SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કરે”. આ પ્રમાણે ચિંતવતા ઇન્દ્રભૂતિને મંથન કરાતા સમુદ્ર સરખા, અથવા ગંગાના પૂર સરખા, અથવા આદિબ્રહ્મના ધ્વનિ સરખા ગંભીર ધ્વનિથી શ્રી મહાવીર પ્રભુ બોલ્યા કે “હે ઇન્દ્રભૂતિ! તને એવો સંશય છે કે આત્મા છે કે નહિ?” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી થયો છે "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽवति"। “ઉપરના વેદવવાક્યથી તું જાણે છે કે આત્મા નામનો પદાર્થ નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે(વિજ્ઞાનધન 4) એટલે વિજ્ઞાનોનો સમુદાય જ (ભ્યો મૂખ્યઃ મુત્યાય) આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાન્વેવાડનું વનારયતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે, (ન પ્રેસંજ્ઞાતિ) તેથી જ પરલોકની સંજ્ઞા નથી. અર્થા-પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચ ભૂતો શરીરરૂપે પરિણમ્યા હોય, ત્યારે શરીરરૂપે પરિણમેલા એ પાંચ ભૂતોમાંથી “આ ઘડો છે, આ ઘર છે આ મનુષ્ય છે ઇત્યાદિ વિવિધ પ્રકારના જ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે, પણ આત્માને માનવાવાળા જ્ઞાનનો આધાર જે આત્માનો પદાર્થ માને છે તે આત્મા નામનો પદાર્થ નથી, કેમકે પાંચ ભૂતોમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનનો આધાર પાંચ ભૂતો માનવા જોઇએ. જેમ મદિરાના અંગોમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપ પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને પછી જ્યારે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનનો સમુદાય પણ જળમાં પરપોટનાની પેઠે તે ભૂતોમાં જ લય પામે છે. આવી રીતે આત્મા નામનો પદાર્થ નથી, તેથી પ્રત્યે સંજ્ઞા એટલે પરલોકની સંજ્ઞા નથી, અર્થાત્ મરીને પુનર્જન્મ નથી. કેમકે જ્યારે આત્મા નથી તો પછી પરલોક કોનો? માટે આહીથી મરીને કોઇ પરલોકમાં જતું નથી, અને પરલોકતી અહીં કોઈ આવતું નથી.” “હે ઇન્દ્રભૂતિ! વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદવાક્યનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે કેમકે- પ્રત્યક્ષ પ્રમાણથી તો આત્મા જણાતો નથી, એટલે આત્મા દેખવામાં આવતો નથી, તેમ સ્પર્શાદિ અનુભવથી પણ જણાતો નથી, તો આત્મા છે તેની શી સાબિતી? જો આત્મા હોય તો જેમ ઘટ-ઘટાદિ પદાર્થો જણાય છે તેમ જણાવો જોઈએ જો કે પરમાણુ પણ અપ્રત્યક્ષ છે, છતાં ઘર વિગેરે કાર્યરૂપે પરિણમેલા તેઓ પ્રત્યક્ષ જણાય છે, પરંતુ આત્મા તો તેવા કાર્યરૂપે પણ પરિણમેલો પ્રત્યક્ષ જણાતો નથી. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે અનુમાન પ્રત્યક્ષ-પૂર્વક પ્રવર્તે છે. જેણે પહેલાં રસોડા વિગેરે ઠેકાણે ધૂમાડા અને અગ્નિનો સંબંધ પ્રત્યક્ષ દેખ્યો હોય, તે માણસ પર્વત પર ધૂમાડો નીકળતો દેખી પહેલાં પ્રત્યક્ષથી જાણેલા ધૂમાડા અને અગ્નિના સંબંધને સંભારે છે કે જ્યાં જ્યાં ધૂમાડો હો ત્યાં ત્યાં અગ્નિ દેખ્યો હતો, આ પર્વત પર ધૂમાડો દેખાય છે, તેથી અગ્નિ હોવો જોઇએ. આવી રીતે પ્રત્યક્ષપૂર્વક અનુમાન થાય છે, આત્માની સાથે તો કોઇનો પણ સંબંધ પ્રત્યક્ષથી જણાતો નથી, તો પછી આત્માની સિદ્ધિ અનુમાનથી કેવી રીતે થઇ શકે? આગમથી પણ આત્માનો નિશ્ચય થઈ શકતો નથી, કેમકે કોઇ શાસ્ત્ર જણાવે છે કે આત્મા છે અને કોઈ જણાવે છે આત્મા નથી. આવી રીતે પરસ્પર વિરુદ્ધ જણાવતા શાસ્ત્રોમાં કયું સાચું અને કર્યું જૂઠું? ઉપમા પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે ઉપમા પ્રમાણ તો નજીકના પદાર્થમાં સાદૃશ્યબુદ્ધિ ઉત્પન્ન કરે છે. જેમ જંગલમાં ગયેલો માણસ ત્યાં રોઝ નામના જંગલી પશુને દેખી તે માણસને સાદશ્યબુદ્ધિ થાય છે કે- જેવી ગાય હો તેવો આ પશુ છે. પણ જગતમાં આત્મા જેવો તો કોઈ પદાર્થ નથી, તો પછી ૧. ઘડી વસ્ત્ર વિગેરે ૨. દેખવામાં આવતા નથી, તેમ સ્પર્ધાદિ અનુભવથી જણાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy