________________
પ૩૧
“જૈન તત્વસાર” માં લખ્યું છે કે-આત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સર્વ કલેકનું સ્વરૂપ જેના જાણવામાં આવે છે. અર્થાત્ જ્ઞાન એજ આત્મા તે વડે સર્વત્ર વ્યાપવાપી આત્મા વિષ્ણુ છે. નિજ શુદ્ધ આત્મભાવ જેને પરબ્રહ્મ એવી સંજ્ઞા આપવામાં આવે છે તેની ભાવના ભાવવાથી આત્માજ બ્રહ્મા છે, શિવ-નિર્વાણ પ્રાપ્ત કરવાથી અને શિવનું કારણ હોવાથી આત્માજ શિવ છે. (આ ત્રણે શબ્દ અહંત પદનેજ લાગુ છે.)
પ્રશ્ન ૭૫ મું–મહાદેવ કોને કહીએ ને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–મહાદેવનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે.–
માં જ્ઞાનં મઘા, રજાજ કર્યું ? महा दया दमोध्यानं, महादेवः सउच्चते. १ राग द्वेषो महा मल्लो, दुर्जेयौ येन निर्जितौ; महादेवं तु तं मन्यं, शेषावै. नाम धारकाः. २
અર્થ–મહા જ્ઞાન એવું કૈવળ જ્ઞાન જેને પ્રાપ્ત થયેલું છે કે જે વડે કરીને લેક અને પરલોકમાં જેને પ્રકાશ પ્રસરી રહ્યો છે અર્થાત્ લોકાલોક પ્રકાશીતવા મહા દયાના સિધુ, ઇંદ્રિયેને દમનારા, મહાધ્યાની હોય તે મહાદેવ કહેવાય. કે જેણે રાગ અને દ્વેષ રૂપી મહા મલ કે જેને જીતવા દુર્જય મહા કઠીન તેને જીતીને જેણે જય મેળવ્યું છે તે જ મહાદેવ કહેવાય. બાકી તો નામ માત્ર જાણવા.
પ્રશ્ન ૭૬ મું—સ્વયંભૂ કેને કહીએ ને તેનું સ્વરૂપ શું? ઉત્તર–સ્વયંભૂ સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે- સાંભળે
स्वयंभूतं यतो ज्ञानं, लोकालोक प्रकाशकम् ; .
अनन्तं वीर्य चारित्रं, स्वयंभूः सो मिधीयते १ અર્થ–સ્વયં-પોતાના આત્મજ્ઞાન વડે કરીને ભૂત એવા પ્રાણજીવના સ્વરૂપને જાણનારા, અથવા પિતાનાજ આત્મ બળે અનંતજ્ઞાન કૈવળ જ્ઞાન મેળવી લોકાલોક પ્રકાશીત અનંત આત્મશક્તિવાળા અને ક્ષાયક યથાપ્યાત ચારિત્રવંત હોય તે સ્વયંભૂ કહેવાય. - પ્રશ્ન ૭૭ મું–શિવ કેને કહીએ ને તેનું સ્વરૂપ શું?
ઉત્તર—શિવનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org