________________
૭૧
ઉત્તર–ભાઈ ! અમારા સૂત્રમાં બે પ્રકારની નાવ કહી છે. એક છિદ્રવાળી નાવ, અને બીજી છિદ્ર વિનાની નાવ. તેમાં જે છિદ્રવાળી નાવ સમુદ્રમાં પાર ગામી ન થાય, ને છિદ્ર વિનાની નાવ તે પાર પામે.
પ્રશ્ન ૭૦ મું–સંસારરૂપ સમુદ્રને પાર પામવામાં વળી છિદ્રવાળી નાવ કઈ સમજવી ?
ઉત્તર–મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, અશુભ ગ, જીવહિંસા, અસત્ય ભાષણ, અદત, ચોરી, મૈથુન, અબ્રચર્ય, અને પરિગ્રહની તીવ્ર ઈચ્છા, તથા નિંદા, ઝેર, વેર, ઈર્ષા વગેરે મુક્તિની પ્રાપ્તિ કરનાર મનુષ્યના શરીરરૂપ નાવ તે છિદ્રરૂપ છે. એવા છિદ્રોવાળા નાવ પાર તે ન પામે, પણ નાવ તેને ચલાવનાર નાવિક અને અંદર નાવમાં બેઠેલા ઉતારૂઓ સર્વ સમુદ્રના તળે જઈ બેસે, એમ સૂયગડાંગ સૂત્રો જણાવે છે.
પ્રશ્ન ૭૧ મું-સૂયગડાંગસૂત્ર નાવ વિષે શું જણાવે છે ?
ઉત્તર–સાંભળે. સૂયગડાંગસૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશાની ૩૧-૧૨મી ગાથામાં કહ્યું છે કે –
जहा अस्साविणिं णावं, जाइ अंधो दुस्तहिया इच्छई पारमागंतुं, अंतराय विसीयई ॥३१॥ एवं तु समणा एगे, मिच्छदिहि अणारिया ;
संसार पार कंखी ते संसारं अणुपरियटृति त्तिवेमि ॥३२॥
અર્થ– જેમ છિદ્ર સહિત એવી નાવ, તેને વિષે જાતિ અંધ એટલે જન્માંધ પુરૂષ ચડીને પાર પામવા વાંછે પરંતુ પાર પામે નહિ, કિંતુ અ તરાલે એટલે વચમાંહે તે બુડી જાય ત્યર્થ : / ૩૧ I હવે એ છાત દર્શનીઓ સાથે મેળવે છે. જેમ સછિદ્ર નાવે ચડ્યું કે અંધ પુરૂષ પાર પહોચે નહિ તેની પેરે કોઈ એક શ્રમણ ( સાધુ નામ ધરાવન ) તે મિથ્યા દ્રષ્ટિ એટલે જૈન પ્રણિત ધર્મ થકી વિપરીત દ્રષ્ટિ તથા અનાચારી તે પોતાના દર્શનને અનુરાગે (અનેક પ્રકારના આ સેવતા, ) સંસારને પાર પામવાને વહે છે. પરંતુ તે સંસાર માંહેજ જન્મ જરા મરણાદિ અનેક ગતિને વિષે કલેશ અનુભવતે અનંત કાળ સુધી તે પરિભ્રમણ કરે.
તે મોક્ષ સુખને તે પામેજ કયાંથી ? એમ જ્ઞાની પુરૂષ કહી ગયા છે. આને પરમાર્થ એ છે કે ધર્મરૂપી પાટીયાથી રહેલ શરીરરૂપ નાવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org