________________
अत्यंत मलिनो देहा, नव श्रोत समन्वितं;
श्रवते च अहोरात्रं, कथं स्नानेन शुद्धयति. ॥२॥ આ શરીર છે તે તે અત્યંત મલિન જ રહ્યું છે. અને શરીરમાં રહેલે આત્મા આત્મ સ્વરૂપે નિર્મળ છે. એમ જ્ઞાની પુરુષ શરીર અને આત્માને અંતર જાણે છે. તેમાં શરીરની શુચી કેવી રીતે થઈ શકે ? શરીર તે અત્યંત મલિન છે. કારણકે પુરૂષને નવ દ્વાર અને સ્ત્રીને બાર દ્વાર અહે૨ ત્રી શ્રવ્યા કરે છે. વહ્યા કરે છે. તે સ્નાન વડે કેવી રીતે શુદ્ધ થાય–કેવીરીતે નિર્મળ થાય ? અર્થાત્ સ્નાન વડે શરીરની શુદ્ધિ થતી નથી તે આત્મ શુદ્ધિ તે થાયજ કયાંથી ? વળી સ્કંદ પુરાણમાં કહ્યું છે કે
न शरीर मलं त्वागत्, नरो भवति निर्मल: मनस्य तु मलोत्यक्ति, भवत्यंत स निर्मलं ॥१॥
શરીર ઉપરનો મેલ ત્યાગવાથી કોઈ મનુષ્ય નિર્મળ થતાં નથી, પરંતુ મનને મેલ કાઢવાથીજ તે નિર્મળ થાય છે.
પ્રશ્ન ૩૧ મું—કેટલાક કહે છે કે અમારા દરેક શાસ્ત્રમાં કહ્યું છે કેગંગાદિ તીર્થના જળમાં સ્નાન કરવાથી કર્મરૂપી મળને નાશ થાય છે અને તે જીવ સ્વર્ગગતિને પામે છે, માટે અમારે તીર્થના જળનું માહાત્મ વિશેષ છે તેમાં તમે શું કહે તેમ છે ? ઉત્તર –તે વિષે સ્કંદ પુરાણ એમ જણાવે છે કે
जायते च मृयते च, जले प्य च जलोकसि;
न च गच्छन्ति ते स्वर्गे, मविशुद्ध मनोर्मला ॥१॥ જળની અંદર અર્થાત્ તીર્થના જળની અંદર રહેલા છે તે તેમાંજ જમે છે અને તેમાંજ મરે છે પણ તે સ્વર્ગે જતા નથી. કારણકે મનની શુદ્ધિ થયા વિના નિર્મળ થવાતું નથી. તે જ્યાં સુધી મને શુદ્ધ ન થાય, મનને મેલ ન ખસે ત્યાં સુધી સ્વર્ગ પણ જાય નહિ.
चित्त मतर्गतं दुष्ट. तीर्थस्नाने न शुद्धयति, शतशोपि जलेधोतं, शुराभंड मिवाशुचि ॥१॥ मृदाभार सहस्रण, जलकुंभ शतेन च;
न शुद्धयति दुराचारा, स्नाना तीर्थ शतैरपि ॥२॥ જેનું ચિત્ત અંતર્ગત દુષ્ટ હોય તે તીર્થનાં સ્નાન વડે પણ શુદ્ધ થતું નથી. જેમ મદિને ભાંડ સો વાર જળે કરી દેવાથી અંદર શુદ્ધ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org