________________
૨૨
પ્રશ્ન પ૭ મું--સિદ્ધને જે ધન કહ્યો તે ઘન શું ? ને અવગાહના શું ? અને ત્રીજા ભાગે હીન શરીરના ઘનમાં અનંતા સિદ્ધને પ્રવેશ કેવી રીતે થઈ શકે ? વગેરે સમજી શકાય તેમ જણાવશે ?
ઉત્તર--પન્નવણાજીમાં કહ્યું છે કે મારી નાવ ઘn, સિદ્ધ ભગવંતા અશરીરી છે, પાંચ શરીરમાંનું એકે શરીર નથી, તે જીવને ઘન એટલે જીવના અસંખ્યાતા આત્મ પ્રદેશના મળેલા સમુહને જે વન– ઘન, તે અસંખ્યાત પ્રદેશમાં ઘનને જેટલા આકાશ પ્રદેશ અવગાહીને રહેવાપણું તે અવઘણા એટલે અરૂપી આત્મ પ્રદેશમાં એક બીજાનું સંમિલનપણું થવામાં– એકબીજામાં મળી જવામાં અટકાયત થાય નહિ.
પ્રશ્ન પ૮ મું-–દરેક સિદ્ધિના જીવ જુદા જુદા રહેવામાં શો વાંધે આવે ?
ઉત્તર–મેક્ષ થવાનું ક્ષેત્ર અને મેક્ષ પ્રાપ્ત થયેલા સિદ્ધાત્માનું ક્ષેત્ર માત્ર પિસ્તાળીસ લાખ જેજનનું જ છે. અને મને પ્રવાહ અનંતકાળને ચાલતમાં છે, ત્રણ કાળમાં એ પ્રવાહ બંધ થાય તેમ નથી. વળી સમશ્રેણી એજ સિદ્ધ થાય. જ્યાં કલ્પના કરીએ ત્યાં મનુષ્ય ક્ષેત્રમાં એકવાલા. જેટલી પણ સિદ્ધ થયા વિનાની જગ્યા રહી નથી. જો કે જે જીવ મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ થયા તે સિદ્ધ પિતપોતાના મૂળ સ્વભાવમાં દરેક સિદ્ધાત્મા જદાજ છે. જે જગ્યાએ એક જીવ સિદ્ધ થયા છે, તે જ જગ્યાએ અનંતા અનંતા જીવ સિદ્ધ થયા છે. અને એક સિદ્ધને અનંતા અનંતા સિદ્ધાત્માઓ ફરશીને રહ્યા છે. તથાપિ દરેક સિદ્ધાત્મા જુદાજ છે. તેનું કારણ કે અરૂપી અરૂપીમાં મળી જતાં સકીર્ણ થાતુ નથી.
પ્રશ્ન ૫૯ મું -એવો કોઈ દાર્શનિક પૂરાવે છે?
ઉત્તર--મકાનની અંદર એક દીપક હતાં. ત્યાં બીજે દીપક મળે. તેમાં તે પ્રકાશ મળી ગયે કે કેમ ? અર્થાત્ એક દીપકના પ્રકાશમાં બીજા દિપકનો પ્રકાશ મળી ગયા તેમ ત્રીજા ચોથા એમ એક મકાન અંદર અગણિત દીવા મૂકે અર્થાત્ જેટલા દીપક મૂકે તે તમામને પ્રકાશ એક બીજામાં મળી જાય, પરંતુ દરેક દીપક અને તેને પ્રકાશ પિતાપિતાના સ્વભાવમાં જુદા જ છે. પ્રકાશના મળેલા સમૂહમાં એક બીજાને વ્યાઘાત જેમ થતો નથી, તેમ સિદ્ધ ક્ષેત્રમાં રહેલા એક સિદ્ધાત્મામાં અનંતા સિદ્ધનું એજ પ્રમાણે સમજી લેવું. એટલે દીપક રૂપ આત્મા અને પ્રકાશ રૂપ આત્મ પ્રદેશ દરેક સિદ્ધાભાના મૂળ સ્વભાવે જુદાજ છે અને ક્ષેત્ર સ્વભાવે જ્યાં કલ્પના કરે ત્યાં અનંતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org