________________
ઉત્તર–મહાવીરના શાસનમાં ભળ્યા તે કેશી સ્વામી અને રાજા પ્રદેશને બુઝવ્યા તે કેશી સ્વામી બને જુદા છે. (તેને ખુલાસો સવિસ્તર) વાંચ હેય તે જુઓ પૂર્વાર્ધ ભાગ ૬ ઠ્ઠો પ્રશ્ન ૮૯ થી ૯૬ સુધી) એટલે પ્રદેશી રાજાને બોધ દેનાર તે કેશી સ્વામી પહેલા થયા છે. તે વખતે મહાવીરની હયાતી હતી કે નહિ તે સંબંધે સૂત્રમાં કાંઈ ખુલાસો જણાતે નથી. પણ પ્રદેશ રાજાએ તીર્થકરનું મેથ્યણું નથી કીધું, તે તે સૂત્ર સાક્ષી આપે છે.
પ્રશ્ન ૯૧ મું–અર્વનક શ્રાવકના વખતમાં મલ્લિનાથ હતા છતાં તેમનું નમેથ્યણું કેમ કહેવામાં આવ્યું નહિ હોય ?
ઉત્તર–તે વખતે મલ્લિનાથ ભગવાન સંસારમાં હતા, અતીપણે હતા–અર્ણનક શ્રાવક બાર વ્રત ધારી પંચમાં ગુણસ્થાનવાળા, સંસારમાં રહેલા તીર્થકરને નષ્ણુણે કહ્યું નથી. તે ઉપરથી એમ નિશ્ચય થાય છે કે પાંચમા ગુણસ્થાનવાળા ચોથા ગુણસ્થાનવાળાને નમસ્કાર ન કરે.
પ્રશ્ન ૯૨ મું–જે શાસનના અધિકારી તીર્થકર મહારાજ મેંક્ષ ગયા પછી તેમનું નમણૂણે તે શાસનના તીર્થમાં કહેવામાં આવતું નથી, પણ મહાવિદેહમાં તે સદાય તીર્થકર હેયજ. તેમનું બીજું નમણૂણું કહે તેમાં શે વધે ?
ઉત્તર– વાંધો ન હતો તે અરણક શ્રાવક તથા પરદેશી રાજા કહેત, પણ તે તે કાંઈ છે જ નહિ. માટે દરેક શાસનના અધિકારી તીર્થકરનજ નથ્થુણ લાગુ થતું હોય એમ સૂત્રના ન્યાયથી જણાય છે.
પ્રશ્ન ૯૩ મું– હાલની સ્થાનકવાસીની પ્રવૃત્તિમાં સામાયિકાદિ ઉશ્ચરતા શ્રીમંધરસ્વામીની આજ્ઞા લેવામાં આવે છે તે વિષે શું સમજવું ? સૂત્રના ન્યાયે આ પ્રવૃત્તિ ઠીક લાગે છે કે કેમ ?
ઉત્તર–આ જમાનામાં ઠીક અઠીકનું કાંઈ જોવાનું નથી. તેમાં આ વર્ગને માટે તો જેને જે ઠીક લાગ્યું તેજ ડીક, એમ માની લેવામાં આવે તેને ઉત્તર કોઈ હેયજ નહિં. પણ સૂત્રના ન્યાય પ્રમાણે આ વાત લાગુ થાતી નથી. દાખલા તરીકે રાજકોટમાં રહેલી રાજકોટની વસ્તી ગંડલ કે મોરબીના રાજાની આજ્ઞામાં રહેવાની ઈચ્છા ધરાવે તે વાત ઉચિત ગણાય ! અહિયા જ્યારે બાદશાહી રાજ્ય હતું ત્યારે તેની આજ્ઞા મનાતી. હાલ જ્યારે યુરેપિયનની સત્તા પ્રવર્તે છે, ત્યારે તેની આજ્ઞા આખા હિંદુસ્તાનમાં મનાય છે, છતાં કે જર્મન કે કંચની આજ્ઞા ચિતવે તે શા કામની ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org