SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ હવે સૂર્યાસ્તથી સૂર્યચંદય સુધીમાં રાત્રીના સમયમાં હલન ચલનાદિ ક્રિયાથી તથા નિદ્રાવસ્થામાં અંગેાપાંગ ફેરવવાથી તેમજ સ્વપ્નાવસ્થામાં કાંઇ દોષ લાગ્યા હાય, તથા રાત્રિના જે નિયમે પાળવાના હેાય તેમાં શૂન્ય ઉપયેગ થવાથી, તથા પ્રમાદ વશે કાંઇ પણ અતિચારાદિ દોષ લાગ્યા હોય, અથવા જા, માંકડ વગેરે કોઈ જીવ ચંપાણા હાય, દુઃખી થયા હાય યા મરણ પામ્યા હોય ઇત્યાદિ અજાણપણે કાંઈ પણ દોષ લાગ્યા હોય તે પાપના નિવારણ માટે પ્રાતઃકાળનુ પ્રતિક્રમણ કરી આત્માને નિર્મળ કરવાનુ જૈનના સાધુને પ્રાત:સ્નાન કહ્યું છે. આ, બે વખતનું સ્નાન જ્યારથી દીક્ષિત થયા ત્યારથી જીવિત પંત અવશ્યમેવ કરવાને અનંતજ્ઞાની તીથ ક મહારાજનું ફરમાન છે, અને જૈન મુનિ પણ હમેશાં ભાવ સ્નાનથીજ નિ ળ થાય છે. મનુસ્મૃતિમાં પણ કહ્યુ` છે કેઃ पुर्वी संध्यां जपंस्तिष्ठन्नैशमेनो व्यपोहति । पश्चिमां तु सामसीनो मलं हन्ति दिवाकृतम् ॥ અધ્યા ૨ શ્ર્લોક ૧૦૨, અર્થ પ્રાતઃકાળે ઉભા રહીને ગાયત્રીના જપ કરનારા પુરૂષ પોતાનાં રાત્રિમાં કરેલાં પાપનો નાશ કરે છે. અને સાયકાળે એસીને ગાયત્રીના જપ કરનારા પુરૂષ દિવસે કરેલાં પાપને નાશ કરે છે. આ ક્ષેકની ફૂટનોટમાં લખે છે કે:-આ શ્ર્લાકમાં પાત:કાળની સંધ્યા કરવાથી રાત્રિનાં અને સાય’કાળની સંધ્યા કરવાથી દિવસના પાપનો નાશ થાય છે, એમ કહ્યુ` છે કેઃતે પરથી એમ સમજવાનુ' નથી કે, મનુષ્યા જે જે પાપ કરે છે, તે બધાં સંધ્યા કરવાથી નાશ પામે છે, જો એમ હેાય તેા પછી બ્રહ્મહત્યાદિક મહા પાપાને માટે શાસ્ત્રમાં કહેલાં પ્રાયશ્ચિતા નિરક થઇ પડે, માટે આ શ્લોકનું તાત્પર્ય એવું છે કે, રાત્રે શય્યામાં આળેટતાં માંડ, ચાંચડ વગેરે મરી જાય તથા દિવસે ઉઠતા બેસતાં અને હાલતાં ચાલતાં અાણતાં જે કંઇ જીવહિંસા થઇ જાય, તેવાં સામાન્ય પાપૈ। સંધ્યા વ`દનથી નાશ પામે છે, અને બુદ્ધિથી વૃદ્ધિ થાય છે. પ્રશ્ન ૪૭ મું—અજાણપણામાં લાગેલાં પાપને ટાળવાને માટે એ વખતના પ્રતિક્રમણરૂપ ભાવ સ્નાનથી નિર્મૂળ થવા જણાવ્યું તે તે બરાબર છે પણ જાણપણાથી થયેલાં પાપને ટાળવાના શેષ ઉપાય ? ઉત્તર—જાણતાં થયેલું પાપ ગુરૂ સમક્ષ જાહેર કરી, ગુરૂ તે પાપના નિવારણ માટે જે પ્રાયશ્ચિત આપે તે પ્રમાણે જપતપાદિ કરવાથી જાણુ પણામાં થયેલાં પાપનુ નિવારણ થાય છે, અર્થાત્ તે પાપથી મુક્ત થવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy