SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ + श्रीकल्पसूत्रम् જો કે સાધુઓ વિહાર કરે તો ઘણો લાભ થાય, પણ વરસાદના દિવસોમાં ઘણા જીવ ઉત્પન્ન થાય છે, અને તેથી તે જીવોની વિરાધના થાય, માટે જ વરસાદના ચાર માસ સાધુઓને એક સ્થાને રહેવાનું કહ્યું છે. શ્રીકૃષ્ણ મહારાજા, જે ત્રણ ખંડના ધણી હતા, તેઓ જો ચોમાસામાં સભા ભરી ને બેસે તો તેમને નમન કરવા સોળ હજાર મુગટબંધ રાજાઓ, હાથી, ઘોડા, રથ, પાલખી નોકર, ચાકર વિગેરે પરિવારથી પરિવરેલા આવે અને જાય. તેમના આવવા જવાથી કુંથુઆ કીડી વિગેરે ઘણા જીવોનો ઘાત થાય તે ઘાત ન થાય માટે વરસાદના ચારમાસ કૃષ્ણ મહારાજ પોતાનાં મહેલામાં રહેતા, પણ સભા ભરતા નહીં. એવી રીતે બીજા પણ ઉત્તમ પુરુષોએ ચોમાસામાં ઘણા સાવદ્ય વ્યાપાર કરવા નહીં, ચોમાસામાં બહુ દૂર જવું નહીં, તેમાં પણ સાધુએ તો ચોમાસામાં વિશેષ પ્રકારે એક સ્થાને રહેવું. ચોમાસું રહેલા સાધુ પર્યુષણપર્વ આવે ત્યારે માંગલિકને માટે પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચે. જેમ-દેવોમાં ઇન્દ્ર શિરોમણિ છે, તારાઓમાં ચંદ્ર, ન્યાયવાન્ પુરુષોમાં રામ, રૂપવંતોમાં કામદેવ, રૂપવંતી સ્ત્રીઓમાં રંભા, હાથીઓમાં ઐરાવણ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, નૃત્યકલામાં મયૂર, તેજસ્વીમાં સૂર્ય, સાહસિકોમાં રાવણ, સતીઓમાં રાજીમતી, વનમાં નંદનવન, કાષ્ટમાં ચંદન, પુષ્પોમાં કમળ, તીર્થોમાં શત્રુંજય, ગુણોમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં નવકાર, બુદ્ધિમંતોમાં અભયકુમાર, અને ઓષધોમાં અમૃત શિરોમણિપણાને ધારણ કરે છે, તેમ કલ્પસૂત્ર સઘલાં શાસ્ત્રોમાં શિરોમણિ છે. ‘“નાદંતઃ પરમો લેવો, ન મુક્તે: પરમ વવÇાન શ્રીશત્રુનયાત્તીર્ય, શ્રી ઋત્ત્વાર્ ન પરં શ્રુતમ્” ।। ‘‘અરિહંત પ્રભુથી બીજો પરમદેવ નથી, મુક્તિથી બીજું પરમ પદ નથી, શ્રી શત્રુંજયથી બીજું ૫૨મતીર્થ નથી, અને શ્રી કલ્પસૂત્રથી બીજું કોઈ ઉત્તમ શાસ્ત્ર નથી.’’ આ કલ્પસૂત્ર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. તેમાં વીરપ્રભુનું ચારિત્ર બીજરૂપે છે, પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર અંકુરારૂપ છે, નેમિનાથપ્રભુનું ચરિત્ર થડ રૂપ છે, ઋષભદેવ પ્રભુનું ચરિત્ર ડાળીઓ રૂપ છે. સ્થવિરાવલી પુષ્પો રૂપ છે, સમાચારીનું જ્ઞાન એ સુગંધ છે, અને મોક્ષપ્રાપ્તિ રૂપ ફળ છે, આ કલ્પસૂત્ર વાંચવાથી, વાંચનારને સહાય દેવાથી, કલ્પસૂત્રના સઘળા અક્ષરો સાંભળવાથી તથા વિધિપૂર્વક તેનું આરાધન કરવાથી તે આઠ ભવની અન્દર મોક્ષ દેનારું થાય છે. વીરપ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે- ‘‘હે ગૌતમ! જે માણસો જિનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને, પ્રભાવના અને પૂજામાં તત્પર રહી, એકવીશ વાર કલ્પસૂત્રને સાંભળે છે તેઓ આ ભાવરૂપી સમુદ્રને તરી જાય છે’'. એવી રીતે શ્રી કલ્પસૂત્રનો મહિમા સાંભળીને, કષ્ટ અને ધનના ખર્ચથી સાધી શકાય એવાં સંયમ, તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં આળસ ન કરવી, કારણ કે સર્વસામગ્રી સહિત કલ્પસૂત્રનું શ્રવણ વાંછિત ફળને આપનારું છે. જેમ પાણી, વાયુ, તાપ વિગેરે સામગ્રી હોય તો જ બીજ ફળદાયક થાય છે તેમ આ કલ્પસૂત્ર પણ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધર્મિકોની ભક્તિ વિગેરે સામગ્રી સહિત ઉપર કહેલા ફળના હેતુરૂપ થાય છે. હવે વિશ્વાસી પુરુષના વચનમાં વિશ્વાસ આવે, તેથી આ કલ્પસૂત્ર બનાવનારનું નામ કહેવું જોઇએ. આ કલ્પસૂત્રના રચનાર ચૌદ પૂર્વધારી યુગપ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામી છે. તેઓએ પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ ઉદ્ધર્યો, તેનું આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્ર છે. ચૌદ પૂર્વનું માન આ પ્રમાણે છે : પહેલું પૂર્વ એક હાથી જેટલા મષીના ઢગલાથી લખી શકાય, બીજું બે હાથી જેટલાથી, ત્રીજું ચાર હાથી જેટલાથી, ચૌથું આઠ હાથી જેટલાથી, પાંચમું સોળ હાથી જેટલાથી, છ બત્રીસ હાથી જેટલાથી, સાતમું ચોસઠ હાથી જેટલાથી, આઠમું એકસો અઠ્યાવીશ હાથી જેટલાથી, નવમું બસો છપ્પન હાથી જેટલાથી, તેરમું ચાર હજાર છનું હાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy