________________
ઘણું છની વિરાધના કરવાવાળા થાય. કારણકે સ્નાન કરવાથી તે જીવો પાણીના પ્રવાહ સાથે તણાઈને મરી જાય, તેથી સાધુપણાને-સંયમને નાશ થાય. એટલા માટે નિર્દોષ જળથી–ઠરેલા પાણીથી કે ઉષ્ણુ-ગરમ પાણીથી પણ સાધુ સ્નાન કરે નહિ. એવું જાવ જીવ પર્યત-જ્યાં સુધી જીવે ત્યાંસુધી અજ્ઞાન રૂપ ઘર બત જૈનના સાધુ ગ્રહણ કરે છે.
પ્રશ્ન ૨૦ મું–આહા હા હા ? ? ? કે ખ્યાલ ? જ્યારે અન્ય ધર્મના ત્યાગીએ-સાધુઓ અને બ્રહ્મચારીઓ સ્નાન કરવામાં જ તપ અને વ્રત માને છે ત્યારે જૈન ધર્મના સાધુઓ અસ્નાનને ઘેરવ્રત ધારણ કર્યું માને છે, એટલે આકરામાં આકરું વ્રત માને છે. આ તે કેવું આશ્ચર્ય ? આને તે નિર્ણય કેવી રીતે થાય ?
ઉત્તર–હે ભાઈ ! નિર્ણય તે શાસ્ત્ર કરી આપશે–તમે મુંઝાઓમાં સાંભળો, પ્રથમ બ્રહ્મચારીઓને કેવી રીતે વર્તવું જોઈએ તે નીચેના લોકોથી જણાઈ આવશે.
स्नान मुद्वानभ्यंग, नस्ल केशादि सकिया;
गंधमाल्यं प्रदिप च, त्यति ब्रह्मचारिणः ॥१॥ સ્નાન, વિટણ (શરીરને સાબુ પ્રમુખે ઉગટવું) તેલદિકથી અભંગન કરવું, નખ,અને કેશાદિકને સમારવા, સુગંધી પદાર્થો, પુષ્પની માળા અને દિવે. એટલાં વાનાં બ્રહ્મચારીએ તજવાં.
सुखशय्या नवं वस्त्रं, तांबूलं स्नान मंडन;
दंतकाष्ट सुगंधं च, ब्रह्मचर्यस्य दूषणा: ॥२॥ પર્ઘકાદિક શય્યામાં સૂવું, સૂકમ-ઝીણા અને નવા વસ્ત્રનું પહેરવું, તાંબુલ, સ્નાન, અને શણગાર, કાષ્ટનું દાતણ, અને સુગંધી પદાર્થો, આટલાં વાનાં બ્રબ્રચારીને દૂષણ ઉપજાવનારાં છે એમ પુરાણસારની હુંડીમાં કહ્યું છે.
કહે, ભાઈ, અહિંયાં બ્રહ્મચારીને કોઈ ઠેકાણે સ્નાન કરવાને સંબંધ જણાય છે ? સ્નાનાદિ ઘણા પદાર્થો દૂષણ ભરેલા હોવાથી તજવા કહ્યા છે.
પ્રશ્ન ૨૧ મું-ગંગા વગેરે તીર્થના સ્થળને માને છે કે કેમ?
ઉત્તર-ગંગા વગેરે તીર્થનાં સ્થળને તીર્થરૂપે કેટલાક માને છે એમ અમે જાણીએ છીએ.
પ્રશ્વ ૨૨ મું–ગંગાદિક તીર્થમાં સ્નાન કરવાથી અમારાં પાપોને નાશ થાય છે. અને અમારો આત્મા પવિત્ર થાય છે. અર્થાત્ અમારા આત્માને મોક્ષ થાય છે, તેમાં તમે શું કહી શકે તેમ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org