SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ * ********* (અવBકૂ કરે *** કોના જેવો આત્માને માનવો? આવી રીતે કોઇ પણ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નથી એમ માનવું જોઇએ. વળી ઘી દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વાપરી શરીર પુષ્ટ બન્યું હોય, તો તેમાંથી સતેજ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ અનુભવીએ છીએ. માટે માનવું જોઇએ કે, શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી, અને તેથી, આત્મા નામનો પદાર્થ નથી. આ પ્રમાણે તું માને છે કે-‘વિજ્ઞાનઘન’ ઈત્યાદિ વેદપદોથી, તથા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નામનો પદાર્થ નથી. પણ વળી “આત્મા’ છે એમ જણાવનારાં બીજા વેદવાક્યો દેખી તું સંશયમાં પડયો છે કે “આત્મા છે કે નથી?” પરંતુ તે ગૌતમ ઇન્દ્રભૂતિ તારો આ સંશય અયુક્ત છે, કેમકે "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति।" એ વેદવાક્યનો અર્થ તું સમજ્યો નથી, તેથી એ વાક્યનો અર્થ તું જે ઉપર મુજબ કરે તેવો તેનો અર્થ નથી. પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે, સાંભળ( વિનયન 4) જે વિશિષ્ટ જ્ઞાન-એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાન સમુદાયરૂપ જ આત્મા (તેમ્પો મૂખ્ય સમુત્યાવ)' શેયપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો થકી, અથવા પટ વિગેરે ભૂતોના વિકારો થકી “આ પૃથ્વી, આ ઘટ છે' ઇત્યાદિ પ્રકારે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને (તાન્યવાન વનપતિ) તે ઘટ વિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના યોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે (ન પ્રત્યસં$TISત). આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપે સંજ્ઞા રહેતી નથી. અર્થાત્ આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ અનંત પર્યાયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કંથચિત્ અભિન્ન છે, અર્થાત વિજ્ઞાનમય આત્મા હોવાથી ‘વિજ્ઞાનઘન એવ' એટલે વિજ્ઞાન સમુદાયરૂપ જ છે. જ્યારે ઘટ પટ વિગેરે ભૂતો જોયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે ઘટ-પટાદિરૂપ હેતુથી “આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે આત્મા પરિણામે છે. એટલે તે તે વિજ્ઞાન પર્યાયે ઉત્પન્ન થાય છે, કારણ કે આત્માને તે ઉપયોગરૂપ પરિણમવામાં તે ઘટાદિ વસ્તુનું સાક્ષેપપણું છે. પછી જયારે ઘટ-પટાદિ વસ્તુનું આંતરું પડી જાય, અથવા તેઓનો અભાવ થાય, અથવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય, ઇત્યાદિ કોઇ પણ કારણ આત્માનો ઉપયોગ તે વસ્ત થકી હઠી જાય છે અને બીજા પદાર્થમાં ઉપયોગ પ્રવર્તે છે ત્યારે. પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો જ્ઞયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્તે છે ત્યારે, પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો શેયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્યો હોય તે પદાર્થો શેયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-પટાદિ શેયપણે રહેતા નથી, ત્યારે આત્મા પણ ‘આ ઘડો છે. આ વસ્ત્ર છે' ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે રહેતો નથી. પણ બીજા પદાર્થના ઉપયોગરૂપે પરિણમે છે. અથવા સામાન્ય સ્વરૂપે રહે છે, અર્થાત્ પૂર્વના ઉપયોગરૂપે રહેતો નથી. તેથી જ વેદવાક્યમાં ક્યું છે કે- ‘ન9ત્યસંજ્ઞાતિ એટલે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આત્માના ત્રણ સ્વભાવ છે-જે પદાર્થનું વિજ્ઞાન પ્રવર્તત તે વિજ્ઞાન પર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થના વિજ્ઞાન પર્યાય નષ્ટ થયેલા હોવાથી તે પહેલાંના વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થના વિજ્ઞાનપર્યાય નષ્ટ થયેલા હોવાથી તે પહેલાંના વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા વિનશ્વરરૂપ છે, અને અનાદિકાળથી પ્રવર્તેલી વિજ્ઞાનસંતતિ વડેદ્રવ્યપણે આત્મા અવિનશ્વરરૂપ છે. આવી રીતે પર્યાયરૂપે આત્મા ઉત્પત્તિ અને વિનાશરૂપ છે, અને દ્રવ્યરૂપે નિત્ય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy