SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૩ પ્રશ્ન ૭૨ મું–માંસાહારી વિષે વિવાઈ સૂવ શું જણાવે છે ? ઉત્તર–ઉવવાઈ સૂત્રમાં પણ માંસ ભક્ષણ કરનારને નરક ગતિની પ્રાપ્તિનું વર્ણન કરેલ છે તે સાંભળો સૂત્રપાઠ– चउहि ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरें ति, णेरइयत्ताए कम्मं पकरेत्ता,एरइएसु उववनंति तंनहा महारंभयाए महापरिग्गहयाए पंचिंदिय वहेणं कुणिमहारेणं ॥ इति. આ સ્થાનકે જવ નરકમાં જવાનું કર્મ ઉપરાજે છે, નરકમાં જવાનું કર્મ કરીને નરકમાં ઉપજે છે તે કર્મ ક્યા ? તે કહે છે. મોટા આરંભના કરનાર મોટા આરંભે કરી મહા પરિગ્રહના મેળવનાર, પંચેન્દ્રિય જીવના વધને કરનાર, અને માંસ ભક્ષણના કરનાર. ઉપર કહેલા ત્રણ સૂત્રમાં નરકે જવાના ચાર કારણોમાં શું કારણ માંસ ભક્ષણનું જણાવ્યું છે. જૈન સૂત્રોના પાઠક જૈન સાધુ યા શ્રાવક, ભગવંત મહાવીરના વચનાનુસાર વર્તનારા પિતે સારી રીતે જાણનારા, સૂત્ર વચનને આગળ કરી ચાલનારા ચારે ગતિના ઉત્પત્તિના સ્થાનકના તથા મેક્ષ ગતિની પ્રાપ્તિના તમામ ઉપાયના જાણ પુરૂષે મદિરા માંસનું સેવન કરી નરક ગતિને સ્વીકાર કેમ કરે ? અર્થાતુ કદી ન કરે. સાધુની ગતિ તે મોક્ષની કે દેવલેકની જ હોય છે અને શ્રાવકની ગતિ પણ દેવલની કહી છે માટે જૈન ધર્મના સાધુ ત્રણ કાળમાં પણ માંસાહારી હોયજ નહિ. આ વાત સિદ્ધાંત છે. | મધ માંસાદિ અગ્ય વસ્તુના ભક્ષના નિષેધક વચનામૃતથી જેમનું અંતઃકરણ સીંચાયેલું હોય છે તેવા નરકાદિ દુર્ગતિમાં નહિ જનાર મેક્ષાથી જે મધ માંસ ભક્ષણ કર્યા વગર જ નિર્દોષ સાદા અને સાત્વિક ખોરાકથી જ પિતાના જીવન નિર્વાહ કરી લે છે. બાકી જેઓ જીભની લાલસાના દાસ થઈને તેનું (માંસનું) ભક્ષણ કરે છે તેઓ બે બાજુથી કર્મબંધ કરીને નરકમાં પડી પરમાધામીને હાથે ભયંકર દુખે ભગવે છે. પ્રશ્ન ૭૩ મું–કોઈ એમ કહે કે અનાજની જાતિમાંથી બનાવેલા ખોરાકને માટે અનેક જીને વિનાશ કરે પડે છે તેના પરિમાણમાં એક મેટા જીવને વિનાશ કરી ઘણ જણને ખોરાકના કામમાં આવે તેમાં ઘણું ઓછું પાપ લાગે. આ અભિપ્રાય અમારો ખરે છે કે બેટા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy