SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અ મ (શ્રીeqખૂણમ કર કર કરે છે અકસ્મ ત્યાંથી વિહાર કરી પ્રભુ પૃષ્ઠચંપા નગરીમાં પધાર્યા. પ્રભુએ ત્યાં ચોમાસી તપ વડે તે ચોથું ચાતુર્માસ નિર્ગમન કરી - પૃષ્ઠચંપાની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી શ્રી મહાવીર પ્રભુ કામંગલ નામના સન્નિવેશમાં ગયા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા, અને નગરીની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ભોજન સમયે ભિક્ષા માટે જતા ગોશાળાએ પ્રભુને પૂછ્યું કે-“સ્વામી! આજે મને કેવો આહાર મળશે?”. સિદ્ધાર્થે કહ્યું કે“આજે તો તુ મનુષ્યનું માંસ ખાઈશ”. ગોશાળાએ વિચાર કર્યો કે- “જ્યાં માંસની ગંધ પણ ન હોય તેને સ્થાને આજે ભિક્ષા લેવી'. આ પ્રમાણે નિશ્ચય કરી સાવધાન થઈવૈશ્યોને જ ઘેર ભિક્ષા માટે ફરવા લાગ્યો. હવે તે નગરીમાં પિતૃદત્ત નામે વૈશ્ય હતો, તેને શ્રીભદ્રા નામે સ્ત્રી હતી. શ્રી ભદ્રાને મરેલા જ બાળક અવતરતાં, તેથી તેણીએ શિવદત્ત નામના નિમિત્તિયાને આ દોષ નિવારવાના ઉપાય પૂછયો. શિવદત્તે કહેલું કે “જ્યારે તને મરેલ સંતાન જન્મે, ત્યારે તે મરેલા બાળકનું માંસ દૂધપાક સાથે ભેળવી દઈ કોઈ ભિક્ષુકને આપજે, તેમ કરવાથી તને જીવતા બાળક અવતરશે". હવે શ્રીભદ્રાને તે જ દિવસે મરેલું બાળક અવતરેલું, તેથી તેણીએ તે મરેલા બાળકનું માંસ દૂધપાક સાથે ભેળવી તૈયાર રાખ્યું હતું. ગોશાળો ફરતો ફરતો ત્યાં આવ્યો, વાટ જોઇને બેઠેલી તેણીએ તુરત ઉભા થઇ તે દૂધપાક ગોશાળાને આપ્યો, અને “આ સાધુને માંસની ખબર પડતાં શાપ આપશે તો ઘર બાળી નાખશે.” એવા ભયથી તેણીએ ગોશાળો ગયો કે તુરત ઘરનું બારણું ફેરવી નાખ્યું. ગોશાળો તે દૂધપાકને શુદ્ધ જાણી ખાઈ ગયો, અને પ્રભુ પાસે આવી વૃત્તાંત નિવેદન કર્યું. પણ સિદ્ધાર્થે તે દૂધપાક સંબંધી મૂળ વાત કહી જણાવી, ત્યારે ગોશાળએ નિર્ણય કરવા મુખમાં આંગળી નાખી વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું. દૂધપાક સાથે માંસ ભેળવી પોતાને ઠગનારી તે બાઈ ઉપર ગોશાળાને ગુસ્સો ચડયો, અગે શાપ આપી તેણીનું ઘર બાળી નાખવા તુરત ત્યાં આવ્યો, પણ બારણું ફેરવી નાખેલું હોવાથી ઘર ઓળખી શક્યો નહિ. પછી ગોશાળો બોલ્યો કે “જો મારા ધર્માચાર્યનું તપતેજ હોય તો આ પાડો બળી જાઓ”. સાનિધ્યમાં રહેલા વ્યંતરોએ પ્રભુનું માહાત્મ અન્યથા ન થાઓ', એમ વિચારી તે આખા પાડાને બાળી નાખ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સન્નિવેશની બહાર હરિદ્ર વૃક્ષ નીચે કાઉસગ્નધ્યાને રહ્યા. એ જ વૃક્ષ નીચે રાતવાસો રહેલા મુસાફરોએ ટાઢને લીધે રાત્રિએ અગ્નિ સળગાવેલો, પણ સવાર થતાં તેઓ અગ્નિને બુઝાવ્યા વગર જ પોતપોતાને રસ્તે ચાલતા થયા. અગ્નિ ધીરે ધીરે ફેલાતો પ્રભુ પાસે આવ્યો, છતાં કર્મરૂપ ઇંધનને બાળવા માટે ધ્યાનરૂપ અગ્નિની જેમ તે અગ્નિને પણ માનતા થકા પ્રભુ જરા પણ ખસ્યા નહિ, તેથી તે અગ્નિથી પ્રભુના પગ દાઝયા. ગોશાળો તો અગ્નિ દેખી નાસી ગયો!, અને અગ્નિ ઓલવાઈ ગયા પછી પાછો પ્રભુ પાસે આવ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ બંગલા નામના ગામે આવ્યા, અને વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં કૌતુકી ગોશાળો આંખના વિકારો કરી ગામના બાળકોને બીવરાવવા લાગ્યો, તે જોઈ ભયભીત બની નાસભાગ કરતા બાળકોના પિતાઓ વિગેરે આવ્યો, અને ગોશાળાને ઘણો માર મારી મુનિ પિશાચ વિગેરે તિરસ્કારના શબ્દો કહી છોડી મૂક્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ આવર્ત ગામ પધાર્યા, અને ત્યાં બળદેવ મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ ગોશાળા બાળકોને બીવરાવવા મુખનાવિકાર કરવા લાગ્યો, તે જોઈ ભયવિહ્વળ બની નાસભાગ કરતા બાળકોના પિતાઓ વિગેરે આવ્યા, તેઓએ મુખના ચાળા કરતા ગોશાળાને ગાંડો ભિક્ષુક સમજી, “આવા ગાંડા માણસને મારવાથી શું? માટે આવા શિષ્ય ને નિષેધ ન કરતાં તેના ગુરુને જ મારીએ” એમ વિચારી તે દુર્બદ્ધો જેવા પ્રભુને મારવા તૈયાર થયા, તેવામાં બળદેવની મૂર્તિએ જ હળ ઉપાડી તેઓને અટકાવ્યા. તે જોઈ આશ્ચર્યચકિત થયેલા તેઓ ૨ * અને *રઅર 137રર રરર * હરીફર કરે છે ફકર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy