________________
૫૪
૨ જે તું પાપ કર્મ કરે છે અગર કરીશ તો ગમે ત્યાં નાસી જઈશ તે પણ તું દુઃખથી મુક્ત થવાને નથી.
૩ જો તું દુઃખથી બડી હોય, તને જે દુઃખ અપ્રિય હોય તે તું બુદ્ધને શરણે જા, અને તેના સંઘને શરણે જા, સીલના નિયમ પાળવાથી તરૂં કલ્યાણ થશે.
આ ઉપરથી તે બ્રાહ્મણ બૌદ્ધમતાનુયાયી થયે. સાથ્વી પુણિકાના ઉપદેશથી સન્માર્ગે ચડેલે એ બ્રાહ્મણ આગળ જતા માટે સાધુ થયે ત્યારે તેણે ઉદગાર કહાવ્યા કે પહેલાં હું માત્ર નામજ બ્રાહ્મણ હતો; પરંતુ હવે ખરો બ્રાહ્મણ થયે છું. કરણ હવે ઐવિધ (બૌદ્ધ ધર્મમાં). કહેલી ત્રણ વિદ્યા જાણનારો છું. હું વેદ સંપન્ન જ્ઞાન સંપન્ન) છું. હું પુરોહિત (સ્વસ્તિ સુખના લાભવાળે) છું. હું સ્નાતક (ભકત) છું.” ધન્ય છે પાપીઓને સત્પથગામી કરનારી પુણિકા જેવી દેવીઓને ઈતિ.
બૌદ્ધધર્મના ત્યાગીઓને પણ ન્હાવાનો નિષેધ છે એમ ઉપર લેખ સાબીત કરી આપે છે.
પ્રશ્ન ર૭ મું – શિષ્ય -જૈનધર્મનાં અને બૌદ્ધધર્મના ત્યાગીઓમાટે નહિ ન્હાવાના દાખલા દલીલેથી પૂરતા ખુલાસા જેમ કહિ બતાવ્યા તેમજ અન્ય ધર્મના ત્યાગીઓને માટે પણ શાસ્ત્રોક્ત ખુલાસા થઈ આવે ત, જૈન ધર્મના ત્યાગીએ કેમ ન્હાતા નથી, એવી ઘણા લેકની શંકાનું સમાધાન થઈ જાય. અને સૌ કોઈ સમજી શકે કે ત્યાગી લેકોને ન્હાવાને ધર્મ નથી. દરેક ધર્મમાં ત્યાગીઓને નહાવાનો નિષેધ છે એમ ખુલ્લી રીતે જણાવવું જોઈએ.
ઉત્તર–હે ભાઈ ! બ્રહ્મચારીને ન્હાવું તે દૂષણ ભરેલું છે,–ત્યંજવા યોગ્ય છે વગેરે પૂર્વ કહી બતાવ્યું છે. તે અન્ય મતના શાસ્ત્રોનું જ અન્યમતના બ્રહ્મચારીઓનેજ માટે લખાણ છે. જ્યાં બ્રહ્મચારી શબ્દ આવ્યું. ત્યાં ત્યાગ તે આવીજ ચુક્યા. બ્રહ્મચર્ય શબ્દ ત્યાગને જ લાગુ છે. બ્રહ્મચર્ય વિના ત્યાગ હેત નથી બ્રહ્મચર્યને આશ્રીને જ ત્યાગીઓને ત્યાગ છે. માટે ત્યાગીઓ અને બ્રહ્મચારીને માટે અથવા તે મોક્ષના અભિલાષી આત્મ કલ્યાણની ઈચ્છા ધરાવનારા ગમે તે ધર્મના હો પણ સ્નાન માટે શિવ-- પુરાણમાં ઘણો સારો ખુલાસે આવે છે.
પ્રશ્ન ૨૮ મું–શિવપુરાણમાં કેવી રીતે સ્નાન કરવું કહ્યું છે, તે જણાવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org