SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ *** *** ***(શીવપ Q +++++++++++જરૂર અચળ રહ્યા ૨૦. આવી રીતે તે દુષ્ટ સંગમદેવે એક રાત્રિમાં મોટા મોટા વીશ ઉપસર્ગો કર્યા, છતાં જગબંધુ પ્રભુએ તો તેના તરફ દયાદષ્ટિ રાખી, અને ધ્યાનમાં અચલ રહી ક્રોધનો અંશ પણ આવવા દીધો નહિ. અહીં કવિ ઉન્મેલા કરે છે કે 'बलं जगद्ध्वंसन-रक्षणक्षम, कृपा च सा सङ्गमके क तागसि। इतीव संचिन्त्य विमुच्य मानसं, रुषेव रोषस्तव नाथ ! निर्ययौ ॥१॥' “હે નાથ! આપનું બળ જગતનો વશ કરવા અને જગતનું રક્ષણ કરવા સમર્થ હતું. છતાં આપનો મહા અપરાધ કરનારા સંગમદેવ ઉપર પણ આપે કોઇ અલૌકિક કૃપા કરી. આ પ્રમાણે વિચારીને જાણે રોપ કરીને ક્રોધ આપના મનને ત્યજીને ચાલ્યો ગયો ૧.” અર્થાત ક્રોધે વિચાર્યું કે- આટલું આટલું બળ હોવા છતાં ખરે વખતે પણ પ્રભુએ મારો જરા પણ ઉપયોગ ન કરતાં છેવટ સુધી દયાનો જ ઉપયોગ કર્યો, તો પછી મારે પ્રભુના ચિત્તમાં શા માટે નકામો નિવાસ કરવો? એમ રોષ લાવીને જાણે ક્રોધ પ્રભુનું ચિત્ત ત્યજીને ચાલ્યો ગયો. સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ વિહાર કરીને જ્યાં જયાં જતા ત્યાં ત્યાં સંગમદેવ આહારને અનેષણીય કરી નાખતો, તથા બીજા પણ વિવિધ પ્રકાર ઉપસર્ગો કરતો. આવી રીતે છ મહિના સુધી તે દુષ્ટ દેવે કરેલા ઉપસર્ગોને સહન કરતા પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યા. એક વખતે વિચરતા છતાં પ્રભુ વજ નામના ગામ આવ્યા. પ્રભુએ વિચાર્યું કે હવે છ મહિને તે દેવ ગયો હશે' એમ વિચારી છ માસી તપનું પારણું કરવા જેવાં તે વજ ગામના ગોકુળમાં ગોચરી માટે ગયા, ત્યાં પણ તે દેવે આહારને અનેકણીય કરી નાખ્યો. પ્રભુ જ્ઞાનથી તે દેવે કરેલી અનેષણા જાણી તુરત પાછી ફરી તે ગામની બહરા આવી પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે દેવે અવધિજ્ઞાનથી જોયું તો પ્રભુના અસ્મલિત વિશુદ્ધ પરિણામ જોયા. તેણે વિચાર્યું કે- “અહો! છ મહિના સુધી નિરંતર ઉપસર્ગો કરવા છતાં આ મુનિ ચલિત થયા નહિ, અને હજુ પણ ગમે તેટલા ઉપસર્ગ કરીશ તો પણ ચલિત થાય તેમ નથી.' એમ વિચારી તે દેવ ખિન્ન મનવાળો થઇ, પ્રભુને નમી, કરેલા અપરાધથી લજ્જા પામી પ્લાનમુખે બોલ્યો કે-“હે સ્વામી! શકેન્દ્ર સુધર્માસભામાં આપના સત્ત્વની જેવી પ્રશંસા કરી હતી તેવા જ સત્ત્વશાળી આપને મેં પ્રત્યક્ષ અનુભવ્યા. હે પ્રભુ! મેં આપના ઘણા અપરાધ કર્યા, તેની ક્ષમા કરો'. આ પ્રમાણે કહી, વીલખો થઇ શક્રની બીકથી પ્રભુને વંદન કરી તે સૌધર્મ દેવલોક તરફ ચાલ્યો. ત્યાર પછી તે જ ગોકુળમાં જતા પ્રભુને ઘરડી ગોવાળણે દૂધપાકથી પારણું કરાવ્યું, તે દાનથી સંતુષ્ટ થયેલા દેવોએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. આટલો વખત સૌધર્મવાસી દેવ-દેવીઓ આનંદ રહિત થઇ ઉદ્વેગ ધરી રહ્યા હતા. શક્રેન્દ્ર પણ ગાયન નાચ વિગેરેથી વિમુખ બની, “અહો! મેં પ્રભુની પ્રશંસા કરી, તેથી જ તે નીચ સંગમે પ્રભુને ઉપસર્ગો કર્યા, તેથી પ્રભુને ઉપસર્ગો થવાનું કારણ હું જ થયો”. એમ ચિંતાવતો, દીનદષ્ટિવાળો હાથ ઉપર મસ્તક ટેકવી દુઃખપૂર્ણ વ્યગ્ર ચિત્તે બેઠો હતો. હવે છ મહિના સુધી ઘોર ઉપસર્ગો કરવા છતાં પ્રભુને ચલાયમાન ન કરી શકવાથી ભ્રષ્ટ થયેલી પ્રતિજ્ઞા વાળા અને શ્યામ મુખવાળા તે અધમ સંગમદેવને આવતો દેખી ઇન્દ્ર તેનીથી પરામુખ થઇ દેવો પ્રતિ બોલ્યો કેહે દેવો! કર્મચંડાલા પાપાત્મા આવે છે, એ નીચ દેવનું મુખ જોવામાં આવે તો પણ મહાપાપ લાગે. એણે આપણા સ્વામીને ઘણી કઈથના કરીને મારો મોટો અપરાધ કર્યો છે, એ પાપી જેમ આપણાથી ડર્યો નહિ. તેથી અપવિત્ર એ દુરાત્માને સ્વર્ગમાંથી જલ્દી કાઢી મૂકો”. આ પ્રમાણે કહી ક્રોધથી ઇન્દ્ર તેને ડાબા પગની લાત મારી ફિટકાર આપ્યો. તે વખતે ઇન્દ્રના હથિયારબંધ સુભટો લાકડી ,પાટુ, મુષ્ટિ વિગેરેથી પ્રહાર કરતા કરતા તેને ધક્કા મારી સભામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy