી પણ સ્વપ્રત્યક્ષસિદ્ધિ માનવો જોઇએ. તે સ્મરણ ઇચ્છા, સંશય વિગેરે ગુણોનો આધાર શરીર તો ન જ કહેવાય, કારણ કે જેવા ગુણ હોય તેવો જ તેઓનો ગુણી હોય. તે અમૂર્ત અને ચૈતન્યરૂપ છે, અને શરી૨ તો મૂર્ત અને જડરૂપ છે, આવી રીતે અમૂર્ત અને ચૈતન્યરૂપ ગુણોનો આધાર -મૂર્ત અને જડરૂપ એવું શ૨ી૨ કેમ સંભવે? માટે અમૂર્ત અને ચૈતન્યરૂપ એવા તે ગુણોનો આદાર ગુણી અમૂર્ત અને ચૈતન્યરૂપ એવો આત્મા જ સ્વીકારવો જોઇએ. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઇ શકે છે. તે આ પ્રમાણે જે ભોગ્ય હોય તેનો ભોક્તા અવશ્ય હોય છે. જેમ ભોજન વસ્ત્ર વિગેરે ભોગ્ય છે, તો તેનો ભોક્તા મનુષ્ય છે, તેમ શરીર પણ ભોગ્ય છે, તો તેનો ભોક્તા શ૨ી૨ હોવો જોઇએ, અને તે આત્મા છે. આગમથી પણ આત્માની સિદ્ધિ થઇ શકે છે. વેદમાંજ કહ્યું છે કે-ન્ન હૈ ગદ્યમાત્મા જ્ઞાનમયઃ'' તે આ આત્મા જ્ઞાનમય છે વળી ‘વવવ-મો વાનું વવા કૃતિ વગ ત્રયં ો વેત્તિ સ નીવ:’‘દ-દ-દ' એટલે દમ, દાન અને દયા એ ત્રણ દકારને જે જાણે છે તે જીવ છે આ વેદવાક્યોથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે. વળી તું જે માને છે કે ‘ઘી દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વાપરી પુષ્ટ બનેલા શરીરનું ચૈતન્ય સતેજ અનુભવાતું હોવાથી, ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે’. આ પણ તારું માનવું ઠીક નથી, કારણ કે- એ વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે, પણ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ માની શકાય નહિ. જેમ અગ્નિ વડે સુવર્ણમાં દ્રવ્યાત થાય છે તે દ્રવ્યતા થવામાં અગ્નિ સહાયકારી છે, પણ એથી એમ તો ન જ કહેવાય કે અગ્નિમાંથી દ્રવ્યતા ઉત્પન્ન થઇ, પરંતુ એમ જ મનાય છે કે સુવર્ણમાંથી દ્રવ્યતા ઉત્પન્ન થઇ, અને તેથી તે દ્રવ્યતાધર્મ સુવર્ણનો છે, તેમ ચૈતન્ય સતેજ થવામાં પુષ્ટ શરીર સહાયકારી થયું હોય, તેથી એમ ન જ કહેવાય કે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થયું, પરંતુ ચૈતન્ય આત્મા થકી જ થાય છે. અને તેથી તે આત્માનો ધર્મ છે. વળી ઘણા માણસો પુષ્ટ શરીરવાળા હોવા છતાં તેમનું જ્ઞાન થોડું હોય છે. અને ઘણા કૃશ શરીરવાળા હોવા છતાં તેમનું જ્ઞાન ઘણું અનુભવીએ છીએ, તેથી પુષ્ટ શ૨ી૨વાળાને ઘણું જ્ઞાન હોય છે એવો નિયમ ક્યાં રહ્યો? એ જ્યારે એવો નિયમ રહ્યો નહિ ત્યારે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે મનાય? વળી શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોય તો મૃત્યુ પછી પણ શરીર તો છે, તો તે મુડદાને ચૈતન્ય કેમ થતું નથી? વળી જેનો વિકાર થતાં જેનો વિકાર થાય તેનું તે કાર્ય કહેવાય, એટલે તેમાંથી તે ઉત્પન્ન થયું કહેવાય. જેમ સફેદ તાંતણાથી બનેલા વસ્ત્રને લાલ રંગથી રંગીએ, તે વખતે તે તાંતણા પણ લાલરંગના થઇ જાય છે, તેથી મનાય છે કે તાંતણા થકી વસ્ર બન્યું. પણ શરીર અને ચૈતન્યમાં તેમ અનુભવાતું નથી, ૧. ભોગવાવ યોગ્ય ૨. ભોગવનારો ૩. સુવર્ણ પીગળે છે. + 160 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy