________________
પર૯
પ્રશ્ન ૬૮ મું—-અરિહંતને અર્થ પ્રથમ જણાવ્યું છે કે કર્મરૂપ વરી તેને દ્રવ્ય થકી અને ભાવ થકી જેણે હસ્યા છે તેને અરિહંત કહિયે. તે તે ઠીક પણ પિતતાના શત્રુને હણે તે અરિહંત કેમ ન કહેવાય ?
ઉત્તર–આત્માને શત્રુ કઈ છેજ નહિ, આત્માને શત્રુ તે કર્મજ છે. જે દ્રવ્ય શત્રુ છે તે પણ કર્મ કરીને થાય છે. દ્રવ્ય શત્રુ હોય તે કઈ વખત મિત્ર પણ થાય છે તે મિત્ર હોય તે શત્રુ પણ થાય છે, એ શુભાશુભ કર્મની ઘટના છે, માટે ખર શત્ર, ખશે દમન, ખરો વૈરી તે કર્મ જ છે. તે કર્મ આઠ પ્રકારના કહ્યા છે. તે વિષે ભગવતીજીની ટીકામાં કહ્યું છે કે
अठ विहंपि कम्मं, अरिं भूयं होइसव्व जीवाणं; तं कम्ममरिहंता, अरिहंता तेण वुचंति.
આઠ પ્રકારના જે કર્મ કહ્યા છે તે સર્વ જીવને વૈરી સમાન છે તે કર્મને હણનારા તેને અરિહંત કહીએ.
પ્રશ્ન ૬૯ મું–આઠ કર્મને સર્વથા નાસ કેવી રીતે થાય?
ઉત્તર–આઠ કર્મને નાસ સર્વથા કેવી રીતે થાય તે ઉપર છાંત શ્રી ભગવતીજીની ટીકામાં કહેલ છે કે
दग्धे बोजे यथात्यंतं, प्रादुर्भवति नांकुरः; ___ कर्म बीजे तथा दग्धे, नरोहंति भवांकुरः
યથા દષ્ટાંતે જે જે પ્રકારના બીજે રહે છે તેને અગ્નિ વડે દગ્ધ કરે અર્થાત્ બાળી નાખે તે બીજેને અંકુરો પણ પ્રગટ થાય નહિ અર્થાત્ ઉગે નહિ. તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વડે કર્મનાં બીજેને દગ્ધ કરેલા એવા અરિહંત ભગવંતતે ફરી ભવરૂપી અંકુરા ઉત્પન્ન થાય નહિ. અર્થત્ કમરૂપી અંકુર ફુટે તે ભવાંકુર થાયજ કયાંથી અર્થાત્ નજ થાય એમ સૂત્ર ફરમાવે છે, વળી બીજે દષ્ટાંત કહે છે કે મારા
અગ્નિ અરીથી નીકળી, બાળે અરણી જેમ
દેહથી જ્ઞાન પ્રગટ કરી, દગ્ધ બીજ કરે તેમ ૧ પ્રશ્ન ૭૦ મું–બ્રહ્મા કેને કહીએ ને તેનું સ્વરુપ શું ? ઉત્તર–બ્રહ્માનું સ્વરુપ નીચે પ્રમાણે કહેલ છે.
ભ્રમ જાળને છાંડીને, તન્ય સંસાર ભવકુપ - બ્રહ્મ જ્ઞાનને પામીયા, તેહ બ્રહ્મા સ્વરૂપ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org