________________
૪૯૪
૪ શ્રી ઠાણુગજીના પાંચમે ઠાણે-ઉદેશે બીજે-રાજપિંડ ભેગવતા અનુદ્દઘાતિમ દેષ તે મેટ લાગવે કહ્યો છે. એટલે મદિરાદિક મહાવિનય ભેગવતા મહાદોષ કહ્યો.
૫. સૂત્રમાં ઘણે ઠેકાણે માંસની બરાબર મદિરાને ગણ મદિરા માંસના સરખા દેષ ગણ્યા છે અને મદિરા માંસના ભેગવવાવાળાને માઠી ગતિ પણ સરખી જ કહી છે તેના દાખલા પૂર્વે ઘણુ લખાઈ ગયા છે.
આ વખતે જ્યારે દવાનું કહ્યું ત્યારે તે મહા વૈરાગ્યવાન હતા વળી પાંચસે મુનિઓ પણ મહા વૈરાગ્યવાન સાથેજ છે તે કદિ વૈદ્ય લોકો મદિરે પાન બતાવે છે તે કબુલ કદિ કરેજ નહિ મંડુક રાજાએ પણ વૈદ્યને પ્રથમથી જ જણાવ્યું છે કે ફાસુક નિર્દોષ મુનિને કલ્પે તેવી દવા કરવી, અને મુનિએ પણ નિર્દોષ જાણ દવા શરૂ કરી છે. માટે મદિરાપાન નિર્દોષમાં ન ગણાય તે તે સદોષ જ છે મુનિને સદાય અકલ્પનીય છે માટે મજ પાણ શબ્દ મદિરા પાન કદિ સમજવું નહિ પણ મર્દન કરવાનું દવાનું પાણી અથવા મર્દન કરવાની તથા પીવાની દવા વૈદ્ય બતાવી.
મજ શબ્દને અર્થ સ્નાન મંજન પણ થાય છે. જુઓ આજ જ્ઞાતા સૂત્રના પહેલા અધ્યયનમાં મેઘ કુમારની માતા વરસાદ મધ્યે ડહુલો પુરો કરવા ચાલી તિહાં જનમાળી એ પાઠ છે. તેના અર્થમાં સ્નાન કરતી હતી. એમ કહે છે. એટલે મન શબ્દને અર્થ સ્નાન મંજનમર્દને શરીર કરવાને થાય છે. એટલે સેલક રાજાષીને શરીરે લગાડવાની મર્દન કરવાની દવા સૂત્રના ન્યાયથી સાબિત થાય છે. આ ઉપરથી સેલક રાજ રષિએ મદિરાપાન કર્યું નથી એમ સૂત્ર સાક્ષી આપે છે.
પ્રશ્ન ૧૦૪ મું–મદિરા માંસને નિષેધ તે તમામ શાસ્ત્રમાં તમામ ધર્મમાં કર્યો છે એ વાત તે સૌ કે કબુલ કરી શકે પણ મધ અને માખણને નિષેધ કરવામાં આવે છે તેનું શું કારણ ?
ઉત્તર–મધ અને માખણને નિષેધ કરવામાં આવે છે તેનું ગંભીર કારણ કેઈપણ પ્રકારનું હોવું જોઈએ. જૈન શાસ્ત્રમાં જેમ નિષેધ કરવામાં આવેલ છે તેમ અન્ય શાસ્ત્રમાં પણ વિશેષ નિષેધ કરવામાં આવેલ છે તે એટલે સુધી કે મદિરા અને માંસની સાથે મધ અને માખણને ગણેલ છે.
૧. જૈનસૂત્રમાં ઠાણાંગજીમાં મદિરા, માંસ, મધ, અને માખણને મહાવિનયમાં ગણેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org