________________
४१३
વરી-બિરાલી, એવા નામની સાધારણ વનસ્પતિ છે. અને બિરાલીને અર્થ બિલાડી પણ થાય છે.
તેમજ શ્રી આચારાંગજી સૂત્રમાં પિંડેષણ અધ્યયને--આઠમે ઉદેશેફળના વણ કહ્યા છે તેમાં પાળવા-કહેલ છે, એટલે કેલ નામના ફળ કહ્યા છે. અને કેલ શબ્દ ઉંદરની જાતિમાં શું થાય છે. તેમ નેળવેલ એ નામની વનસ્પતિ પણ થાય છે. અને નેળ, કેળ એ નામનાં ભુજપર પંચંદ્રિય જીવ છે. અને તે નામની વનસ્પતિ પણ કહેલ છે. તે વનસ્પતિનું એટલે ળકેળ નામની વનસ્પતિનું શાક હાલ કાઠિયાવાડમાં વપરાય છે.
આ પ્રમાણે વનસ્પતિની જાતિમાં મનુષ્ય તિર્યંચ નામ રહ્યાં છે તે સૂત્રપાઠથી જણવ્યાં. તેમજ વૈદ્યક શાસ્ત્રમાં વનસ્પતિની ઔષધીઓનાં નામ ચાલ્યાં છે, ત્યાં પણ મનુષ્ય તિર્યંચ અને દેવેનાં નામ પણ ચાલ્યાં છે.
પ્રશ્ન રદ મું–વૈદ્યક શાસ્ત્રમાં મનુષ્ય તિર્યંચાદિકનાં નામે ઔષધીઓ કેવી રીતે ને કઈ કઈ ને કયા શાસ્ત્રમાં કહેલ છે તે તમામ સ્વરૂપ જણાવશે?
ઉત્તર–સાંભળે-વૈદ્યકશાસ્ત્ર “શાલિગ્રામ નિઘંટુ ભૂષણમ” અર્થાત્ બહુન્નિઘંટુ રત્નાકરાન્તર્ગત૭ મે ૮મે ભાગ (વૈદ્યbપયુક્ત સમસ્ત પદાર્થ નામ ગુણ કેષઃ) મુંબઈ-ખેમરાજ શ્રી કૃષ્ણદાસે વેંકટેશ્વર છાપખાનામાં સંવત ૧૯૬૧ માં એ ગ્રંથ ૧૨૧૬ પૃષ્ઠને છપાએલે છે તેમાનું કેટલુંક ઔષધીના શબ્દનું ટાંચણ કરેલ છે, તે ગ્રંથમાં આટલા પ્રકારની ભાષામાં ઔષધીઓનાં નામ દાખલ કર્યા છે.
(૧) હિન્દી ભાષા, (૨) બંગ ભાષા, (૩) મહારાષ્ટ્ર ભાષા, (૪) ગુર્જર ભાષા, (૫) કર્ણાટકી ભાષા, (૬) તૈલંગ ભાષા, (૭) અંગ્રેજી ભાષા, (૮) લેટીન ભાષા, (૯) ફારસી ભાષા, (૧૦) અરબી ભાષા એ દશ ભાષામાનું કેટલાક શબ્દનું ટાંચણ નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે.
પાને ૬ ઠે-૭ મે-કરતુરીનાં નામ-મૃગ નાભિકા, અંડજા, મૃગ નાભી, મૃગમદ, મૃગ મૃગી, નાભિ, મારી, શ્યામા, કામા, મૃગાંડજા, કુરંગનાભિ, ગુર્જર ભાષામેં કસ્તુરી-બંગ ભાષામેં મૃગ નાભી.
પાને ૧૧ મેન્ગંધ માર વીર્ય-કપૂર વર્ગમાં, એ એક ઔષધીનું નામ છે.
પાને ૨૮ મે–તગરનું નામ હસ્તિ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org