SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ************ીવPસ્વછૂણKOઅને ૮-અ*** મળવાથી ઘણો આનંદ થયો છે. આજે તો વાદ કરી ઘણા વખતની મારી જીભની ખરજને દૂર કરીશ. વ્યાકરણમાં હું પરિપૂર્ણ છું, સાહિત્યમાં મારી બુદ્ધિ અખ્ખલિત છે, અને તર્કશાસ્ત્રમાં તો હું પારગમી છું, મેં કયા શાસ્ત્રમાં પરિશ્રમ નથી કર્યો? અરે વાદી? હું દરેક શાસ્ત્રમાં તને પરાસ્ત કરી શકું તેમ છુ”. આ પ્રમાણે અહંકારના તરંગોમાં મગ્ન થયેલો ઇન્દ્રભૂતિ ચાલતો ચાલતો શ્રી મહાવીર પ્રભુના સમવસરણમાં આવ્યો. ત્યાં ચોત્રીસ અતિશયોથી શોભી રહેલા, સુવર્ણના સિંહાસન પર બેઠેલા સુરેન્દ્રોથી પૂજાતા, સુરનરોથી પરિવરેલા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા જગપૂજ્ય શ્રી મહાવીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઈ ઇન્દ્રભૂતિ દંગ થઇ ગયો; અને પગથિયા ઉપર જ ઉભો ઉભો વિચારવા લાગ્યો કેઅહો! આ તે શું બ્રહ્મા છે? વિષ્ણુ છે? કે શંકર છે?” “ચન્દ્રઃ જિં? સ થત ટુતિતઃ સૂર્યોfપર નો તીવ્ર, मेरु, किं: ? न स यद् नितान्तकठिनो विष्णुर्न यत् सोऽसितः ब्रह्मा किं? न जरातुरः स च जराभीरुन यत् सोऽतनु तिं दोषविवर्जिताऽखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥ १॥" “વળી શું આ ચન્દ્ર હશે? ના, ચન્દ્ર તો નથી, કારણ કે તે તો કલંકયુક્ત છે, અને આ તો કલંકરહિત છે. ત્યારે શું આ સૂર્ય હશે? ના, તે પણ નથી, કારણ કે સૂર્ય તો સામું પણ જોઇ ન શકાય એવી તીવ્ર કાંતિવાળો છે, અને આ તો સૌમ્ય કાન્તિવાળા છે. ત્યારે શું આ મેસ હશે? ના, તે પણ નથી, કારણ કે મેરુ તો અત્યંત કઠણ છે, અને આ તો કોમળ છે. ત્યારે શું આ કૃષ્ણ હશે?ના તે પણ નથી, કારણ કે કૃષ્ણ તો કાળો છે, અને આ તો સુવર્ણ જેવાદેદીપ્યમાન વર્ણવાળા છે. ત્યારે શું આ બ્રહ્મા હશે? ના, તે પણ નથી, કારણ કે બ્રહ્મા તો ઘરડો છે, અને આ તો યુવાન છે. ત્યારે શું આ જરાભી એટલે કામદેવ હશે? ના, તે પણ નથી, કારણ કે કામદેવ તો શરીર વગરનો છે, અને આમને તો શરીર છે. હા, હવે માલુમ પડ્યું કે આ તો દોષરહિત અને સર્વગુણસંપન્ન એવા છેલ્લા તીર્થકર છે.૧.” પ્રભુ સાથે વાદ કરવાને આવેલા ઇન્દ્રભૂતિના હવાઈ તરંગો ઉડી ગયા, ઉલટો તે ચિંતામાં પડી ગયો, અને વિચારવા લાગ્યો કે-“અરેરે! અત્યાર સુધી જગતના વાદીઓને જીતી વિજયપતાકા ફરકાવી મેળવેલી મોટાઈનું હવે મારે શી રીતે રક્ષણ કરવું? ખરેખર હું અહીં ન આવ્યો હોત તો જ ઠીક હતું, કારણ કે, સમગ્ર જગતને જીતનાર હું આ એકને જીતવા માટે ન આવ્યો હોત તો તેમાં મારી માનહાનિ શી થવાની હતી? એવો તે કોણ મૂર્ખ હોય એક ખીલી માટે આખા મહેલને પાડવાની ઇચ્છા કરે? અહો ! મારું વગર વિચાર્યું સાહસ કેવું? અરે! મારી દુર્બદ્ધિ કેવી કે આ જગદીશના અવતારને જીતવા આવ્યો? હું આ તેજસ્વી મહાજ્ઞાની આગળ કેવી રીતે બોલી શકીશ? અરે! બોલવું તો દૂર રહ્યું, પરંતુ એમની પાસે કેવી રીતે જઈ શકીશ? અત્યારે તો હું પૂરેપૂરો સંકટમાં સપડાયો છું, હે શંકર! મારા યશનું રક્ષણ કરજો. કદાચ ભાગ્યોદયથી અહીં મારો જય થાય તો હું ત્રણે જગતમાં પંડિત શિરોમણિ કહેવાઉં”. ઇત્યાદિ ચિંતવતા ઇન્દ્રભૂતિને જિનેશ્વર પ્રભુએ અમૃત જેવી મધુર વાણીથી નામ અને ગોત્ર કહેવા પૂર્વક બોલાવ્યો કે- “હે ગૌતમ ઇન્દ્રભૂતિ! તું અહીં ભલે આવ્યો. આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળી તે વિચારવા લાગ્યો કે-“અરે આ શું મારું નામ પણ જાણે છે? અથવા બાળકથી લઈને બુઢા સુધી ત્રણે જગતમાં વિખ્યાત એવા મને કોણ ન ઓળખે? સૂર્ય વળી કોઇથી છાનો હોય? પણ આને હું ત્યારે જ સર્વજ્ઞ માનું કે જો તે મારા મનમાં રહેલા ગુપ્ત સંશયને પ્રકાશિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy