SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અ ******(જીવટખૂણમ કર ર ** * ** સવારી કરનાર હાથીની સવારી કરનારને કહે છે કે, તારો હાથી દૂર હઠાવી લે, નહિતર મારો આ મદોન્મત્ત કેસરી મારી નાખશે એવી રીતે પાડાની સ્વારી કરનારા ઘોડે સ્વારને, ગરુડની સવારી કરનાર , સર્પના સ્વારી કરનારને, અને ચીતરાની સ્વારી કરનાર બકરાની સ્વારી કરનારને પોતાનું વાહન દૂર હઠાવી લેવા આદર સહિત કહે છે. તે વખતે દેવોના કરોડો વિમાનો અને વિવિધ જાતિના વાહનો વડે વિશાળ આકાશમાર્ગ પણ અતિશય સાંકડો થઈ ગયો. કેટલાક દેવો તો આવા સંકડાશવાળા માર્ગમાં પણ મિત્રોને ત્યજી ચતુરાઇથી પોતપોતાના વાહનને અગાડી કરી ચાલતા થયા. આવી રીતે સ્પર્ધાસ્પધથી અગાડી અગાડી ચાલતા દેવોમાં કોઈ દેવને તેના મિત્રે કહ્યું કે, “મિત્ર! જરા મારે માટે થોડી વાર તો થોભ? હું પણ તારી સાથે જ આવું છું'. ત્યારે તે અગાડી નીકળી ગયેલા દેવે કહ્યું કે અવસર મહાપુણ્યયોગે પ્રાપ્ત થયો છે, ને કોઈ આગળ જઇને પહેલાં જ પ્રભુનું દર્શન કરશે. તેને મહાભાગ્યશાળી સમજવો, માટે અત્યારે તો હું તારા માટે થોભીશ નહિ, એમ કહી તે આગળ ચાલવા લાગ્યો, પણ મિત્રની રાહ જોઈ નહિ. વળી તેઓમાં જેમનાં વાહન વેગવાળાં અને જોરાવર હતાં, તથા પોતે પણ બલિષ્ટ હતા, તેઓ તો બધાઓ કરતાં સપાટાબંધ આગળ નીકળી જવા લાગ્યા, તે વખતે જો નિર્બળ હતા તેઓ સ્કૂલના પામતા છતાં અને ગુંચવાઈ ગયા છતાં કહેવા લાગ્યા કે અરેરે! શું કરીએ?, આજે તો આકાશ સાંકડું થઈ ગયું છે! ત્યારે વળી બીજા દેવો તેમને સાંત્વના આપતા અને કહેવા લાગ્યા કે-' હમણાં તો અવસરને માન આપી મૌન થઈને જ ચાલો, પર્વના દિવસો તો એવી રીતે સાંકડા જ હોય છે'. આવી રીતે આકાશમાં ઉતરતા દેવોનાં મસ્તક પર પડતા ચન્દ્રકિરણોથી તેઓ નિર્જર એટલે જરારહિત હોવા છતાં જાણે જરાયુક્ત થયા હોયની! એવા દેખાવા લાગ્યા, અર્થાત્ મસ્તકે પળી આવી ગયા હોયની! એવા દેખાવા લાગ્યા. વળી આકાશથી ઉતરતા તે દેવોના મસ્તકે સ્પર્શતા તારા રૂપના ઘડા સદશ, કંઠે સ્પર્શતા તારાઓ કંઠ સદશ, અને શરીરે સ્પર્શતા તારાઓ પરસેવાના બિન્દુઓ સદશ શોભવા લાગ્યા. આવી રીતે દેવોથી પરિવરેલો ઈન્દ્રનંદીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપીને ભગવંતના જન્મસ્થાન કે આવ્યો અને વિમાનમાંથી ઉતરી જિનેશ્વરને તથા જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા દઇ વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો કે-“કુખમાં રત્ન ધારણ કરનારી અને જગતમાં દીપિકા સદશ હે માતા ! તમને નમસ્કાર કરું છું. હું દેવોનો સ્વામી શકેન્દ્ર છું, તામારા પુત્ર છેલ્લા તીર્થકરનો જન્મ મહોત્સવ કરવાને હું પ્રથમ દેવલોકથી અહીં આવ્યો છું, માટે હે માતા !તમે કોઈ પ્રકારે ભય રાખશો નહિ.” એ પ્રમાણે કહીને ઇન્દ્ર ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા આપી, અને જિનેવર પ્રભુનું પ્રતિબિમ્બ કરીને માતા પાસે રાખ્યું. ત્યાર પછી જિનેશ્વર પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કરી સઘળો લહાવો-લાભ પોતે જ લેવા માટે ઇન્દ્ર પોતાનાં પાંચ રૂ૫ કર્યા. તે પાંચ રૂપોમાં ઈન્દ્ર પોતાના એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બન્ને પડખે રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુને મસ્તકે છત્ર ધારણ કર્યું, અને એક રૂપે વજ ધારણ કરીને અગાડી ચાલવા લાગ્યો. હવે ઇન્દ્રની સાથે ચાલતા દેવોમાં જેઓ અગાડી ચાલે છે તેઓ પછવાડે ચાલનારાઓને ભાગ્યશાળી માને છે, અને પછવાડે ચાલનારા અગાડી ચાલનારાને ધન્ય માને છે; વળી તે દેવોમાંથી જેઓ અગાડી ચાલે છે તેઓ પ્રભુના તે અદ્ભુત રૂપનું દર્શન કરવા માટે પોતાના મસ્તકના પછવાડેના ભાગમાં પણ નેત્રને ઇચ્છવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ ભાવના ભાવી રહેલા દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર મેરુ પર્વતના શિખર પર રહેલા પાડુક નામના વનમાં ગયો, અને ત્યાં મેરુની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકંબલા નામની શિલા પર જઇ પ્રભુને ખોળામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy