________________
૫૧૮
જૈન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળે એમ કહેવાને બિલકુલ કારણ મળતું નથી. જુવે કે હિંદુ તત્વજ્ઞાનમાં જ્ઞાનની સંપૂર્ણ અવસ્થા સુધીનાં જાદાં જુદાં પગથીયાં માનેલાં છે, પણ એ વિષે જેનેને મત સ્વતંત્ર છે. તેઓની પરિભાષા બ્રાહ્મણે કરતાં અને બૌદ્ધો કરતાં બિલકુલ જુદી જ છે. જૈનેના મત પ્રમાણે યથાર્થ જ્ઞાનના પાંચ પ્રકાર છે. તે આ પ્રકારે—
૧ મતિ જ્ઞાન, ૨ શ્રત જ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મનઃ પર્વય જ્ઞાન, અને કૈવલ્ય જ્ઞાન, એવા પ્રકારનું સામ્ય દર્શાવનારું વર્ણન બૌદ્ધોના અધ્યાત્મ ગ્રંથમાં કંઈ પણ દેખાતું નથી. આગળ જતાં જૈન અને બૌદ્ધોના કેટલાક વિચારે બ્રાહ્મણની સાથે મળતા છે તે બતાવ્યા છે. જેમકે-પૂર્વ જન્મ, પૂર્વ જન્મનાં કરેલાં કર્મ ઇત્યાદિ પુનઃ જૈનેના તીર્થકરે એવીશ, તે બૌદ્ધોના પચીશ, આમાં પણ વીશાની કલ્પના જ પ્રાચીન ઠરાવી જૈનેને પ્રાચીન ઠરાવ્યા છે.
આમ ઉપર જણાવ્યા પ્રમાણે કેટલીક વાતે જન ધર્મવાળાની બૌદ્ધોથી અને બ્રાહ્મણથી સરખી અને કેટલીક જૈનેની સ્વતંત્ર બતાવી છેવટમાં નિકાલ કરતાં જણાવવામાં આવ્યું છે કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મમાંથી નીકળેલું નથી. તેને ઉદ્ભવ સ્વતંત્ર હવાથી બૌદ્ધ ધર્મ માંથી વિશેષ લીધું પણ નથી ઇત્યાદિ–(પૃષ્ટ ૩૦ મે-રામમિશ્ર શાસ્ત્રીને લેખ જાણવાજોગ મૂકયા છે).
પ્રશ્ન ૪૦ મું–રામમિશ્ર શાસ્ત્રીજી શું જણાવે છે ? ઉત્તર–રામમિશ્ર શાસ્ત્રીજીના વ્યાખ્યાનને સાર– જૈન મત સૃષ્ટિકી આદિસે બરાબર અવિચ્છિન્ન ચલા આયા હે.
આજકલ અનેક અલપઝ જન બૌદ્ધ મત ઔર જૈન મતકો એક જાનતે હૈ યહ મહ બ્રમ હૈ.
પ્રશ્ન ૪૧ મુંજૈન અને બૌદ્ધ વિષે ડે. હર્મન જેકબને છે અભિપ્રાય છે ?
ઉત્તર—ડો. હર્મન જેકેબી-જૈન સૂત્રની પ્રસ્તાવનાના પ્રથમ ભાગમાં લખે છે કે – - મહાવીર કેઇ એક નવા ધર્મના સંસ્થાપક ન હતા, પરંતુ જેમ મેં સિદ્ધ કરેલું છે કે, તેઓ એક પ્રાચીન ધર્મના સુધારક માત્રજ હતા. જૈન ધર્મ એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થયેલ છે. પરંતુ કોઈ અન્ય ધર્મની અને ખાસ કરીને બૈદ્ધ ધમની શાખારુપે બિલકુલ પ્રવર્તે નથી. (એમ જૈનેત્તર દષ્ટિએ જૈન” પૃષ્ટ ૪૨ મે-પ્રસ્તાવનામાં લખ્યું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org