________________
૪૧૩
વાની રીત ન આવડવાથી ઘણા ભાઈઓ ને હેને તે ચાર લેગસ્સને કાઉસગ્ગ કરે છે, પરંતુ એ ચિંતવન કાંઈ કઠ્ઠણ નથી. માત્ર તે જાણવા તરફ લક્ષજ અપાતું નથી. તે ચિંતવન શી રીતે કરવું તે આ નીચે જણાવવામાં આવેલ છે.
શ્રી મહાવીર ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસ તપ થઈ શકે છે. ભગવાન મહાવીરે તેટલે તપ કરે છે. હે ચેતન? તું કરી શકીશ?” આને જવાબ મનમાંજ ચિંતવે કે “તેટલી શક્તિ નથી.” પછી એક દિવસ ઉણે છ માસી તપ કરીશ ? બે દિવસ ઉણે છ માસી તપ કરીશ ? એમ એકેક દિવસ ઉણે યાવત્ પાંચ માસને તપ કરીશ ? ત્યાં સુધી ચિંતવવું ને તેને જવાબ પણ ઉપર પ્રમાણે જ “શક્તિ નથી એમ ચિંતવે. પછી ચાર માસી તપ કરીશ ? ત્રણ માસી તપ કરીશ? બે માસી તપ કરીશ ? માસ ખમણ કરીશ ? એમ ચિંતવી જવાબમાં પણ પૂર્વ પ્રમાણેજ “શક્તિ નથી” એ ચિંતવવે.
પછી એક દિવસ ઉણું મા ખમણ કરીશ ? બે દિવસ ઉણું માસખમણ કરીશ? એમ ચિંતવવું. એને જવાબ શક્તિ નથી એમ ચિતો. પછી ૧૪ દિવસ ઉણા મા ખમણને બદલે ૧૬ ઉપવાસની ૩૪ ભક્તની સંજ્ઞા છે. તેથી ૩૪ ભક્ત કરીશ ? ૩ર ભકત કરીશ ? એમ બે ભક્ત એટલે એક એક ઉપવાસ ઘટાડતા ચેથ ભકત (એક ઉપવાસ) સુધી આવવું જવાબમાં તે અગાઉ વધારેમાં વધારે એટલે તપ કર્યો હોય ત્યાંથી શકિત છે, પ્રણામ નથી? એમ ચિંતવવું. અને ત્યાં સુધી “શક્તિ નથી” એમ પ્રથમ પ્રમાણે જ ચિતવવું.
ત્યાર પછી “અબેલ કરીશ ? નવી કરીશ? એકાસણું કરીશ ? બેસણું કરીશ ?' એમ ચિંતવી જવાબમાં શકિત છે, પ્રણામ નથી એમ ચિંતવવું. ત્યાર પછી અવઢું કરીશ? પુરિમઠું કરીશ ? સાઢ પિરસી કરીશ? પિરસી કરીશ? નવકારસી કરીશ? એમ ચિંતવવું. તેમાં તે દિવસ જે તપ કર હોય તેની અગાઉ “શક્તિ છે, પ્રણામ નથી એમ કહેવું. અને કરે હોય તે તપ વખતે “શક્તિ છે, પ્રણામ પણ છે એમ ચિતવી કાઉસગ પાર. છેવટ નવકારશીમાં તે એ જવાબ ચિતવનેજ કાઉસગ્ગ પારવાનું છે. આ બાબત બરાબર વિચારી રખાય તે તેટલું ચિંતવન કરતાં ચાર લેગસ્સથી વધારે વખત નથી. ઇતિ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org