SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रम् શક્તિ જોઇ વૈશ્યાયન વિસ્મય પામ્યો, અને નમ્રતાથી બોલ્યો કે-‘હે ભગવાન્! મેં આપનો આવો પ્રભાવ જાણ્યો નહોતો, માટે મારા વિપરીત આચરણની ક્ષમા કરો’. આ પ્રમાણે કહી તે તાપસ ગયા પછી ગોશાળે પ્રભુને પૂછ્યું કે- ‘હે ભગવાન! આ તેજોલેશ્યાલબ્ધિ શી રીતે પ્રાપ્ત થાય?” સર્પને દૂધ પાવા પેઠે ગોશાળાને તેજોલેશ્યાની વિધિ શીખવાડવાથી ભવિષ્યમાં અનર્થનું કારણ થશે, એમ જાણવા છતાં પ્રભુએ ભાવિભાવ અવશ્ય થવાનો વિચારી ગોશાળને તેજોલેશ્યાનો વિધિ આ પ્રમાણે શીખવાડ્યો “જે મનુષ્ય સૂર્યની આતાપના પૂર્વક હમેશાં છટ્ટ કરે, અને એક મૂઠી અડદના બાકળા તથા અંજલિ માત્ર ગરમ પાણીથી છઠ્ઠનું પારણું કરે, તે મનુષ્યને છ માસને અંતે તેજોલેશ્યાલબ્ધિ પ્રાપ્ત થાય.’’ ત્યાંથી વિહાર કરી પ્રભુ પાછા સિદ્ધાર્થપુર તરફ જતા હતા, માર્ગમાં પેલા તલના છોડવાનો પ્રદેશ આવ્યો. ત્યારે ગોશાળો બોલ્યો કે‘હે સ્વામી! આપને મેં જે તલના છોડવા માટે પૂછ્યું હતું તેમાં આપના કહેવા મુજબ તલ થયા નથી, જો એ જ તલનો છોડવો આ ઉભો’. તલનો છોડવો દેખવા છતાં પ્રભુના વચન ઉપર શ્રદ્ધા ન રાખતા ગોશાળાએ તે છોડવાની શીંગ ચીરી જોઇ તો તેમાં બરાબર સાત તલ નીકળ્યા. તે જોઇ ગોશાળાએ પોતાની મતિકલ્પનાના પ્રમાણે એવો મત બાંધ્યો કે-જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે તે પ્રાણીઓ તેજ શરીરમાં પાછા પરાવર્તન કરીને ત્યાંને ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મત સ્વીકાર્યો તથા જે થવાનું હોય તે થાય જ છે એ પ્રમાણે અગાડી સ્વીકારેલા નિયતિવાદને તેણે ગાઢ કર્યો. ત્યાથી ગોશાળો તેજોલેશ્યા સાધવા માટે પ્રભુથી છૂટો પડી શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં તેણે એક કુંભારની શાળામાં રહી પ્રભુએ કહેલા વિધિથી છ માસ પર્યંત તપ કરી તેજોલેશ્યા સિદ્ધ કરી. એક વખતે શ્રીપાર્શ્વનાથ પ્રભુના છ સાધુઓ કે જેઓ સંયમ ન પાળી શકવાથી ગૃહસ્થ થયા હતા, અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગોશાળાને મળ્યા. તેમની પાસે ગોશાળો અષ્ટાંગ નિમિત્ત ભણ્યો. આવી રીતે તેજોલેશ્યાલબ્ધિ અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતો ગોશાળો ‘હું સર્વજ્ઞ છું’ એ પ્રમાણે પોતાની પ્રસિદ્ધિ કરતો પૃથ્વી પર વિચ૨વા લાગ્યો. હવે સિદ્ધાર્થપુરથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી પધાર્યા, ત્યાં સિદ્ધાર્થ રાજાના મિત્ર શંખ નામના ગણરાજે પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ વાણિજ નામના ગામે આવી બહારના કોઇ પ્રદેશમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં આનંદ નામનો શ્રાવક રહેતો હતો, તે હમેશાં છટ્ઠ તપ કરતો, અને સૂર્યની આતાપના લેતો હતો, શ્રાવકની ઉત્કૃષ્ટ ક્રિયા કરતા તપસ્વી આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પ્રભુ પાસે આવી વંદન કરી બોલ્યો કે-“હે પ્રભુ! આપને ધન્ય છે કે આવા ધોર ઉપસર્ગો પડવા છતાં આપે સમભાવે સહન કર્યા, હે નાથ! હવે આપને થોડા જ વખતમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.’’ ઇત્યાદિ પ્રભુની સ્તુતિ કરી આનન્દ શ્રાવક પોતાને ઘેર ગયો. પ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તી નગરીએ પધાર્યા, ત્યાં દસમું ચાતુર્માસ વિવિધ તપ વડે સંપૂર્ણ કર્યું. સંગમદેવના ઉપસર્ગોઃ ચાતુર્માસ પૂરું થતાં પ્રભુ નગરીની બહાર પારણું કરી વિચરતા અનુક્રમે ઘણા મ્લેચ્છ લોકોથી ભરપૂર એવી દૃઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પોલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અઠ્ઠમ તપ સ્વીકારી પ્રવેશ કર્યો, અને એક રાત્રિની પ્રતિમા ધરી રહ્યા. હવે આ વખતે શક્રેન્દ્રે પોતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન રહેલા જોઇ તુરત સિંહાસન પરથી ઉતરી જઇ પ્રભુને વંદન કર્યું. પછી ઇન્દ્ર પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં પોતાની સુધર્માસભામાં બેઠેલા દેવો સમક્ષ કહ્યું કે- ‘‘અહા! શ્રીવીર પ્રભુ અત્યારે કેવા ધ્યાનમગ્ન થઇ રહ્યા છે, વાહ! કેવા ધીર બની અડગ ચિત્તે ઉભા છે? તેમના એ ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા કદાચ ત્રણ જગતના પ્રાણીઓ એકઠા Jain Education International 141 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy