________________
૫૭
થાય તેમ અંતર્ગત મલિન ચિત્ત પણ તીના સ્નાનથી શુદ્ધ ન થાય હજાર ભાર માટીએ સાફ કરી સેંકડા ગમે જળના ઘડાથી ધાવે તે પણ જેમ મિતરાના ઘડે અંદર શુદ્ધ થતા નથી—ઘડાની અંદરથી વાસના જતી નથી તેમ દુરાચારી મનુષ્યો તીર્થનાં જળમાં સૈકડા વાર સ્નાન કરે તેપણ તે શુદ્ધ થતાં નથી.
પ્રશ્ન ૩૨ મું કોઇ કહે કે અમારા તીના મહાત્મ્યમાં કહ્યુ` છે કે—ગમે તેવા કૃત્યના કરવાવાળા અપરાધી જીવા હાય, તે ગંગાદિ તીર્થાંમાં સ્નાન કરવાથી શુદ્ધ થાય છે તેનુ કેમ ?
ઉત્તર—એ વિષે તીર્થાધિકારમાં ઠીક કહ્યુ છે. સાંભળોઃ~~~ आरंभे वर्तमानस्य, मैथुनेपुरतस्य च
कुतः शौच भवे तस्य, ब्राह्मणस्य युधिष्टिरः || १|| कामरागो मदोन्मत्तो, जे स्त्रीय वशवर्तिनः;
न ते जलेन शुद्धन्ति, स्नान तीर्थे शतैरपि ॥२॥
नः गंगा न च केदारं, न प्रयाग न पुष्करं ;
न ज्ञानं न च होमश्च, न तपः न जपः कुर्यात् ॥ ३॥
જે આર'ભને વિષે વર્તેલા એટલે જીવની હિંસાના કરનારા, અને મૈથુનને વિષે રકત–આસકત, તે કેવી રીતે શૌચ થાય ? શ્રીકૃષ્ણ મહારાજ કહે છે કે-હે યુધિષ્ઠિર ! ઉપર કહેલી વૃત્તિવાળા બ્રાહ્મણ હાય, તેપણ તે શૌચપવિત્ર કહેવાતા નથી. જે પુરૂષ કામ ભેગને સંગે કરીને મદોન્મત્ત-ઉન્મત્ત થયેલા–જેની વૃત્તિ સ્ત્રીને વિષેજ વર્તે છે, તેવા પુરૂષા જળ વડે તે શુદ્ધ થતા નથી પણ તીના સ્નાન વડે પણ તે શુદ્ધ થતા નથી એટલે ગ`ગા, કેદાર, પ્રયાગ અને પુષ્કરાદિકના તી તથા જ્ઞાન, હામ, તપ અને જપ કરવાથી ઉપરોકત પુરૂષો શુદ્ધ થતા નથી.
પ્રશ્ન ૩૩ મુ~તીના સ્નાનથી શુદ્ધ ન થવાના કોઇ દ્દષ્ટાંતિક પુરાવા છે ?
ઉત્તર—એમ સાંભળીએ છીએ કે જ્યારે પાંચ પાંડવાએ મહાભારત યુદ્ધ કર્યું, ઘણાં માણસોના યુદ્ધમાં ક્ષય થયા, કુટુ ંબના સંહાર કર્યા વગેરે પાપ લાગવાથી તે પાપનું નિવારણ કરવા અડસઠ તી કરી તે પાપથી મુકત થવા તી કરવા જવાનો નિશ્ચય કરી પાંચે પાંડવા શ્રીકૃષ્ણ મહારાજ પાસે આવ્ય, શ્રીકૃષ્ણુ મહારાજે આગમનનુ કારણ પૃછતાં પાંડાએ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org