________________
૪૩૦
માંસ ભક્ષણથી અળગા રહેતાં આ દુનિયામાં આપણી પ્રશંસા થાય છે, અને પેલી દુનિયામાં સ્વગ અને મુકિત મેળવી શકાય છે.
પ્રશ્ન ૨૧ મું—કોઇ કહે કે-માંસ ભક્ષી તૈયાર મળેલા માંસને ખાય તેને દોષ જણાતા નથી કારણકે પાપ તે હિંસાના કરનારને લાગે છે. તૈયાર મળેલુ' ખાનારને દોષ શાના ?
ઉત્તર—શ્રી આચારાંગ સૂત્રના ભાષાંતરમાં (પરિહાર્ય મીમાંસાનુ ભાષાંતર. તેમાં પાને ૨૬ મે થી ૩૨ મા પૃષ્ટ સુધી માંસાહાર સબંધીના કેટલાક ખુલાસા લખ્યા છે. તેમાં ઉપરની બાબત માટે લખ્યું છે કે––
સૂયગડાંગ સૂત્રના પહેલા અધ્યયનના ખીન્ન ઉદ્દેશાની ટીકામાં એવું લખ્યુ છે કે
“ કેટલાએક એવુ કહે છે કે જેમ બીજાની મારફત (અથવા અમુક હુથીયાર મારફત ) અગ્નિ પકડી મગાવતાં આપણે બળી જાતા નથી, તેમ ખીજાએ જીવને મારીને તૈયાર કરેલા માંસને ખાતાં કશે। દેષ નથી.
પરંતુ આ તેમની ઘેલાઇ ભરેલી વાત સાંભળવા લાયક નથી કારણકે ખીજાએ જીવને મારીને તૈયાર કરેલું માંસ ખાતાં પણ તેમાં ખાનારની અનુમતિ (મંજુરી) કાયમ ડરે છે, અને તેના લીધેજ તેથી કર્યાં બ`ધ થાય છે. જે માટે લાકમાં પણ એવુ‘ કહેવાય છે કે-
अनुमंता विश सिता, संहर्त्ता क्रय विक्रयी;
संस्कर्त्ता चोप भोक्ताच, घातक वाष्ट घातकाः १.
મજુર રાખનાર, મારનાર, સાચવનાર, ખરીદનાર, વેચનાર, રાંધનાર, ખાનાર, મર.વનાર એ આ જણ ઘાતક છે,
એજ મુજબ સ્થાનાંગ સૂત્રના દશમા ઠાણામાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં માંસ વગેરે પડેલાં હોય ત્યાં સ્વાધ્યાય ( સૂત્ર પાઠ ) નહિ કરવો. ત્યાં દશ પ્રકારના દારિક અસ્વાધ્યાય જણાવ્યા છે તે એકે-હાડકાં, માંસ, લોહી, અશુચિ (મળમૂત્ર) મશાણભૂમિ, ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ, ઉલ્કાપાત, રાજ વિગ્રહ અને ઉપાશ્રયના અંદર પડેલું (પચ’દ્રિયનુ) મૃત
કલેવર.
Jain Education International
એ વગેરે અનેક પ્રકારના સિદ્ધાંતમાં રહેલાં વચના વાંચવાથી જેની શ્રદ્ધા પવિત્ર થઇ હશે તે પુરૂષ એવુંજ માનશે કે “માંસાદિકનું ભક્ષણ ન કરવું” એજ વાત સિદ્ધાંતને અનુસરતી છે, તેમાં લગારે શક નથી. (ઇતિ પરિહાર્ય મીમાંસાયાં. )
For Private & Personal Use Only
www.jainelibrary.org