________________
ઉત્તર–“સનાતન જેન” પુસ્તક ૧ લું–અંક ૫ મે-જૈનની પ્રાચીનતા વિષે પ્રથમ વેદના દાખલાથી જણાવ્યું હવે પુરાણના દાખલાથી જણાવે છે. પ્રભાસ પુરાણુને વિષે કહ્યું છે કે
रैवताद्रो जिनो नेमिः युगादि विमलाचले;
ऋषीणा श्रमा देव, मुक्ति मार्गस्य कारणम् ॥ અર્થ –શુદ્ધ રૈવત નામના પર્વતમાં યુગના આદિભૂત નેમિનાથ” નામવાળા જિનદેવ ઋષિઓના આશ્રમથી મુક્તિ માર્ગ (રીતિ) અથવા રસ્તાનું કારણ છે. વગેરે તેમજ વળી ગવાશિષ્ટમાં પણ રામચંદ્રજીના ઉદ્ગારો જિનદેવ સંબંધી જાણવા જેવા છે.
પ્રશ્ન ૮ મું–રામચંદ્રજીએ ગવાશિષ્ટમાં શું કહ્યું છે ?
ઉત્તર-છત્રીશહારી લેકવાળા ગવાશિષ્ટમાં પ્રથમ વૈરાગ્ય પ્રકરણ છે. તેમાં અહંકાર નિષેધાદિ વિષે વશિષ્ટ અને રામ સંબંધમાં આમ કહ્યું છે.
રામ ઉવાચनाहं रामो नमे बाच्छा, भावेषु च नमे मनः;
शान्तिमास्थातु मिच्छामि, चात्म न्येव जिनो यथा. અર્થ –રામે કહ્યું નથી હું રામ કે નથી મારી કર્માદિકમાં ઈચ્છા અને મારું મન ભાવ પદાર્થોમાં નથી. જિન દેવની પેઠે પોતાના આત્મામાં શાન્તિ પામવા ઈચ્છું છું.
(રામચંદ્રજી જૈનના વશમાં તીર્થકરના શાસનમાં થયા છે, અને તેમણે જિન દેવ જેવી દિક્ષા ધારણ કરી એક્ષપદ લીધુ છે.) ઉપરના લેકથી પણ સાબિત થાય છે કે-રામચંદ્રજીના વખતમાં પણ જૈનધર્મ હતો, અને નગર પુરાણમાં પણ અર્હત મુનિ વિષે લખ્યું છે.
પ્રશ્ન ૯ મું–નગર પુરાણમાં શું લખ્યું છે? ઉત્તર-નગર પુરાણમાં કહ્યું છે કે-શ્લેક
दश मिर्मा जितै विप्रेः, यत्फलं जायते कृते;
मुनिमर्हन्त भक्तस्य, तत्फल जायते कलो. ॥ અર્થ–સત્યયુગમા દશ બ્રાહ્મણને ભોજન દેવાથી જે ફળ થાય છે તેજ ફળ કળિયુગમાં અહંત ભકત મુનિને ભેજન દેવાથી થઈ શકે છે. વળી પ્રભાસ પુરાણમાં પણ જૈન સંબંધી હકીકત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org