SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કે કરે છે કે ફકીવPસ્વલૂસમકક કકર માળાથી પણ મનોહર કંઠવાળા, સુવર્ણજડિત છેડાવાળા, સ્વચ્છ, ઉજ્જવળ, અને લક્ષ્યમૂલ્યવાળા સફેદ વસ્ત્રથી ઢંકાયાલ શરીરવાળા, હાર વડે શોભતા વક્ષસ્થળવાળા, બાજુબંધ અને કડાઓથી અલંકૃત ભુજાઓવાળા, અને કુંડળથીદાંપતા ગાલવાળા, આભૂષણો અને વસ્ત્રાદિથી અલંકૃત થયા. ત્યાર પછી પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીશ ધનુષ્ય પહોળી, છત્રીશ ધનુષ્ય ઉંચો, સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી, મણિઓ અને સુવર્ણજડિત હોવાથી વિચિત્ર દેખાતી, અને નદીમાં નદીની જેમ દેવશક્તિથી અંદર સમાએલી છે દેવઓએ કરેલી પાલખી જેમાં, એવા પ્રકારની નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલી ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવા માટે ચાલ્યા. तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जे से हेमन्ताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खे णं पाईणगामीणीए छायाए पोरिसीए अभिनिविट्टाए पमाणपत्ताए सुब्बए णं दिवसे णं विजए णं मुहूत्ते णं चंदप्पभाए सीयाए सदेवमणुयासुराए परिसाए समणुगम्ममाणं अग्गे संखिय चक्किय लंगलिय मुहमंगलिय वद्धमाण पूसमाण-घंटियगमेहिं ताहिं जाव वग्गूहिं अभिनंदभाणा य મિથુવ્યમાળા ય વં વાસી– I Sા ૧૭ 99 રૂ II (તે વાતે તે સમUT) તે કાળે અને તે સમયે (સમી માવંમહાવીર) કરેલો છે છઠનો તપ જેમણે અને વિશુદ્ધ છે વેશ્યાઓ જેમની શ્રમણ ભગવાન મહાવીર (ને સે હેમંતાઈ પઢમે માતે પહપવરવે-માસિવહતે) હેમંત ઋતુનો પહેલો માસ, પહેલું પખવાડિયું એટલે માગશર માસનું કૃષ્ણ પખવાડિયું, (તરૂ માસિવહત સમીપવā vi)તે દશમની તિથિને વિષે, (Tળામufણ આવીણ) પૂર્વ દિશા તરફ છાયા ગયા બાદ, (પારસી મિનિવિદ્યામU|પCIP) પ્રમાણ પ્રાપ્ત એટલે ન્યૂન નહિ તેમ અધિક પણ નહિ, એવા પ્રકારની પાછલી પોરસી થતાં (સુqui વિવસેvi) સુવ્રત નામના દિવસે, (વિનમુહdvi) વિજય નામના મુહૂર્તમાં (વંતપૂનાનીવાણ) ચન્દ્રપ્રભા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેઠા. પાલખીમાં બેઠેલા પ્રભુને જમણે પડખે કુળની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન પર બેઠી, ડાબે પડખે પ્રભુની ધાવ માતા દીક્ષાનું ઉપકરણ લઇને બેઠી, પાછળના ભાગમાં ઉત્તમ શ્રૃંગાર પહેરેલી સ્વરૂપવતી એક તરુણ સ્ત્રી હાથમાં સફેદ છત્ર ધરીને બેઠી, ઈશાન ખૂણામાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલો કળશ હાથમાં લઈને બેઠી, અને અગ્નિખૂણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખો લઇને ભદ્રાસન પર બેઠી. આવી રીતે સર્વપ્રકારની તૈયારી થઇ રહ્યા બાદ નંદિવર્ધન રાજાએ હુકમ કરેલા સેવકોએ તે પાલખીને ઉપાડી. પછી શકેન્દ્ર તે પાલખીની દક્ષિણ તરફની ઉપરની બાહાને, ઈશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાહાને, ચમરેન્દ્ર દક્ષિણ તરફની નીચેની બાહાને, અને બલીન્દ્ર ઉતર તરફની નીવેની બાહાને ઉપાડી. વળી ચલાયમાન થતાં કુંડલ વિગેરે આભૂષણોથી રમણીય લાગતા એવા બાકી રહેલા ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક ઇન્દ્રો પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરતા અને દુંદુભી વગાડતા પોતપાતની યોગ્યતા પ્રમાણે તે પાલખીને ઉપાડવા લાગ્યા. ત્યાર પછી શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર પાલખીની બાહા છોડીને ભગવંતને ચામર વીંઝવા લાગ્યા. આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા ત્યારે જેમ શરદ ઋતુમાં વિકસિત થયેલાં કમળો વડે પધસરોવર શોભે, પ્રફુલ્લિત થયેલું અળસીનું, કણેરનું, ચંપાનું અને તિલકનું વન શોભે, તેમ દેવોને કારણે સમગ્ર આકાશ મનોહર શોભી રહ્યું. વળી નિરંતર વાગી રહેલાં નગારાં, નોબત, ભંભા, વીણા, મૃદંગ અને દુદંભી વિગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોનો નાદ આકાશતલ અને ભૂતલ ઉપર ફેલાઈ રહ્યો. વાજિંત્રોનો કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી સ્ત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy