SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને અલૌકિક મહાત્મા જાણી પોતાનો અપરાધ ખમાવતા પ્રભુને ચરણે પડ્યા. ત્યાં વિહાર કરી પ્રભુ ચોરાક સન્નિવેશ ગયા, ત્યાં એક માંડવામાં ઉત્તમ ભોજન રંધાતું દેખી ‘ભોજન તૈયાર થવાને હવે કેટલી વાર છે?” તે તપાસવા ગોશાળો છાનોમાનો લપાઇને નીચો વળી વારંવાર જોવા લાગ્યો. તે ગામમાં ચોરની ઘણી રંજાડ હતી, તેથી લપાઇને વારંવાર જોતા ગોશાળાને ચોર જાણી લોકોએ પકડીને માર્યો. તેથી ક્રોધાવેશમાં આવેલા ગોશાળાએ શાપ દીધો કે-“મારા સ્વામીનું તપતેજ હોય તો આ માંડવો બળી જાઓ”. પ્રભુનું નામ લઇ શાપ આપેલો હોવાથી પ્રભુના ભક્ત વ્યંતરોએ તે માંડવો બાળી નાખ્યો. ત્યાંથી પ્રભુ કલબુકા નામના સન્નિવેશમાં પધાર્યા, ત્યાં મેઘ અને કાળહસ્તી નામના બે ભાઇ પર્વતના રક્ષક તરીકે અધિકારી હતા. કાળહસ્તીએ મૌનધારી પ્રભુને અને ગોશાળાને ચોર જાણી પકડ્યા, અને પોતાના ભાઇ મેઘને સોંપ્યા. મેઘ પહેલાં સિદ્ધાર્થ રાજાનો નોકર હતો, તેણે પ્રભુને ઓળખ્યા, અને પોતાના ભાઇએ કરેલો અપરાધ ખમાવી પ્રભુને તથા ગોશાળાને છોડી મૂક્યા. તે કલંબુકા સન્નિવેશથી વિહાર કરી શ્રી મહાવીર પ્રભુ ક્લિષ્ટકર્મોની નિર્જરા કરવા માટે દેશમાં ગયા તે દેશના લોકો ક્રૂર સ્વભાવી હતા, તેથી પ્રભુએ ત્યાં ઘોર ઉપસર્ગો સહન કરી ઘણાં કર્મ ખપાવ્યાં. તે દેશમાં વિચરતા પ્રભુ અનુક્રમે પૂર્ણકળશ નામના અનાર્ય ગામ તરફ જતા હતા, રસ્તામાં બે ચોર મળ્યા, તેઓ પ્રભુને દેખી અપશુકન થયું જાણી તલવાર ઉગામી પ્રભુને હણવા દોડ્યા, તે વખતે ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી હણવાદોડેલા ચોરોને જાણી વજ વડે મારી નાખ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરી પધાર્યા, ત્યાં પાંચમું ચોમાસું રહ્યા, અને ચોમાસી તપ કર્યો. ચોમાસી તપનું પારણું નગરીની બહાર કરીને પ્રભુ અનુક્રમે તંબાલ નામના ગામે ગયા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુની સંતાનીય નંદિષેણ નામના બહુશ્રુત વૃદ્ધ આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સહિત આવ્યા હતા. ગોશાળાએ જેમ મુનિચંદ્રસૂરિના શિષ્યોનો તિરસ્કાર વિગેરે કર્યું હતું તેમ આ નંદિપેણ આચાર્યના શિષ્યોને પણ તિરસ્કાર વિગેરે કર્યું. રાત્રિએ નંદિષેણસૂરિ ઉપાશ્રયની બહાર કાઉસગ્ગ ધરીને સ્થિર રહ્યા, તે વખતે ચૌકી કરવાને નિકળેલા તે ગામના કોટવાળના પુત્રે ચોરની ભ્રાંતિથી તે આચાર્યને ભાલાથી હણ્યા, છતાં તેઓ શુભધ્યાનથી ચલિત થયા નહિ. તે વેદનાને સહન કરતા તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને કાળધર્મ પામી દેવલોકે ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૂપિક નામના સન્નિવેશમાંગયા. મૌન ધરીને રહેલાં પ્રભુને ત્યાંના અધિકારીઓએ ગુપ્ત જાસૂસ જાણી ગોશાળા સાથે પકડયા. તે ગામમાં વિજયા અને પ્રગલ્યા નામની બે સંન્યાસિની રહેતી હતી. તેઓ બન્ને પ્રથમ તો શ્રી પાર્શ્વનાથ પ્રભુની સંતાનીય સાધવીઓ હતી, પણ સંયમ ન પાળી શકવાથી પાછળથી સંન્યાસિની થઇ હતી. તે વિજયા અને પ્રગભાએ પ્રભુને ઓળખી અધિકારીઓને કહ્યું કે “અરે મૂર્ખા! આ સિદ્ધાર્થરાજાના પુત્ર જગત ઉદ્ધારક ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભ છે. ઇન્દ્રને પણ પુજનીય આત્માને પકડવાથી તમને કેવા અનર્થ ભોગવવા પડશે એ શું તમે નથી જાણતા? માટે હવે તેમને જલદી છોડી મૂકો”. આવાં વચન સાંભળી ભયભીત બનેલા તેઓએ ગોશાળા સહિત પ્રભુને તુરત છોડી મૂક્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં બે રસ્તા આવ્યા, ત્યારે ગોશાળો બોલ્યો કે-“હે સ્વામી! મને લોકો માર મારે છે, છતાં આપ તો મૌન રહી કોઈને વારતા પણ નથી, માટે હું આપની સાથે નહિ આવું”. એમ કહી ગોશાળો ત્યાંથી છૂટો પડી બીજે માર્ગે ચાલ્યો, અને પ્રભુ વૈશાલીને માર્ગે ચાલ્યા. ગોશાળાને માર્ગમાં પાંચસો ચોર મળ્યા, તેઓએ “મામો! મામ! કહી વારા ફરતી ગોશાળાના ખભા ઉપર બેસી તેને એવો તો ફેરવ્યો કે શ્વાસ માત્ર બાકી રહ્યો ત્યારે છોડ્યો. આથી ગોશાળો ખિન્ન થઈ વિચાર કરવા લાગ્યો કે - “આ કરતાં તો (************ **138 ***************** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy