SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ભાષાન્તરવાળે નીચે કુટનેટમાં લખે છે કે-૧ મુનિ રસ્તે ચાલી થાક હોય યા માંદગીથી ઉડે હેય યા દુર્મિક્ષ હાય વગેરે કારણોને માંસાદિક ત્યાગ કરવા સમર્થ મુનિએ ત્યાં જવું એમ ટીકાકારે જણાવ્યું છે. અને પરંપરાના ટબમાં એમ જણાવે છે કે--મસંથાન જમના જે મનમાંહી ચિંતવે જાવા ભણી, નિર્દોષ સંબડી જાણીને જાય પણ તથા કાલ્પનિક આહાર લીએ. ઈહાં મંસાદિક લેવા નથી કહ્યા. ઇત્યર્થ પ્રશ્ન ૩૦ મું—આ કલમમાં સંખડીમાં જવું જણાવે છે તેનું શું કારણ? ઉત્તર–અહિંયાં સંખડીને અર્થ એમ થાય છે કે-જ્યાં જમણવાર હોય ત્યાં સંખડી ગણાય. પઠાને પણ સંબડી ગણાય અને સરીયામ રસ્તામાં જ્યાં માણસે જમવા બેસતા હોય ત્યાં પણ સંખડી ગણાય. જ્યાં માંસદિકના પકવાન થતા હોય એટલે જ્યાં પંઠો હેય તેનાથી ચિંતા એટલે પઠાન અંતરે-ધંઠાથી જુદે જે માર્ગ એટલે પંઠાથી અલગ માણને હાલવા ચાલવાના રસ્તે-એટલે રાજ રસ્ત-માંસ મદિરાદિક ન પડ્યા હોય, માંસ મચ્છને ખળા ન હોય, રસ્તામાં પાણી છટાણું ન હોય, કાચી માટી પથરાણું ન હોય, તેમ બીજા જીવજંતુઓનું (ખરાબ વસ્તુ ન અભાવે તેની ગંધ વિના) આવવું ન થયું હોય, તેમજ ઘણું શ્રમણ માહણદિક રાંકા, ભિખારા પ્રમુખની ભીડ પણ ન હોય, અર્થાત્ રસ્તાને વિષે જમણવાર ન હોય તેવી સંખડીને માર્ગે થઈને સાધુ ભિક્ષાર્થે જાય, તથા અન્ય સ્થળે બીજા કોઈ સાધુ ઉતર્યા હોય તેની પાસે વાંચણી લેવા તથા પ્રશ્નાદિ પૂછવા, તથા લીધેલી વાંચના સંભળાવવા-પરિયદન કરવા તથા સૂત્રાર્થ વિચરવા, અથવા ધર્મ ધ્યાનની ચિંતવના કરવા, અથવા યુગ સાધન કરવા કે ધ્યાન ધરવા જવાને ભગવતે આજ્ઞા આપી છે કે ઉપર કહેલી સંખડીના માર્ગે થઈને ગમન કરે. પ્રશ્ન ૩૧ મું–શું સંબડીમાં વહોરવા ન જાય? ઉત્તર–ના જી, સંખડીમાં વહેરવા ન જાય. સાદી સંખડીમાં વહેરવા ન જાય તે જ્યાં માસ મત્સ્ય મદિરાદિ વપરાતા હોય તેવી સંખડીમાં જવાનું હેય કયાંથી? અને ભગવંત આજ્ઞા આપે પણ કેમ? કદિ ન આપે. અરે સંખડીની દિશા તરફ જે જવાની મના કરે તે આવી અગ્ર સંબડીમાં જવાની આજ્ઞા આપે ખરા? ના, ના, કદિ આજ્ઞા ન આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy