SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવલ્પસૂત્રમ્ મમમમમમ તેનું ગોશાળા નામ પડયું. ગોશાળો અનુક્રમે યુવાવસ્થા પામ્યો, અને ફરતો ફરતો રાજગૃહ નગરમાં જ્યાં પ્રભુ ચાતુર્માસ રહ્યા હતા ત્યાં આવ્યો. હવે પ્રભુને માસક્ષપણ પૂરું થયું, ત્યારે તે માસક્ષપણને પારણે વિજય નામના શેઠે ફૂર આદિક વિપુલ ભોજનથી વિધિએ કરીને પ્રભુને પારણું કરાવ્યું. તે વખતે આકાશમાં ‘અહો દાનમ્' એમ ઉદ્ઘોષણાપૂર્વક દેવોએ વસુધારા વિગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. તે હકીકત સાંભળી ગોશાળે વિચાર્યું કે-“આ મુનિ કોઇ સામાન્ય નથી, કારણ કે તેમને અન્ન આપનારના ઘરમમાં પણ આવી સમૃદ્ધિ થઇ ગઇ, માટે હું તો આ ચિત્રપટનુ પાખંડ છોડી દઇને આ પ્રભાવી મહાત્માનો જ શિષ્ય થાઉં, કારણ કે આવા ગુરુ નિષ્ફળ નહિ થાય''. તે ગોશાળો આમ ચિંતવતો હતો તેવામાં પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયોત્સર્ગ કરીને રહ્યા. ગોશાળો નમીને બોલ્યો કે-‘‘હે ભગવન્! અત્યાર સુધી અજ્ઞાનથી હું આપનો પ્રભાવ જાણી શકયો નહોતો, પણ આજે મને ખબર પડી કે આપ મહાપ્રભાવી મહાત્મા છો, આજથી હું આપનો શિષ્ય થઇને આપની સાથે જ રહીશ, આપ એક જ મારું શરણ છો’’. પ્રભુ તો મૌન ધરીને જ રહ્યા, ગોશાળો ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતો પોતાની બુદ્ધિથી પ્રભુનો શિષ્ય થઇને રહ્યો. પ્રભુને બીજા માસક્ષપણનું પારણું નંદ નામના શેઠ પકવાન્નાદિ વડે કરાવ્યું. ત્રીજા માસક્ષપણનું પારણું સુનંદ નામના ગૃહસ્થે પરમાન્નાદિ વડે કરાવ્યું. ચોથું માસક્ષપણ સ્વીકારીને પ્રભુ કાર્તિક સુદ પૂર્ણિમાએ વિહાર કરી કોલ્લાક સન્નિવેશમાં પધાર્યા, ત્યાં પ્રભુને તે ચોથા માસક્ષપણનું પારણું બહુલ નામના બ્રાહ્મણે દૂધપાક વહોરાવી કરાવ્યું, તે વખતે દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. હવે જ્યારે પ્રભુએ રાજગૃહથી વિહાર કર્યો ત્યારે ગોશાળો ભિક્ષા માટે બહાર ગયો, ભિક્ષા લઇ તે પાછો પેલા શાળવીના મકાનમાં આવ્યો ત્યારે પ્રભુને જોયા નહિ. આખા નગરમાં શોધવા છતાં જ્યારે પ્રભુ મળ્યા નહિ ત્યારે તે ગોશાળો પોતાનાં ઉપકરણ બ્રાહ્મણોને આપી દઇ, દાઢી મૂંછ મુંડાવી, મસ્તક મુંડાવી ત્યાંથી ફરતો ફરતો કોલ્લાક ગામ આવ્યો. ત્યાં પ્રભુને દેખી બોલ્યો કે-“હે પ્રભુ! અત્યાર સુધી હું ગૃહસ્થ જેવો હોવાથી આપની દીક્ષાને યોગ્ય નહોતો, પણ હવે તો ઉપકરણોને છોડી દઇ નિઃસંગ થયો છું, માટે હવેથી મને આપની દીક્ષા પણ હો, હે સ્વામી! મને શિષ્ય તરીકે સ્વીકારો’. આ પ્રમાણે કહી ગોશાળો પ્રભુ સાથે રહ્યો. પ્રભુ ત્યાંથી વિહાર કરી સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા, ગોશાળો પણ સાથે જ ચાલ્યો. માર્ગમાં કેટલાક ગોવાળિયા માટીની મોટી હાંડીમાં ખીર રાંધતા હતા, તે જોઇ ગોશાળાએ પ્રભુને કહ્યું કે-‘હે સ્વામી! અહીં થોડી વાર વિશ્રાંતિ લઇએ મને તો કડકડતી ભૂખ લાગી છે, માટે આ ખીર ખાઇને આગળ ચાલીએ' . સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો કે-‘એ હાંડી ફૂટી જશે’. ગોશાળાએ તુરત ગોવાળિયો પાસે જઇ તે હકીકત નિવેદન કરી, તે સાંભળી ગોવાળિયાઓએ ખીર રાંધતાં તે હાંડીનું ઘણા યત્નથી રક્ષણ કર્યું, છતાં દૂધમાં ચોખા નાખવા જોઇએ તે કરતાં ઘણા વધારે નાખેલા હોવાથી તે ફૂલ્યા, એટલે હાંડી ફૂટી ગઇ. તે જોઇ ગોશાળાએ ‘યદ્ માાં તવ્ મવલ્હેવ-જે થવાનું હોય તે થાય જ છે ’’ એ પ્રમાણે નિયતિવાદ સ્વીકાર્યો. પ્રભુ સુવર્ણખલ પહોંચ્યા, ત્યાંથી વિહાર કરી બ્રાહ્મણગ્રામ પધાર્યા. ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઇઓના બે પાડા હતા. પ્રભુ નંદના પાડામાં ગોચરી ગયા, નંદે પ્રભુને ભક્તિથી ઉત્તમ ભોજન વહોરાવ્યું. ગોશાળો ઉપનંદના પાડામાં ઉપનંદને ઘેર ગયો, ઉપનંદે તેને વાસી અન્ન આપ્યું. વાસી અન્ન મળવાથી ગોશાળાને ઘણો ગુસ્સો ચડ્યો, અને શાપ દીધો કે-“જો મારા ધર્માચાર્યનું તપતેજ હોય તો આનું ઘર બળી જાઓ!’’. પ્રભુનું નામ લઇને આપેલો શાપ પણ નિષ્ફળ ન થવો જોઇએ' એમ વિચારતા એક નજીકમાં રહેલા દેવે ઉપનંદનું ઘર બાળી નાખ્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા, ત્યાં બે બેમાસી તપ સ્વીકારીને ત્રીજું ચોમાસું રહ્યા. છેલ્લા બે માસક્ષપણનું પારણું પ્રભુ ચંપાનગરની બાહર કરીને કાળા નામના સન્નિવેશમાં પધાર્યા, 135 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy