SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યની આજ્ઞા એ સામાયિકાદિ વ્રત અંગીકાર કરી શકાય એમ શાસ્ત્રથી નિર્ણય થવા સંભવ છે. પ્રશ્ન ૧૦૦ મું–સ્થાપનાચાર્ય સ્થાપ્યા છતાં પંચિંદિયની બે ગાથા કહેવાનું શું કારણ હશે ? ઉત્તર–કારણ તે એજ જણાય છે કે પૂર્વાચાર્યો ડાહ્યા હતા જેણે સ્થાપનાચાર્યની પ્રવૃત્તિ ચલાવી હશે, તેમને એમતો સમજાયું જણાય છે કે આચાર્યના ગુણ આ સ્થાપનામાં નથી અને અજીવની આજ્ઞા, વ્રતમાં લેવાય નહિ આજ્ઞા તે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણના ધારકની જ હોય માટે આચાર્યના ગુણોની, બે ગાથાને ઉરચાર કરીને આવા ગુણવાળા ગુરૂ હેય તેમની આજ્ઞાથે સામાયિક ઉચરું છું. એમ પંચંદિયાનું નિશાન આપ્યું હોય એમ જણાય છે. પ્રશ્ન ૧૦૧ મું-શિષ્ય-અહીં સુધીમાં ત્રણ પદની વ્યાખ્યા બરાબર જણાવી. પણ જેમ આચાર્યના ૩૬ ગુણ જણાવ્યા, તેમ અરિહંત અને સિદ્ધના ગુણ જાણવામાં આવ્યા નથી, માટે તે પણ જાણવાની ઈચ્છા છે. તો પ્રથમ અરિહંતના ગુણ કેટલા ? ઉત્તર-અરિહંત ભગવંતના બાર ગુણ કહ્યા છે, તેમાં આઠ પ્રાતિહાર્ય અને ચાર મુલાતિશય મળી બાર ગુણ કહ્યા છે. તેમાં આઠ પ્રાતિહાર્ય આ પ્રમાણે છે. ગાથા. की कील्ली कुसुम वुटी, देवझुणी चामरासणाइंच; भावलय भेरोछत्तं, जयति जिण पाडिहाइ ॥१॥ અંચળ ગચ્છનાયક શ્રી મહેંદ્રસિંહ સૂરિ વિરચિત બૃહત્ શતપદી ગ્રંથમાં પાને ૭ મે કહ્યું છે કે -- સ્થાપના ચાર્ય નહિ થાપ પાને ૧૯ મે વિચાર ૨૦ મે અન્નક શ્રાવકે તથા પ્રદેશ રાજાએ અણસણ કર્યો છે. ત્યાં સ્થાપનાચાર્ય વગરજ તેમણે અણસણ કર્યો છે. પાને ૨૬ મેથી ૩૦ મા સુધીમાં વિચાર ૨૧ મે તેમાં શ્રાવકને સ્થાપનાચાર્ય કરવા નહિ એ વિષે ઘણું લખાણ છે. લઘુ શતપદી ભાષાંતરમાં પ્રસ્તાવનામાં ૨૧ મા બોલે શ્રાવકે સ્થાપનાચાર્ય ન કરે. પાને ૨૦૩ મે વિચાર ૩૪ મે તેમાં કહ્યું છે કે --નમો ગાયાં એ પદની વ્યાખ્યા કરતાં ચારે નિક્ષેપ બતાવી ભાવાચાર્યને જ નમાય છે. એમ કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy