SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ માં શ્રીરત્વસૂત્રમ્ સ્વામી સાથે જ રહેવું સારું છે' એમ વિચારી પ્રભુની શોધ કરવા લાગ્યો. પ્રભુ વિચરતા વૈશાલી નગરી પહોંચ્યા, ત્યાં એક લુહારની શાળા ખાલી દેખી લોકોની આજ્ઞા લઇ તેમાં પ્રતિમાધ્યાને રહ્યા. તે શાળાનો સ્વામી લુહાર છ મહિના રોગથી પીડાઇ સાજો થયો હતો, તેથી તે જ દિવસે લોઢું ઘડવાનાં હથિયાર લઇ પોતાની શાળામાં આવ્યો. ત્યાં પ્રભુને જોઇ અપશુકન થયેલું જાણી ઘણ વડે પ્રભુને હણવા તૈયાર થયો, તે વખતે અવધિજ્ઞાન વડે ઇન્દ્રે જાણી તુરત ત્યાં આવી તે જ ઘણ વડે લુહારને મારી નાખ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ગ્રામાક નામના સન્નિવેશમાં ગયા ત્યાં ઉદ્યાનમાં કાઉસગ્ગધ્યાને રહેલા પ્રભુનો વિભેલક નામના યક્ષે મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષ નામના ગામે પધાર્યા, અને ત્યાં ઉદ્યાનને વિષે મહા મહિનાની કડકડતી ટાઢમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં એક વિજયવતી નામે અણમાનીતી રાણી હતી, તે વિજયવતી મરીને ઘણા ભવભ્રમણ કરી કટપૂતના નામે વ્યંતરી થઇ હતી. તે વ્યંતરીએ પ્રભુને દેખી પૂર્વભવનું વૈર સંભારી વૈરનો બદલો લેવા તાપસીનું રૂપ વિકુલ્યું, અને જટામાં હિમ જેવું ઠંડુ જળ ભરી તે પ્રભુના શરીર પર છાંટવા લાગી. તે જળ વડે પ્રભુને એવો તો શીત ઉપસર્ગ કર્યો કે બીજો માણસ તો તે ઠંડીથી ઠરી જાય. આવી રીતે આખી રાત્રિ તે ઉપસર્ગ કરવા છતાં પ્રભુને નિશ્ચળ દેખી વ્યંતરી શાંત થઇ, અને વૈર છોડી પ્રભુની સ્તુતિ કરવા લાગી. ઉપસર્ગને સમભાવે સહન કરતા અને છટ્ઠ તપ વડે વિશુદ્ધ થતા પ્રભુને તે વખતે લોકાવધિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા, ચોમાસી તપ વડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહો વડે આત્માને ભાવતા છતાં છઠ્ઠું ચોમાસું રહ્યા. ત્યાં ગોશાળો પ્રભુને શોધતો ફરી ફરીને પાછો છ મહિને આવીને મળ્યો. પ્રભુએ ચોમાસી તપનું પારણું નગરીની બાહર કરી ૠતુબદ્ધ એવા મગધદેશમાં ઉપસર્ગ રહિતપણે વિચરવા લાગ્યા. મગધદેશમાં આઠ માસ ઉપસર્ગ રહિત વિચરી શ્રમણ ભગવાન્ શ્રીમહાવીર આલંબિકા નગરીએ ચાતુર્માસ કરવા પધાર્યા, ત્યાં ચોમાસી તપ વડે સાતમું ચાતુર્માસ પૂરું કરી તે નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ કુંડગ સન્નિવેશમાં વાસુદેવના ચૈત્યમાં પ્રતિમાધ્યાને રહ્યા. કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરી મર્દન ગામ પધાર્યા, અને બળદેવના મંદિરમાં પ્રતિમાધ્યાને રહ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ બહુશાલ ગામના શાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમાધ્યાને રહ્યા. ત્યાં રહેતી શાળાર્યા નામે વ્યંતરીએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનસ્થ પ્રભુને જરાપણ ચલાયમાન ન કરી શકવાથી તે વ્યંતરીએ પોતાનો અપરાધ ખમાવી પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ લોહાર્ગલ ગામ પધાર્યા, ત્યાં રાજ્ય કરતા જિતશત્રુ ગામના અમલદારોએ મૌનધારી પ્રભુને તથા ગોશાળાને ખાનગી જાસૂસ જાણી પકડી રાજા પાસે લઇ ગયા. ત્યાં પ્રથમથી આવેલો ઉત્પલ નિમિત્તિયો પ્રભુને ઓળખી તુરત ઉભો થઇ ગયો, અને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કરી રાજાને હ્યું કે-રાજ! આ જાસૂસ નથી, પણ સિદ્ધાર્થરાજાના પુત્ર । શ્રીવર્ધમાન સ્વામી છે. રાજાએ આ હકીકત સાંભળી તુરત પ્રભુને તથા ગોશાળાને મુક્ત કર્યા, અને પોતાનો અપરાધ ખમાવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ પુરિમતાલ નામના નગરે ગયા, ત્યાં શકટ મુખનામના ઉદ્યાનમાં શ્રીમલ્લિનાથ પ્રભુનું મંદિર હતું. તે ઉદ્યાન અને નગરની વચ્ચેના કોઇ પ્રદેશમાં પ્રભુ પ્રતિમાધ્યાને રહ્યા. આ અરસામાં તે નગરનો વર્ગ્યુર નામનો શ્રાવક શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરવા માટે નગરમાંથી શકટમુખ ઉદ્યાન તરફ જતો હતો, તે વખતે ઈશાનેન્દ્ર શ્રીમહાવીર પ્રભુને વંદન કરવા આવેલો, તેણે વન્ગ્યુર શેઠને પૂજા કરવા જતો જોઇ કહ્યું કે -‘હે વર્ગુર! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરી જિનેશ્વરના બિંબને પૂજવા માટે આગળ કેમ જાય છે? આ છેલ્લા તીર્થંકર શ્રીમહાવીર પ્રભુ છે તેઓ છદ્મસ્થપણે વિચરતા અહીં મગ 139 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy