SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ **{ श्रीकल्पसूत्रम् હતું તેમ યથાસ્થિત કહી સંભળાવ્યું. ગુરુએ નટનો નાચ જોવાનો નિષેધ કર્યો. પછી એક દહાડો જ્યારે તેઓ બહારગયા ત્યારે નટીને નાચતી જોઈને પ્રાશ હોવાથી વિચાર કરવા લાગ્યા કે - ‘રાગના હેતુથી ગુરુ મહારાજે નટ જોવાનો આપણને નિષેધ કર્યો છે, ત્યારે નટીનો તો અત્યંત રાગનું કારણ હોવાથી નિષેધ હોવો જોઇએ''. એમ વિચારી તેઓએ નટીને જોઈ નહીં. હજે નિયત અવસ્થાનાના લક્ષણવાળો સિત્તેર દિવસનો જધન્ય પર્યુષણ કલ્પ કહ્યો તે પણ કારણના અભાવે જાણવો, પરંતુ કોઈ કારણ હોય તો તેની મધ્યમાં પણ વિહાર કલ્પે. તે આવી રીતે-અકલ્યાણ-વિપત્તિ હોય', આહાર ન મળી શકે, રાજા સાધુનો દ્વેષી હોય, રોગનો ઉપદ્રવ હોય TM, સ્થડિલની જગ્યાના મળે,સ્થડિલીની જગ્યા જીવાતવાળી હોય ૬, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય ૭, કુન્થુઆનો ઉપદ્રવ હોય, અગ્નિનો ઉપદ્રવ હોય †, તથા જો સર્પનો ઉપદ્રવ હોય, તો ચોમાસાની અંદર પણ વિહાર કરવો કલ્પે. વળી કોઈ કારણ હોય તો ચોમાસા ઉપરાંત પણ સાધુઓએ રહેવું કહ્યું.તે આવી રીતે-વરસાદ વરસતો બંધ ન રહે, અને માર્ગ કીચડથી ચાલી શકાય તેવો ન હોય તો ઉત્તમ મુનિઓ કાર્તિક સુદ પૂનમ પછી પણ રહે છે. વળી ઉપર જે અકલ્યાણક વિગેરે દશ દોષ કહ્યા, તે દોષનો અભાવ હોય, છતાં પણ સંયમના નિર્વાહ માટે ક્ષેત્રના ગુણ જોવા. ક્ષેત્ર ત્રણ પ્રકારનું હોય છે- જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. જયાં જિનમંદિર નજીકમાં હોય', સ્થંડિલની જગ્યા શુદ્ધ, જીવાત વિનાની અને કોઈની નજર ન પડે તેવી હોય, સ્વાધ્યાય-ધ્યાન સુખથી થઈ શકે તેમ હોય, અને ભિક્ષા સુલભ હોય, આ ચાર ગુણ યુક્ત ક્ષેત્ર જધન્ય કહેવાય. તે આવી રીતે-જયાં ઘણો કીચડ ન થતો હોય, ઘણા સંમૂર્છિમ પ્રાણીઓ ન થતા હોય, સ્થંડિલની જગ્યા નિર્દોષ હોય, ઉપાશ્રય સ્ત્રીસંસર્ગાદિ રહિત હોય *, દૂધ દહીં ઘી વિગેરે ગોરસ ઘણું મળતું હોય, લોકોનો સમુદાય મોટો અને ભદ્રક હોય, વૈદ્યો ભદ્ર પ્રકૃતિવાળા હોય , ઔષધ સુલભ હોય, ગૃહસ્થોનાં ઘર કુટુંબવાળા અને ધનધાન્યાદિથી ભરેલાં હોય, રાજા ભદ્રક હોય, બ્રાહ્મણ વિગેરે અન્ય મતવાળાઓ સાધુઓનું અપમાન ન કરતાં હોય ૧૧, ભિક્ષા સુલભ હોય૧૨, અને સ્વાધ્યાય-ધ્યાન શુદ્ધ થઈ શકે તેમ હોય, ૧૩ એ તેર ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું. પૂર્વે કહેલા ચાર ગુણથી અધિક ગુણવાળું અને તેર ગુણથી ન્યૂન ગુણવાળું એટલે પાંચ ગુણવાળું છ ગુણવાળું યાવત્ બાર ગુણવાળું ક્ષેત્ર મધ્યમ જાણવું. સાધુઓએ જો બની શકે તો ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં, તે ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં, અને તે ન મળે તો જઘન્ય ક્ષેત્ર માં પર્યુષણાકલ્પ કરવો. પણ હાલના સમયમાં તો ગુરુ મહારાજે આદેશ કરેલા ક્ષેત્રમાં સાધુઓએ પયુર્ષણાકલ્પ કરવો. આ દસ પ્રકારનો કલ્પ ત્રીજા ઔષધની પેઠે હિતકારી થાય છે. તે ત્રીજા ઔષધનું દૃષ્ટાંત કોઈ એક રાજાએ પોતાના પુત્રની અનાગત ચિકિત્સા માટે-રોગ ન આવ્યો, છતાં ભવિષ્યમાં રોગ ન થાય એ હેતુથી ત્રણ વૈદ્યોને બોલાવ્યા. તેઓમાંથી પહેલા વૈદ્યે કહ્યું કે – ‘મારું ઔષધ રોગ હોય તો તે રોગનો નાશ કરે છે, પણ જો રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરે છે’. રાજાએ કહ્યું-‘સૂતેલા સિંહ જગાડવા સરખું આ તારું ઔષધ કાંઈ કામનું નથી’. પછી બીજા વૈદ્યે કહ્યું-‘મારું ઔષધ રોગ હોય તો તેનો નાશ કરે છે, અને રોગ ન હોય તો ગુણ અથવા દોષ કાંઈ કામ કરતું નથી, રાજાએ કહ્યું કે-‘રાખમાં ઘી નાખવા સરખા આ તારા ઔષધીની પણ જરૂર નથી.’ ત્યારપછી ત્રીજા વૈદ્યે કહ્યું કે-‘મારું ઔષધ જો રોગ હોય તો તે રોગ ને હરે છે; અને રોગ ન હોય તો શરીર માં બળ વધારે છે, વીર્ય પુષ્ટ કરે છે, અને કાન્તિની વૃદ્ધિ કરે છે,’ રાજાએ કહ્યું કે-‘આ ઔષધ ઉત્તમ છે'. પછી એ ત્રીજા વૈદ્યનું ઔષધ કરાવ્યું, અને તે વૈદ્યનું ઘણું સન્માન કર્યું. એ ત્રીજા ઔષધિની પેઠે આ દસ કલ્પો પણ દોષ હોય તો તે દોષનો નાશ કરે છે, અને દોષ ન હોય તો ધર્મની પુષ્ટિ કરે છે. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy