________________
રૂપ
પ્રશ્ન ૯૭ મું–ત્યારે કોઈ એમ કહે કે-સાધુ હોય તે તેમની આજ્ઞાએ સામાયિકાદિ ઉચરીએ છીએ તે ન હોય તે સ્થાપનાચાર્ય કરી પંચિંદિય ભણી સામાયિક ઉચરીએ છીએ.
ઉત્તર–પંચિંદિયે ભણનારા તેને હેતુ જાણતા હોત તો સ્થાપનાચાર્ય કરવાની જરૂર રહેતી નહિ. પંચિંદિયે ભણું આજ્ઞા માગવાની પૃથા જે મૂળથી હોત તો બીજા વર્ગને આચાર્યની આજ્ઞા માગવામાં વધે આવત નહિ.
પ્રશ્ન ૯૮ મું—પંચિંદિય એટલે શું-ને તેને હેતુ શું ? પંચિંદિય એટલે આચાર્યના ૩૬ ગુણની બે ગાથા છે.
તેમાં પહેલા પદમાં પંચિંદિય શબ્દ આવે છે. તે ઉપરથી પંચિંદિય કહેવામાં આવે છે. તેને હેતુ સામાયિકાદિ વ્રત ઉચરતી વખતે કહેવાને.
પ્રશ્ન ૯મું-સામાયિકાદિ વ્રત, ઉચરવાના સંબંધમાં પંચિંદિય કેવી રીતે કહેવામાં આવે છે ? ઉત્તર સાંભળે ગાથા—
पंचिदिय संवरणो, तह नवविह बंभचेर गुत्तिधरो; चउविह कसायमुक्को इअअठ्ठारस्स गुणेहिं संजुतो ॥ १ ॥ पंच महन्वयजुत्तो. पंचविहायार पालण समथ्थो;
पंचसमिउ तिगुत्तो, छत्तीस गुणो गुरुमझ ॥२॥ આમાં એમ જણાવે છે કે પાચ ઇન્દ્રિયના સંવરવાવાળા, તેમજ નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિના ધારક, ચાર પ્રકારના કષાયથી મુકત એ અઢાર ગુણે કરી સંયુકત , પાંચ મહાવ્રતને વિષે જુલા, પાંચ મહાવ્રત યુક્ત પાંચ પ્રકારના આચાર પાળવાને વિષે સમર્થ. પાંચ સમિતિએ સુમતા ત્રણ ગુપ્તિ એ ગુપ્તા એ છત્રીશ ગુણે કરી સહિત હોય તે મારા ગુરૂ છે.
આટલું કહીને એટલે ઉપરની બે ગાથા કહીને ઈચ્છામિ ખમાસમણે ઇત્યાદિ પાઠ બેલીને વંદણા–નમસ્કાર કરીને સામાયિકાદિકની આજ્ઞા માગે આને પરમાર્થ એ જ છે કે ––ઉપર કહેલા ગુણવાળા ગુરૂ આચાર્ય ગમે ત્યાં હોય પણ આ બે ગાથા બેલીને તેમની આજ્ઞાથે સામાયિકાદિ વ્રત ઉચરવાને જરા પણ વાંધો નથી. જેમ તીર્થંકરની આજ્ઞા સર્વત્ર વર્તે છે. તેમ ગુરૂ આચાર્યની આજ્ઞા પણ સર્વત્ર વર્તે અર્થાત્ શિષ્ય ગમે ત્યાં વિચરે પણ ગુરૂની આજ્ઞા તો તેની સાથેજ હોય તેમ ચારે તીર્થને માટે ગુરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org