SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કરસંક્ર મ કશ્રીવત્વપૂર્ણમ્ અરજwઅઅઅક્ષર અટ્ટાહાસ વિગેરે ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો ૧૧. પરંતુ પ્રભુને જરા પણ ક્ષોભ ન પામેલા દેખી નિર્દય સંગમદેવે વાઘનું રૂપ વિકવ્યું. તે વાઘ વજ જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નોરથી પ્રભુના શરીરને વિદારવા લાગ્યો ૧૨. છતાં પણ પ્રભુને ધ્યાનમાં અડગ રહેલા જોઇ તે દેવે પ્રભુનાં માતા-પિતા-સિદ્ધાર્થ રાજા અને ત્રિશલામાતાનું રૂપ વિકુવ્યું. તેઓ કરુણાવિલાપ કરવા લાગ્યાં કે-હે પુત્ર! તે આવી દુષ્કર દીક્ષા શા માટે લીધી, અમે ઘણાં દુ:ખી થઇ જ્યાં ત્યાં રઝળીએ છીએ માટે નિરાધાર થઈ ભટકતા એવા અમારી તું સાર કર, હે પુત્ર! તું ડાહ્યો છતાં અત્યારે અમારી સામે પણ કેમ જોતો નથી? ૧૩. આવા કરુણ વિલાપથી પણ જ્ઞાની પ્રભુનું મન લિપ્ત થયું નહિ, ત્યારે તે દેવે એક છાવણી વિતુર્થી. તે છાવણીના માણસોએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂક્યું, અગ્નિ એટલો બધો વધારી દીધો કે પ્રભુના પગ નીચે પણ બળવા લાગ્યો ૧૪. છતાં એકાગ્ર ધ્યાને રહેલા પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તે નિર્દય દેવે એક ચાંડાલ વિકુ. ચંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં બે ભુજામાં અને જંઘા વિગેરે અવયવો ઉપર પક્ષીઓનાં પાંજરા લટકાવ્યાં. તે પછીઓએ ચાંચ અને નખના પ્રહાર એટલા બધા કર્યા કે, જેથી પ્રભુનું શરીર પાંજરા જેવું સેંકડો છિદ્રવાળું થઇ ગયું ૧૫. તે ઉપસર્ગથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તેણે પ્રચંડ પવન વિક્ર્લો, પર્વતોને પણ કંપાવતા તે પવને પ્રભુને ઉપાડી ઉપાડી ને નીચે પછાડયા ૧૬. તેવા ઉગ્ર પવનથી પણ પ્રભુ ચલિત ન થયા, ત્યારે તેણે તત્કાળ વંટોળિયો વાયુ વિકર્યો. તે વંટોળિયએ કુંભારના ચાકડા પર રહેલા માટીના પીંડાની પેઠે પ્રભુને ખૂબ ભમાડયા ૧૭. છતાં ધ્યાનના તાનમાં તન્મય બનેલા પ્રભુએ જરા પણ ધ્યાન છોડ્યું નહિસંગમદેવે વિચાર્યું કે “ઉપસર્ગ કરી કરીને હું થાક્યો, પણ વજ જેવા કઠિન મનવાળા આ મુનિને ચલિત કરી શકયો નહિ. ઇન્દ્રસભામાં પ્રતિજ્ઞા કરીને આવેલો હું આવી જ રીતે પાછો જઈ કેવી રીતે મોટું દેખાડીશ? આ મુનિ પણ કોઈ વિચિત્ર છે કે જીવતો રહે ત્યાં સુધી ધ્યાન છોડે તેમ નથી. માટે હવે તેના પ્રાણનો નાશ કરવાથી જ તેનું ધ્યાન નાશ પામશે તે સિવાય બીજો ઉપાય નથી”. એમ વિચાર કરી તે નીચ દેવે હજાર ભાર જેટલા વજનવાળું એક કાળચક્ર વિકુવ્યું. તે કાળચક્રને ઉપાડી સંગમદેવે જોરથી પ્રભુના શરીર પર નાખ્યું. જે કાળચક્ર મેરુપર્વતના મજબૂત શિખર પર પડયું હોય તો તેના પણ ચૂરેચૂરા કરી નાખે, એવું તે કાળચક્ર પ્રભુના શરીર પર પડવાથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા ૧૮ છતાં પ્રભુ તો નિશ્ચલ ચિત્તે ધ્યાન માં જ મગ્ન રહ્યા. પોતાની ધારણ પાર ન પડવાથી સંગમદેવે વિચાર્યું કે-“અરે મોટા પર્વતને પણ ચૂરેચૂરા કરી નાખનાર કાળચક્ર પણ કાંઈ કરી શક્યું નહિ, તેથી જણાય છે કે આ મુનિને શસ્ત્રાદિ તો કાંઇ કરી શકે તેમ નથી આવા પ્રતિકૂલ ઉપસર્ગોથી આ મુનિ ચલિત થવાને બદલે ઉલટા વધારે દૃઢ થતા જાય છે, માટે હવે તો અનુકૂલ ઉપસર્ગ કરી ધ્યાનથી ભ્રષ્ટ કરી નાખું”. એમ વિચારી તેણે રાત્રિ હોવા છતાં પ્રભાત વિકવ્યું. અને માણસો ઉત્પન્ન કર્યા. તેઓ ફરવા લાગ્યા, અને પ્રભુને કહેવા લાગ્યા કે-“હે દેવાર્ય! પ્રભાત થઇ જવા છતાં હજુ આપ કેમ ઉભા છો? આપના ધ્યાનનો વખત પૂરો થઈ ગયો છે. પણ પ્રભુ તો પોતાના જ્ઞાન વડે રાત્રિ જાણે છે ૧૯. પ્રભુને હજુ પણ નિશ્ચળ રહેલા દેખી તેણે દેવઋદ્ધિ વિકુર્તી, અને વિમાનમાં બેસી પ્રભુને લોભાવવા બોલ્યો કે- “મહર્ષિ! હું આપનું આવું ઉગ્ર તપ અને સત્ત્વ દેખી સંતુષ્ટ થયો છું. માટે આપને જે જોઇએ તે માગી લ્યો. કહો તો આપને સ્વર્ગમાં લઈ જાઉં, અને કહો તો મોક્ષમાં લઇ જાઉં”. આવી રીતે મીઠા શબ્દો બોલી તે સંગમ દેવે ઘણે પ્રકારે પ્રભુને લોભાવ્યા, છતાં નિર્લોભી પ્રભુ ધ્યાનથી ચલિત ન થયા, ત્યારે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિક્ર્વી તે દેવાંગનાઓ હાવભાવાદિ ઘણા અનુકૂલ ઉપસર્ગો કરવા લાગી, છતાં પ્રભુ જરા પણ ક્ષોભ ન પામતાં ધ્યાનમાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy