________________
૫૩૦
પ્રશ્ન ૭૧ મું–વિષ્ણુ કેને કહીએ ને તેનું સ્વરુપ શું ? ઉત્તર–વિષ્ણુ (વસનવ) નું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
ઈદ્રિ વિષય ચાર કષાય, જાને વિષ સમાન;
મન વચ કાયાએ તજે તે વિષ્ણુ ભગવાન. • પ્રશ્ન ૭૨ મુ–મહેશ્વર સ્વરૂપ કેને કહીએ ? ઉત્તર–મહેધર સ્વરુપ નીચે પ્રમાણે કહેલ છે –
महत्वादी श्वरत्वाच्च, यो महेश्वर तांगतः;
राग द्वेष विनिर्मुक्तं, वंदंऽहंतं महेश्वरम्. १ ઉપર કહ્યા પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેધરનું સ્વરૂપ જણાવ્યું.
પ્રશ્ન ૭૩ મું–કેટલાક કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ તે મહેશ્વરની એકજ મૂર્તિ છે એકજ સ્વરૂપ છે સદાકાળ ત્રણે સહચારી છે તેનું કેમ ? ઉત્તર–તે વિષે શાસ્ત્રકાર એમ જણાવે છે કે--નીચે
कृते जातो भवेद् ब्रह्मा, त्रेतायां च महेश्वर ;
द्वापरे जनितो विष्णु. रेक मूर्तिः कथं भवेत्. १ કૃત યુગમાં બ્રહ્મા થયા ત્રેતા યુગમાં મહેર થયા, અને દ્વાપર યુગમાં વિષ્ણુ થયા. એ ત્રણે એક મૂર્તિરૂપે એકજ સ્વરૂપે (મૂળ સ્વરૂપે) સહચારીપણે કેવી રીતે થઈ શકે? માટે અને પરમાર્થ બીજે છે.
પ્રશ્ન ૭૪ મું–આને પરમાર્થ શું છે તે જણાવશે? ઉત્તર–આને પરમાર્થ યુક્તિવાળે છે સાંભળે
एक मूर्तिस्त्रयो भागा, ब्रह्मा विष्णु महेश्वरः; तान्येव पुनरुक्तानि, ज्ञान चारित्र दर्शनात. २ ज्ञान विष्णु स्सदा प्रोक्तं, चारित्रं ब्रह्म उच्यते
सम्यक्तं नु शिवं प्रोक्त, महेन्मूर्तिस्त्रयात्मिका. ३ બ્રહ્મા, વિષ્ણુ, ને મહેશ્વર એ ત્રણ સ્વરૂપ એક અત્ સ્વરૂપમાં મળી જાય છે. એટલે જ્ઞાન ચારિત્ર દર્શન (સમતિ ) રૂપ અહંત સ્વરૂપ હોય છે એટલે જ્ઞાનરૂપી વિષ્ણુ, ચારિત્રરૂપ બ્રહ્મા અને સમ્યકત્વરૂપી શિવ એ ત્રણે મળી અહંત મૂર્તિ અહંત સ્વરૂપ અહંતુ આત્મસ્વરૂપ રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org