SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ १११११ श्रीकल्पसूत्रम् પરિશ્રમ જે અર્થાત્ રોગાદિ રહિત છે, કારણ કે તે રોગ-શોકાદિ ગર્ભને અહિત કરનારા છે. વળી સુશ્રુત નામક વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે ‘ગર્ભવતી સ્ત્રી જો દિવસે સૂવે તો ગર્ભ ઉંઘણશી થાય, અંજન કરવાથી આંધળો થાય, રોવાથી વાંકી નજરવાળો થાય, સ્નાન વિલેપન કરવાથી દુરાચારી થાય, તેલનું મર્દન કરવાથી કોઢિયો થાય, નખ કાપવાથી ખરાબ નખવાળો થાય, દોડવાથી ચંચળ થાય, હસવાથી ગર્ભના દાંત, હોઠ, તાળુ અને જીભ એ સર્વ કાળા થાય, બહુ બોલવાથી નિરર્થક બોલ બોલ કરનારો-બકબકિયો થાય, ઘણા શબ્દો સાંભળવાથી બહેરો થાય, લખવાથી ટાલવાળો થાય, પંખો વિગેરેથી બહુ પવન લેવાથી ગર્ભ ઉન્મત્ત થાય’’. ગર્ભને અહિતકારી આવાં એકે કારણને ત્રિશલા ક્ષત્રિયાણી સેવતાં નથી. ‘‘વળી કુળની વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલા ક્ષત્રિયાણીને શિખામણ આપે છે કે मन्दं संचर मन्दमेव निगद व्यामुञ्च कोपक्रमं, पथ्यं भुङ्क्ष्व वधान नीविमनघां मा माऽट्टहासं कृथाः । आकाशे भव मा सुशेष्व शयने नीचैर्बहिर्गच्छ मा, देवी गर्भभरालसा निजसखीवर्गेण सा शिक्ष्यते ॥ १ ॥ “હે સખી! તું ધીરે ધીરે ચાલ, ધીરે ધીરે જ બોલ, કોઈ ઉ૫૨ ક્રોધ ન કર, પથ્ય ભોજન કર, નાડી ઢીલી પોચી બાંધ, ખડખડ હસ નહિ, ખુલ્લી જગ્યામાં રહે નહિ, પથારીમાં સૂઇ રહે, નીચી જગ્યામાં ન ઉતર ઘરથી બહાર ! જા, આ પ્રમાણે ગર્ભના ભારથી મંદ થયેલાં ત્રિશલા દેવીના પોતાની સહિયરો શિખામણ આપે છે ૧.’’ વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે?- (નં તH ભક્સ હિાં મિમાં પાં ગર્ભોમાં) તે ગર્ભને હિતકર, પરિમાણયુક્ત એટલે ન્યૂનાધિક રહિત, પથ્ય એટલે આરોગ્ય ક૨ના૨, અને ગર્ભને પોષણ કરનારા એવો જે આહાર, (તંવેસે બગને બારમારેમાળી) તે કેવા પ્રકારના આહારને ઉચિત સ્થાનમાં અને ઉચિત કાળમાં એટલે ભોજન સમયે કરતાં રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે?- (વિત્તિ-મર્દિ સદ્યળાઽસનેહિં) દોષરહિત અને સુકોમળ એવાં જે શયન અને આસન, તેઓએ કરીને, તથા (પવિત્તુહા મનાતા વિહારમૂમીણ) પોતાના પરિવાર સિવાય બીજા માણસો રહિત હોવાથી નિર્જન એકાંતવાળી, અને તેથી જ સુખ ઉપવાજનારી, તથા મનને અનુકૂલ એટલે ચિત્તને આનંદ ઉપજાવનારી, આવા પ્રકારની હાલવા-ચાલવાની તથા બેસવા-ઉઠવાની જગ્યા વડે સુખપૂર્વક રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં, છે? (પક્ષત્યવોહતા) ગર્ભના પ્રભાવથી થયેલા છે પ્રશસ્ત દોહલા એટલે મનોરથો જેને એવાં, ત્રિશલા માતાને આવા પ્રકારના દોહલા થયા "जानात्यमारिपटहं पटु घोषयामि, दानं ददामि सुगुरून् परिपूजायमि । तीर्थेश्वरार्चनमहं रचयामि संघे, वात्सल्यमुत्सवभृतं बहुधा करोमि ॥ १॥ सिंहासने समुपविश्य वरातपत्रा, संवीज्यमानकरणा सितचामराभ्याम्। आज्ञेश्वरत्वमुदिताऽनुभवामि सम्यग् भूपालमौलिमणिलालितपादपीठा ॥ २॥” “आरुह्य कुञ्जरशिरः प्रचलत्पताका, वादित्रनादपरिपूरितविभागा । लोकैः स्तुता जयजयेति रवैः प्रमोदा-दुद्यानकेलिमनघां कलयामि जाने ॥ ३ ॥” ત્રિશલા ક્ષત્રિયાણી મનોરથ કરે છે કે હું ચારે દિસાઓમાં અમારી પડહ વગડાવું, દાન આપું, સદ્ગુરુઓનો સમ્યક્ પ્રકારે પૂજન-સત્કાર કરું, તીર્થંકરોની પૂજા કરું, અને સંધને વિષે મહોત્સવપૂર્વક બહુ પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કરું. ૧. વળી હું સિંહાસન ઉ૫૨ બેસીને મસ્તક ઉપર ઉત્તમ છત્રને ધા૨ણ ક૨વા છતાં, બન્ને પડખે ચામરો વડે શરીરે વીઝાવું છતાં, અને નમન કરતા રાજાઓના મુગટના મણિઓ વડે રમણીય બન્યું છે પાદપીઠ જેણીનું એવી હું ઉદય પામી છતાં પણ બધા ઉપર સમ્યક્ પ્રકારે હુકમ ચલાવું ૨. 200 96 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy