SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અમે હવેથી નટનો ખેલ જોશું નહીં.” એમ કહી તે અંગીકાર કરી વળી એક દહાડો તેજ સાધુઓ બહારથી ઘણી વેળાએ ઉપાશ્રયમાં આવ્યા, ત્યારે ગુરુએ આગળની પેઠે પૂછવાથી તેઓએ કહ્યું કે- “હે સ્વામી ! અમે નાચતી એક નદીને જોવા રોકાયા હતા, ત્યારે ગુરુએ કહ્યું- “મહાનુભાવો! તમોને તે દિવસે નટને જોવાની ના કહી હતી, તેથી નટીને જોવાનો તો નિષેધજ જાણવો.” ત્યારે શિષ્યોએ કહ્યું કે હે પ્રભુ! અમોને તે વાતનું જાણપણું નહોતું હવે ફરીને તેમ નહીં કરીએ” અહીં તેઓએ જડ હોવાથી એમ ન જાણ્યું કે ગુરુ મહારાજે નટનો નિષેધ કર્યો તો નટીનો નિષેધ હોય, અને સરલ સ્વભાવી હોવાથી તેઓએ સરલ ઉત્તર આપ્યો. એમ પહેલું દૃષ્ટાંત જાણવું. - હવે બીજું દૃષ્ટાંત એવી રીતે કે-કોઈક કોંકણ દેશના વાણિયાએ ઘડપણમાં દીક્ષા લીધી. એક વખતે ઈર્યાવહીના કાઉસ્સગ્નમાં તે ઘણા કાળ સુધી સ્થિર રહ્યો. તેણે કાઉસ્સગ્ન પાયો ત્યારે ગુરુએ પૂછયું કે- ‘તમે આટલાં બધાં લાંબા કાઉસ્સગ્નમાં શું ચિતવ્યું. તેમણે કહ્યું કે “સ્વામી! મેં તેમાં જીવદયા ચિંતવી'. ગુરુએ પૂછયું કે “તમે શી રીતે જીવદયા ચિંતવી?' તેણે કહ્યું કે –“પહેલાં જ્યારે હું ગૃહસ્થાવાસમાં હતો ત્યારે મેં ખેતરમાંથી નકામા વૃક્ષ વિગેરેને કાઢી નાખી સારી રીતે ખેડીને ધાન્ય વાવ્યું હતું, અને તેથી ઘણું નીપજયું હતું. પણ હવે મારા પુત્રો નિશ્ચિત અને પ્રમાદી થઈને નાકામાં વૃક્ષ વિગેરેને ખેતરમાંથી નહીં કાઢી નાખે, તથા સારી રીતે ખેડશે નહીં તો ધાન્ય નહીં નીપજવાથી તે વિચારાના શાં હાલ થશે?” ગુરુ મહારાજે કહ્યું કે- “હે મહાનુભાવ! આ તમે જીવદયા ચિંતવી ન કહેવાય, પણ જીવહિંસા ચિંતવી. કારણ કે, વૃક્ષો ઉખેડવામાં તથા ખેતરમાં ખેડવામાં ઘણા જીવોનો નાશ થાય છે, તેથી તમે દુર્ગાન કર્યું. આમ ચિંતવવું સાધુને કહ્યું નહીં.” એવી રીતે ગુરુ મહારાજના કહેવાથી તેણે “મિચ્છામિ દુક્કડમ્' દીધું. અહીં જડ હોવાથી તેણે એમ ન જાણ્યું કે, આવી રીતે ચિંતવવું એ જીવદયા નહીં પણ જીવહિંસા છે, અને સરલતાથી પોતાનું ચિંતવેલું ગુરુમહારાજને યથાસ્થિત કહી દીધું. વીરપ્રભુના તીર્થના સાધુઓના વક્ર અને જડપણાના વે દૃષ્ટાંતો નીચે મુજબ વીર પ્રભુના તીર્થના કેટલાક સાધુઓ નટને નાચતો જોઈને, વિલંબથી ગુરુ સમીપે આવ્યા. ગુરુએ તેમને પૂછ્યું, બને નટ જોવાનો નિષેધ કર્યો. વળી એક દિવસ નાચતી નટીને જોઈને, વિલંબથી ગુરુ સમીપે આવ્યા. ગુરુએ પૂછયું ત્યારે પોતાના વક્ર સ્વભાવથી જૂઠા ઉત્તરો દેવા લાગ્યા. પછી ગુરુએ ઘણું પૂછવાથી તેઓએ સત્ય વાત કરી. ગુરુ તેમને ઠપકો દેવા લાગ્યા ત્યારે ઉલ્ટા તેઓ ગુરુને ઠપકો દેવા લાગ્યા કે –“તમોએ અમોને નટ જોવાનો તે દિવસે નિષેધ કર્યો, ત્યારે જ નટી જોવાનો પણ શા માટે નિષેધ કર્યો નહીં! માટે આ દોષ તમારો જ છે, અમે શું જાણીએ!” આવી રીતે વક્રતાથી ઉત્તર આપ્યો. એમ પહેલું દૃષ્ટાંત જાણવું. બીજું દષ્ટાંત એવી રીતે કે-કોઈ એક વેપારીનો દીકરો દુવિનીત વક્ર અને જડ હતો. તેના પિતાએ ઘણી વખત શિખામણ આપી કે –“મા-બપ વિગેરે વડીલોનાં સામું ન બોલવું. એક દિવસે બધા ઘરના માણસો બહાર ગયા હતા, ત્યારે તેણે વિચાર્યું કે –“વારંવાર શિખામણ આપતા પિતાને આજે તો હું બરાબર શિખામણ આપું!” એમ વિચાર કરી ઘરના બારણાં અંદરથી બંધ કરીને પોતે અંદર ભરાઈ રહ્યો. પછી તેના પિતા વિગેરે આવ્યા બાદ તેઓએ બારણું ઉઘાડવાનું ઘણું કહ્યું, છતાં તેણે કાંઈ જવાબ પણ આપ્યો નહીં, તેમ બારણાં પણ ઉઘાડ્યાં નહીં. પછી તેનો પિતા ભીંત ઓળંઘીને જ્યારે અંદર ગયો, ત્યારે તેણે પુત્ર ને હસતો જોયો, અને તેથી તેણે ઠપકો આપ્યો, ત્યારે તે કહેવા લાગ્યો કે તમોએ મને કહ્યું છે કે, વડીલોને સામો ઉત્તર ન દેવો!' એ પ્રમાણે બીજું દષ્ટાત. શ્રી અજીતનાથ વિગેરે બાવીસ તીર્થકરના સાધુઓના ઋજુ અને જાણપણાનું દૃષ્ટાંત-- કેટલાંક અજિતજિનના સાધુઓ નટને જોઈને ઘણે કાળે આવવાથી, ગુરુ મહારાજે પૂછયું, ત્યારે તેઓએ જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy