________________
४७६
પ્રશ્ન ૭૭ મું–કોઈ એમ કહે કે અમે પશુવધ કર્યા વિના તૈયાર મળેલા માંસને ખાઈએ તને તે નરકમાં જવું ન થાય કે ના? ઉત્તર–ઉપર કહેલા ચાલતા અધિકારમાં તે પણ જણાવ્યું છે કે
तिल सर्षप मात्रंतु, यो मांसं भक्षते नरः;
ते यांति नरकं घोरं, यावच्चंद्रदीवाकरौ. ॥२॥ તલ અને સરસવ જેટલું પણ માંસ કદાપિ કેઈ નર ખાય તે તે ખાનાર મનુષ્ય ઘોર નરકને વિષે જાય, અને જ્યાં સુધી ચંદ્રમા અને સૂર્ય તપે અર્થાત્ જ્યાંસુધી ચંદ્રમા સૂર્ય રહે ત્યાં સુધી તે માંસાહારી નરકના દુઃખ ભગવે. એમ મહાભારતમાં કહ્યું છે. (પુરાણ સાર)
અને માંસાહારી ઘણા કાળ સુધી નરકના દુખ ભેગવીને કદી મનુભવમાં આવે છે કે થાય ? તે જણાવે છે.
अल्पायूषो दरीद्रश्च, परकर्मोंप जीविनः;
कुकुलेष्वेव जायंते, ये नरा मांस भक्षका. ॥३॥ અર્થ– માંસાહારી જીવ નરકનાં દુઃખ ભેળવીને કદી મનુષ્યપણું પામે છે તે અલ્પ આયુષ્ય પામે, દરિદ્ર થાય, પારકા કમેં જીવન ગાળે, અને નીચ કુળમાં ઉત્પન્ન થાય; જે નર માસનું ભક્ષણ કરે તે નરક ગતિનરકનાં દુબ ઉપરાંત મનુષ્યને ભવ પામે તોપણ દુઃખી સ્થિતિને પામે, અને તે ઉપરાંત જીવના વધ કરનારને વિશેષ ફળ કહ્યું છે.
સાંભળે પ્રાણી જીવના વધ કરનારને પૂર્વ કહ્યા ઉપરાંત વિશેષ ફળ નીચે પ્રમાણે અતિહાસ પુરાણમાં કહ્યું છે.
स्वल्पायु विकला रोगी, विचक्षु बधिर खलः;
वामनः पामन पंढो, जायते स भवोभवे. ॥४॥ અર્થ– આઉખું પામે, વિકલ તે ઘેલે–ગાંડ-બાવરે થાય સદાય રેગી રહે, આંધળો થાય, બહેરે થાય, ખલ થાય, વામને થાય, કુણી-કઢીયે થાય, નપુંસક થાય. એટલાં વાનાં જીવહિંસાના પ્રભાવે પ્રાણી વધકે ભવભવ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં તે પ્રમાણે પામે. અર્થાત માંસાહારી પ્રાણીવધકોને ઉપર પ્રમાણે ફળ પ્રાપ્ત થાય એમ શાસ્ત્ર જણાવે છે. (પુરાણ સાર)
પ્રશ્ન ૭૮ મું–માંસાહારીને માટે જ્યારે ઉપરોકત ફળ કહ્યું તે માંસના ત્યાગીને માટે શાસ્ત્રમાં શું ફળ કહ્યું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org