________________
૪૧૧
પ્રશ્ન ૮૭ મું–શ્રી નદીજીમાં મતિ જ્ઞાનનાં ચાર ભેદ કા. તે ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી ને ૪ ભાવથી. એ ચારે બેલે મતિ જ્ઞાન ઉપદેશ કરીને જાણે, પણ દેખે નહિ, એમ કહ્યું. અને મૃત જ્ઞાન એ ચારે ભેદે ઉપગ યુક્ત જાણે દેખે એમ કહ્યું. તેનું કેમ?
ઉત્તર–તે પક્ષ દેખે છે-જેમ ધર્મ રૂચી અણગારને સૂત્ર જ્ઞાનથી પક્ષ દીઠા તેમ.
પ્રશ્ન ૮૮ મું–ત્રીજા દેવલેકના દેવતાની જઘન્ય સ્થિતિ બે સાગરની ઉતરાધ્યયનના ૩૬ મા અવ્યયનમાં કહી છે. અને ત્રીજા દેવલેકે એક પદમલેશા છે. એટલે ત્રીજા, ચોથા ને પાંચમાં દેવલોક એક પદમલેશા કહી છે. અને ૩૪ અધ્યયનમાં લેશાની સ્થિતિમાં એમ કહ્યું છે કે–તેજુલેશાની ઉત્કૃષ્ટિ સ્થિતિ હોય તેથી એક સમય અધિક પદમલેશાની જઘન્ય સ્થિતિ હોય. તે તેજુલેશાની ઉત્કૃષ્ટિ સ્થિતિ બે સાગર ને પલ્યોપમને અસંખ્યાત ભાગ અધિક કહી છે. તે ત્રીજા દેવલેકે પદમલેશાની જઘન્ય સ્થિતિ બે સાગરને પાપમને અસંખ્યાત ભાગ અને એક સમય અધિક હોય, અને સ્થિતિ જઘન્ય બે સાગરની ને ઉત્કૃષ્ટિ સાત સાગરની કહી છે. તે જઘન્ય સ્થિતિના દેવતા અને તેની લેશામાં તફાવત રહે છે તેનું કેમ ?
ઉત્તર–ત્રીજા દેવલેકે લેશા તે પદમ કહેવી. પણ તેજુલેશાની ઉત્કૃષ્ટી સ્થિતિની અપેક્ષાએ ત્રીજા દેવલેકના પહેલા પ્રતરમાં બે સાગરને પલ્યોપમને અસંખ્યાત ભાગ અધિક સુધીની સ્થિતિ તેજુલેશાની હોવાને સંભવ છે. પહેલા પ્રતરે જગન્ય સ્થિતિ બે સાગરની ને ઉત્કૃષ્ટી બે સાગરની અને એક સાગરના ૧૨ ભાગ કરીએ તેમાનાં પાંચ ભાગની અધિક કહી છે. તે અપેક્ષાએ બે સાગર ઝાઝેરી જગન્ય સ્થિતિવાળા પહેલા પ્રતરે બહુજા છેડા હોવાને લીધે ત્રીજા દેવલેકે તે જુલેશા ગવેષી નથી એમ જણાય છે.
પ્રશ્ન ૮૯ મું–ત્રીજા દેવલે કે-પ્રતર કેટલા ? અને દરેક પ્રતરમાં રહેલા દેના આયુષ્યની સ્થિતિનું પ્રમાણ કેવી રીતે છે ?
ઉત્તર–ત્રીજા દેવલેક પ્રતર ૧૨ બાર છે. તેમાં પહેલા પ્રતરના દેવની જગન્ય સ્થિતિ બે સાગરની ને ઉત્કૃષ્ટી બે સાગર ઉપરાંત એક સાગરના ૧૨ ભાગમાંના પાંચ ભાગની. એમ દરેક પ્રતરે પાંચ પાંચ ભાગ વધારતા ૧૨ બારમા પ્રતરે સાત સાગરની ત્રીજા દેવલેકે ઉત્કૃષ્ટી સ્થિતિ કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org